ભારત બાદ આ દેશમાં શરૂ થયો આદિપુરૂષને લઈ વિવાદ! ફિલ્મના ડાયલોગને લઈ ફિલ્મ પર મૂકાયો પ્રતિબંધ! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-19 20:00:48

આદિપુરૂષ ફિલ્મને લઈ વિવાદ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર આવ્યું હતું ત્યારથી વિવાદો શરૂ થઈ ગયા હતા. વીએફએક્સને લઈ તેમજ ભગવાન રામના સીનને લઈ અનેક વિવાદો છેડાયા હતા. વધતા વિવાદને લઈ ફિલ્મમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. ત્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ પણ વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહી. ડાયલોગને લઈ નવો વિવાદ છેડાયો છે ત્યારે ફિલ્મ પર બેન કરવામાં આવે તેવી માગ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે થિયેટરોમાં શો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુંબઈના નાલાસોપારામાં એક હિંદુ સંગઠનના સભ્યો થિયેટરમાં પહોંચી ગયા હતા અને દર્શકોને બહાર જવા માટે કહ્યું હતું. જ્યારે દર્શકોને બહાર જવા માટે કહ્યું ત્યારે બોલાચાલી પણ થઈ હતી. બોલાચાલી વધારે થતાં શોને કેન્સલ કરવો પડ્યો હતો.

 

હિંદુ સંગઠને નોંધાવ્યો વિરોધ!

પ્રભાસ અને ક્રિતી સેનનની  ફિલ્મ આદિપુરૂષને લઈ વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક એવા વિવાદો છે જેમાં ફિલ્મ સપડાઈ છે ત્યારે હવે ડાયલોગ તેમજ અનેક સીનને લઈ લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. હનુમાનજીના ડાયલોગથી લોકોની લાગણી દુભાઈ છે તેવું તેમનું કહેવું છે જ્યારે રાવણનું પાત્ર સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યું છે. ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરે કહ્યું કે તેમણે જાણી જોઈને આવા ડાયલોગ લખ્યાં છે. વધતા વિવાદને લઈ ડાયલોગને બદલવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. અનેક હિંદુ સંગઠન દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુંબઈથી સમાચાર સામે આવ્યા કે સિનેમાઘરોમાં જઈ હિંદુ સંગઠનનોએ દર્શકોને બહાર કાઢ્યા હતા. જેને લઈ દર્શકો તેમજ સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. વધતા વિવાદને લઈ શોને કેન્સલ કરવામાં આવ્યો હતો. તે સિવાય છત્તીસગઢમાં પણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં રેલી નીકાળવામાં આવી હતી. 



કાઠમાંડુમાં નહીં બતાવાય આદિપુરૂષ ફિલ્મ!

આદિપૂરુષ ફિલ્મનો વિરોધ ન માત્ર ભારતમાં થઈ રહ્યો છે પરંતુ નેપાળમાં પણ આ ફિલ્મનો વિરોધ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર નેપાળમાં કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આદિપૂરૂષ ન બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નેપાળ સેન્સર બોર્ડે કારણ દર્શાવતા કહ્યું કે ફિલ્મમાં સીતાજીને ભારતના પુત્રી દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેમનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો. આ વાતને ધ્યાનમાં રાખી કાઠમંડુના મેયરે રવિવારથી જ શહેરમાં હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મહત્વનું છે કે આટલા વિવાદો વચ્ચે પણ વર્લ્ડ વાઈડ ફિલ્મે 300 કરોડથી પણ વધારે કમાણી કરી છે.                        

   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.