ભારત બાદ આ દેશમાં શરૂ થયો આદિપુરૂષને લઈ વિવાદ! ફિલ્મના ડાયલોગને લઈ ફિલ્મ પર મૂકાયો પ્રતિબંધ! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-19 20:00:48

આદિપુરૂષ ફિલ્મને લઈ વિવાદ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર આવ્યું હતું ત્યારથી વિવાદો શરૂ થઈ ગયા હતા. વીએફએક્સને લઈ તેમજ ભગવાન રામના સીનને લઈ અનેક વિવાદો છેડાયા હતા. વધતા વિવાદને લઈ ફિલ્મમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. ત્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ પણ વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહી. ડાયલોગને લઈ નવો વિવાદ છેડાયો છે ત્યારે ફિલ્મ પર બેન કરવામાં આવે તેવી માગ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે થિયેટરોમાં શો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુંબઈના નાલાસોપારામાં એક હિંદુ સંગઠનના સભ્યો થિયેટરમાં પહોંચી ગયા હતા અને દર્શકોને બહાર જવા માટે કહ્યું હતું. જ્યારે દર્શકોને બહાર જવા માટે કહ્યું ત્યારે બોલાચાલી પણ થઈ હતી. બોલાચાલી વધારે થતાં શોને કેન્સલ કરવો પડ્યો હતો.

 

હિંદુ સંગઠને નોંધાવ્યો વિરોધ!

પ્રભાસ અને ક્રિતી સેનનની  ફિલ્મ આદિપુરૂષને લઈ વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક એવા વિવાદો છે જેમાં ફિલ્મ સપડાઈ છે ત્યારે હવે ડાયલોગ તેમજ અનેક સીનને લઈ લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. હનુમાનજીના ડાયલોગથી લોકોની લાગણી દુભાઈ છે તેવું તેમનું કહેવું છે જ્યારે રાવણનું પાત્ર સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યું છે. ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરે કહ્યું કે તેમણે જાણી જોઈને આવા ડાયલોગ લખ્યાં છે. વધતા વિવાદને લઈ ડાયલોગને બદલવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. અનેક હિંદુ સંગઠન દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુંબઈથી સમાચાર સામે આવ્યા કે સિનેમાઘરોમાં જઈ હિંદુ સંગઠનનોએ દર્શકોને બહાર કાઢ્યા હતા. જેને લઈ દર્શકો તેમજ સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. વધતા વિવાદને લઈ શોને કેન્સલ કરવામાં આવ્યો હતો. તે સિવાય છત્તીસગઢમાં પણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં રેલી નીકાળવામાં આવી હતી. 



કાઠમાંડુમાં નહીં બતાવાય આદિપુરૂષ ફિલ્મ!

આદિપૂરુષ ફિલ્મનો વિરોધ ન માત્ર ભારતમાં થઈ રહ્યો છે પરંતુ નેપાળમાં પણ આ ફિલ્મનો વિરોધ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર નેપાળમાં કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આદિપૂરૂષ ન બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નેપાળ સેન્સર બોર્ડે કારણ દર્શાવતા કહ્યું કે ફિલ્મમાં સીતાજીને ભારતના પુત્રી દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેમનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો. આ વાતને ધ્યાનમાં રાખી કાઠમંડુના મેયરે રવિવારથી જ શહેરમાં હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મહત્વનું છે કે આટલા વિવાદો વચ્ચે પણ વર્લ્ડ વાઈડ ફિલ્મે 300 કરોડથી પણ વધારે કમાણી કરી છે.                        

   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી