ગુજરાત બાદ રાજસ્થાનમાં બિપોરજોયે સર્જી તારાજી! રાજસ્થાનની હોસ્પિટલમાં ભરાયા પાણી,ભરાયેલા પાણી વચ્ચે સારવાર કરાવા લોકો મજબૂર!


  • Published By :
  • Published Date : 2023-06-19 09:23:19

ગુજરાતમાંથી પસાર થઈ બિપોરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. તેજ હવા તેમજ વરસાદને કારણે અનેક જગ્યાઓથી નુકસાનીની તસવીરો સામે આવી છે. અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે તો અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની ગંભીર અસર રાજસ્થાનમાં જોવા મળી રહી છે. ત્યાં પણ અનેક જગ્યાઓ પર ધોધરમાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનથી એવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે. ભરાયેલા પાણી વચ્ચે સારવાર કરાવા લોકો મજબૂર બન્યા છે.

  


ગુજરાતમાં પણ બિપોરજોયનો જોવા મળ્યો હતો કહેર!

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું બિપોરજોય વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે. ગુજરાતથી બિપોરજોય પસાર થઈ ગયું. ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદ પણ વરસ્યો હતો. ગુજરાતમાં પસાર થયેલું વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું હતું. મહત્વનું છે કે આપણાં વાવાઝોડાની ગંભીરતાને જોતા તંત્ર સજ્જ હતું તેમજ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સુરક્ષિત સ્થળ પર લોકોને ખસેડી દેવામાં આવ્યા હતા. વાવાઝોડા દરમિયાન પોલીસ તેમજ એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમે અદ્ભૂત કાર્ય કર્યું હતું. ગુજરાતમાં તો સ્થિતિ સામાન્ય થઈ રહી છે પરંતુ રાજસ્થાનમાં પરિસ્થિતિ વણસી રહી છે.   



હોસ્પિટલમાં ભરાઈ ગયા વરસાદી પાણી!

ગુજરાત જેવી પરિસ્થિતિ રાજસ્થાનમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે બાડમેર જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે જેને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગે. ત્યારે વાવાઝોડાને કારણે થયેલા વરસાદને કારણે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર અજમેર શહેરની હોસ્પિટલમાં અંદર પાણી ઘૂસી ગયું હતું. જેને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.