ગુજરાત બાદ રાજસ્થાનમાં બિપોરજોયે સર્જી તારાજી! રાજસ્થાનની હોસ્પિટલમાં ભરાયા પાણી,ભરાયેલા પાણી વચ્ચે સારવાર કરાવા લોકો મજબૂર!


  • Published By :
  • Published Date : 2023-06-19 09:23:19

ગુજરાતમાંથી પસાર થઈ બિપોરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. તેજ હવા તેમજ વરસાદને કારણે અનેક જગ્યાઓથી નુકસાનીની તસવીરો સામે આવી છે. અનેક લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે તો અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની ગંભીર અસર રાજસ્થાનમાં જોવા મળી રહી છે. ત્યાં પણ અનેક જગ્યાઓ પર ધોધરમાર વરસાદ વરસી રહ્યો છે. રાજસ્થાનથી એવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે. ભરાયેલા પાણી વચ્ચે સારવાર કરાવા લોકો મજબૂર બન્યા છે.

  


ગુજરાતમાં પણ બિપોરજોયનો જોવા મળ્યો હતો કહેર!

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું બિપોરજોય વાવાઝોડું દેશના અનેક રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે. ગુજરાતથી બિપોરજોય પસાર થઈ ગયું. ચક્રવાતને કારણે અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદ પણ વરસ્યો હતો. ગુજરાતમાં પસાર થયેલું વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું હતું. મહત્વનું છે કે આપણાં વાવાઝોડાની ગંભીરતાને જોતા તંત્ર સજ્જ હતું તેમજ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સુરક્ષિત સ્થળ પર લોકોને ખસેડી દેવામાં આવ્યા હતા. વાવાઝોડા દરમિયાન પોલીસ તેમજ એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમે અદ્ભૂત કાર્ય કર્યું હતું. ગુજરાતમાં તો સ્થિતિ સામાન્ય થઈ રહી છે પરંતુ રાજસ્થાનમાં પરિસ્થિતિ વણસી રહી છે.   



હોસ્પિટલમાં ભરાઈ ગયા વરસાદી પાણી!

ગુજરાત જેવી પરિસ્થિતિ રાજસ્થાનમાં જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાને કારણે બાડમેર જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે જેને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગે. ત્યારે વાવાઝોડાને કારણે થયેલા વરસાદને કારણે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર અજમેર શહેરની હોસ્પિટલમાં અંદર પાણી ઘૂસી ગયું હતું. જેને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.