ડોનાલ્ડ ટ્રમ્પની છે આ "U - Turn" સરકાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-30 13:59:07

ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બન્યાને માત્ર ૧૩૦ દિવસ થયા છે પરંતુ તેમના પોતાના જ દેશ અમેરિકામાં તેમની નીતિઓ ખુબ જ આકરા પડકારોમાંથી પસાર થઈ રહી છે . અત્યારસુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પએ જ્યારથી ૨૦મી જાન્યુઆરીથી ઓવલ ઓફિસમાં કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી તેમણે પોતાના ૧૧ મોટા નિર્ણયો પર યુ-ટર્ન લીધો છે . માટે ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ઉક્તિ જોરદાર ફિટ બેસે છે તે છે : "યુ ટર્ન હે  , સબ યુ ટર્ન હે ." 

Donald Trump: Presidency, Political Rise, Life, Career, Businesses -  Business Insider

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જ્યારથી પોતાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ઓછામાં ઓછા ૧૮૦ એક્ઝિક્યુટિવ ઓર્ડર અને નીતિઓ પર અસ્થાયી / કાયમી સ્ટે મુક્યો છે. એટલુંજ નહિ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના ૧૧ મોટા નિર્ણયો પર તો યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પએ જે નીતિઓ વારંવાર પલ્ટી છે તેમાં સૌથી મોટો મુદ્દો ટેરિફ સબંધિત છે સાથે પ્રવાસી બાળકોના જન્મસિદ્ધ અધિકારને રોકવાનો નિર્ણય પણ થોડા દિવસોમાં રદ કરાયો હતો. સરકારી કાર્યક્ષમતા વિભાગ હેઠળ ઇબોલા નિવારણ ભંડોળ રદ કરાયું હતું પરંતુ પછીથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું . મેક્સિકો - કેનેડા સાથેના વેપાર કરાર રદ કરવાની જાહેરાત કરી પરંતુ દબાણ બાદ આ નિર્ણય પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો . ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે આ ટેરિફ રદ કર્યા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, ચીન પર ટેરિફ મામલે પણ તેમણે  યુ ટર્ન લીધા છે. દુનિયાના વિવિધ દેશો પર એપ્રિલના પેહલા અઠવાડિયામાં ટ્રમ્પએ ટેરિફ વિસ્ફોટ કર્યા પછી તેમણે ૯૦ દિવસ માટે તેના અમલીકરણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો . 

Donald Trump orders US chip software suppliers to stop selling to China

આટલુંજ નહિ ટ્રમ્પના વિવિધ આદેશોની વિરુદ્ધમાં અત્યારસુધીમાં ૨૫૦થી વધુ કેસ અમેરિકાની વિવિધ કોર્ટોમાં કેસ દાખલ કરાયા છે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પની નીતિઓના ઉતાવળિયા અને વિચારહીન અમલીકરણને કારણે કોર્ટમાં પડકારો ઉભા થઈ રહ્યા છે. દાખલા તરીકે ટ્રમ્પએ વોઇસ ઓફ અમેરિકાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો જેને કોલોરાડો કોર્ટે ગેરકાયદેસર જાહેર કર્યો હતો . કેલિફોર્નિયાની એક અદાલતે પર્યાવણીય નિયમોને નબળા પાડતા આદેશોને પણ રોક્યા હતા . વોશિંગ્ટન કોર્ટે બિન - અમેરિકનો માટે મતદાન પ્રતિબંધને ગેરબંધારણીય ઠેરવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રાન્સજેન્ડર સમાજના સ્વાસ્થ્ય અધિકારોને મર્યાદિત કરવાના આદેશને ન્યુયોર્કની એક અદાલતે ભેદભાવપૂર્ણ અને ગેરકાયદેસર ગણાવ્યા હતા . વાત કરીએ આંતરરાષ્ટ્રીય સ્તરની , રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને પણ ડોનાલ્ડ ટ્રમ્પ અટકાવી નથી શક્યા . બેઉ દેશો વચ્ચે જોરદાર એસ્કેલેશન જોવા મળી રહ્યું છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.