ડોનાલ્ડ ટ્રમ્પની છે આ "U - Turn" સરકાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-30 13:59:07

ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બન્યાને માત્ર ૧૩૦ દિવસ થયા છે પરંતુ તેમના પોતાના જ દેશ અમેરિકામાં તેમની નીતિઓ ખુબ જ આકરા પડકારોમાંથી પસાર થઈ રહી છે . અત્યારસુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પએ જ્યારથી ૨૦મી જાન્યુઆરીથી ઓવલ ઓફિસમાં કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી તેમણે પોતાના ૧૧ મોટા નિર્ણયો પર યુ-ટર્ન લીધો છે . માટે ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ઉક્તિ જોરદાર ફિટ બેસે છે તે છે : "યુ ટર્ન હે  , સબ યુ ટર્ન હે ." 

Donald Trump: Presidency, Political Rise, Life, Career, Businesses -  Business Insider

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જ્યારથી પોતાનો કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી ઓછામાં ઓછા ૧૮૦ એક્ઝિક્યુટિવ ઓર્ડર અને નીતિઓ પર અસ્થાયી / કાયમી સ્ટે મુક્યો છે. એટલુંજ નહિ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાના ૧૧ મોટા નિર્ણયો પર તો યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પએ જે નીતિઓ વારંવાર પલ્ટી છે તેમાં સૌથી મોટો મુદ્દો ટેરિફ સબંધિત છે સાથે પ્રવાસી બાળકોના જન્મસિદ્ધ અધિકારને રોકવાનો નિર્ણય પણ થોડા દિવસોમાં રદ કરાયો હતો. સરકારી કાર્યક્ષમતા વિભાગ હેઠળ ઇબોલા નિવારણ ભંડોળ રદ કરાયું હતું પરંતુ પછીથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું . મેક્સિકો - કેનેડા સાથેના વેપાર કરાર રદ કરવાની જાહેરાત કરી પરંતુ દબાણ બાદ આ નિર્ણય પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો . ટ્રમ્પે મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે આ ટેરિફ રદ કર્યા હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, ચીન પર ટેરિફ મામલે પણ તેમણે  યુ ટર્ન લીધા છે. દુનિયાના વિવિધ દેશો પર એપ્રિલના પેહલા અઠવાડિયામાં ટ્રમ્પએ ટેરિફ વિસ્ફોટ કર્યા પછી તેમણે ૯૦ દિવસ માટે તેના અમલીકરણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો . 

Donald Trump orders US chip software suppliers to stop selling to China

આટલુંજ નહિ ટ્રમ્પના વિવિધ આદેશોની વિરુદ્ધમાં અત્યારસુધીમાં ૨૫૦થી વધુ કેસ અમેરિકાની વિવિધ કોર્ટોમાં કેસ દાખલ કરાયા છે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પની નીતિઓના ઉતાવળિયા અને વિચારહીન અમલીકરણને કારણે કોર્ટમાં પડકારો ઉભા થઈ રહ્યા છે. દાખલા તરીકે ટ્રમ્પએ વોઇસ ઓફ અમેરિકાને બંધ કરવાનો નિર્ણય લીધો હતો જેને કોલોરાડો કોર્ટે ગેરકાયદેસર જાહેર કર્યો હતો . કેલિફોર્નિયાની એક અદાલતે પર્યાવણીય નિયમોને નબળા પાડતા આદેશોને પણ રોક્યા હતા . વોશિંગ્ટન કોર્ટે બિન - અમેરિકનો માટે મતદાન પ્રતિબંધને ગેરબંધારણીય ઠેરવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રાન્સજેન્ડર સમાજના સ્વાસ્થ્ય અધિકારોને મર્યાદિત કરવાના આદેશને ન્યુયોર્કની એક અદાલતે ભેદભાવપૂર્ણ અને ગેરકાયદેસર ગણાવ્યા હતા . વાત કરીએ આંતરરાષ્ટ્રીય સ્તરની , રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને પણ ડોનાલ્ડ ટ્રમ્પ અટકાવી નથી શક્યા . બેઉ દેશો વચ્ચે જોરદાર એસ્કેલેશન જોવા મળી રહ્યું છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.