ભારત બાદ આ દેશમાં શરૂ થયો આદિપુરૂષને લઈ વિવાદ! ફિલ્મના ડાયલોગને લઈ ફિલ્મ પર મૂકાયો પ્રતિબંધ! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-19 20:00:48

આદિપુરૂષ ફિલ્મને લઈ વિવાદ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર આવ્યું હતું ત્યારથી વિવાદો શરૂ થઈ ગયા હતા. વીએફએક્સને લઈ તેમજ ભગવાન રામના સીનને લઈ અનેક વિવાદો છેડાયા હતા. વધતા વિવાદને લઈ ફિલ્મમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. ત્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ પણ વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહી. ડાયલોગને લઈ નવો વિવાદ છેડાયો છે ત્યારે ફિલ્મ પર બેન કરવામાં આવે તેવી માગ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે થિયેટરોમાં શો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુંબઈના નાલાસોપારામાં એક હિંદુ સંગઠનના સભ્યો થિયેટરમાં પહોંચી ગયા હતા અને દર્શકોને બહાર જવા માટે કહ્યું હતું. જ્યારે દર્શકોને બહાર જવા માટે કહ્યું ત્યારે બોલાચાલી પણ થઈ હતી. બોલાચાલી વધારે થતાં શોને કેન્સલ કરવો પડ્યો હતો.

 

હિંદુ સંગઠને નોંધાવ્યો વિરોધ!

પ્રભાસ અને ક્રિતી સેનનની  ફિલ્મ આદિપુરૂષને લઈ વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક એવા વિવાદો છે જેમાં ફિલ્મ સપડાઈ છે ત્યારે હવે ડાયલોગ તેમજ અનેક સીનને લઈ લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. હનુમાનજીના ડાયલોગથી લોકોની લાગણી દુભાઈ છે તેવું તેમનું કહેવું છે જ્યારે રાવણનું પાત્ર સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યું છે. ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરે કહ્યું કે તેમણે જાણી જોઈને આવા ડાયલોગ લખ્યાં છે. વધતા વિવાદને લઈ ડાયલોગને બદલવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. અનેક હિંદુ સંગઠન દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુંબઈથી સમાચાર સામે આવ્યા કે સિનેમાઘરોમાં જઈ હિંદુ સંગઠનનોએ દર્શકોને બહાર કાઢ્યા હતા. જેને લઈ દર્શકો તેમજ સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. વધતા વિવાદને લઈ શોને કેન્સલ કરવામાં આવ્યો હતો. તે સિવાય છત્તીસગઢમાં પણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં રેલી નીકાળવામાં આવી હતી. 



કાઠમાંડુમાં નહીં બતાવાય આદિપુરૂષ ફિલ્મ!

આદિપૂરુષ ફિલ્મનો વિરોધ ન માત્ર ભારતમાં થઈ રહ્યો છે પરંતુ નેપાળમાં પણ આ ફિલ્મનો વિરોધ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર નેપાળમાં કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આદિપૂરૂષ ન બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નેપાળ સેન્સર બોર્ડે કારણ દર્શાવતા કહ્યું કે ફિલ્મમાં સીતાજીને ભારતના પુત્રી દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેમનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો. આ વાતને ધ્યાનમાં રાખી કાઠમંડુના મેયરે રવિવારથી જ શહેરમાં હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મહત્વનું છે કે આટલા વિવાદો વચ્ચે પણ વર્લ્ડ વાઈડ ફિલ્મે 300 કરોડથી પણ વધારે કમાણી કરી છે.                        

   



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.