ગુજરાત બાદ રાજસ્થાનમાં બિપોરજોયે સર્જી તારાજી! રાજસ્થાનની હોસ્પિટલમાં ભરાયા પાણી,ભરાયેલા પાણી વચ્ચે સારવાર કરાવા લોકો મજબૂર!


  • Published By :
  • Published Date : 2023-06-19 09:23:19

ગુજરાતમાંથી પસાર થઈ બિપોરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. તેજ હવા તેમજ વરસાદને કારણે અનેક જગ્યાઓથી નુકસાનીની તસવીરો સામે આવી છે. અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે તો અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની ગંભીર અસર રાજસ્થાનમાં જોવા મળી રહી છે. ત્યાં પણ અનેક જગ્યાઓ પર ધોધરમાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનથી એવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે. ભરાયેલા પાણી વચ્ચે સારવાર કરાવા લોકો મજબૂર બન્યા છે.

  


ગુજરાતમાં પણ બિપોરજોયનો જોવા મળ્યો હતો કહેર!

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું બિપોરજોય વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે. ગુજરાતથી બિપોરજોય પસાર થઈ ગયું. ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદ પણ વરસ્યો હતો. ગુજરાતમાં પસાર થયેલું વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું હતું. મહત્વનું છે કે આપણાં વાવાઝોડાની ગંભીરતાને જોતા તંત્ર સજ્જ હતું તેમજ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સુરક્ષિત સ્થળ પર લોકોને ખસેડી દેવામાં આવ્યા હતા. વાવાઝોડા દરમિયાન પોલીસ તેમજ એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમે અદ્ભૂત કાર્ય કર્યું હતું. ગુજરાતમાં તો સ્થિતિ સામાન્ય થઈ રહી છે પરંતુ રાજસ્થાનમાં પરિસ્થિતિ વણસી રહી છે.   



હોસ્પિટલમાં ભરાઈ ગયા વરસાદી પાણી!

ગુજરાત જેવી પરિસ્થિતિ રાજસ્થાનમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે બાડમેર જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે જેને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગે. ત્યારે વાવાઝોડાને કારણે થયેલા વરસાદને કારણે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર અજમેર શહેરની હોસ્પિટલમાં અંદર પાણી ઘૂસી ગયું હતું. જેને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.