ભારત બાદ આ દેશમાં શરૂ થયો આદિપુરૂષને લઈ વિવાદ! ફિલ્મના ડાયલોગને લઈ ફિલ્મ પર મૂકાયો પ્રતિબંધ! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-19 20:00:48

આદિપુરૂષ ફિલ્મને લઈ વિવાદ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર આવ્યું હતું ત્યારથી વિવાદો શરૂ થઈ ગયા હતા. વીએફએક્સને લઈ તેમજ ભગવાન રામના સીનને લઈ અનેક વિવાદો છેડાયા હતા. વધતા વિવાદને લઈ ફિલ્મમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. ત્યારે ફિલ્મ રિલીઝ થયા બાદ પણ વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહી. ડાયલોગને લઈ નવો વિવાદ છેડાયો છે ત્યારે ફિલ્મ પર બેન કરવામાં આવે તેવી માગ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે થિયેટરોમાં શો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુંબઈના નાલાસોપારામાં એક હિંદુ સંગઠનના સભ્યો થિયેટરમાં પહોંચી ગયા હતા અને દર્શકોને બહાર જવા માટે કહ્યું હતું. જ્યારે દર્શકોને બહાર જવા માટે કહ્યું ત્યારે બોલાચાલી પણ થઈ હતી. બોલાચાલી વધારે થતાં શોને કેન્સલ કરવો પડ્યો હતો.

 

હિંદુ સંગઠને નોંધાવ્યો વિરોધ!

પ્રભાસ અને ક્રિતી સેનનની  ફિલ્મ આદિપુરૂષને લઈ વિરોધ શરૂ થઈ ગયો છે. અનેક એવા વિવાદો છે જેમાં ફિલ્મ સપડાઈ છે ત્યારે હવે ડાયલોગ તેમજ અનેક સીનને લઈ લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. હનુમાનજીના ડાયલોગથી લોકોની લાગણી દુભાઈ છે તેવું તેમનું કહેવું છે જ્યારે રાવણનું પાત્ર સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થઈ રહ્યું છે. ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરે કહ્યું કે તેમણે જાણી જોઈને આવા ડાયલોગ લખ્યાં છે. વધતા વિવાદને લઈ ડાયલોગને બદલવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. અનેક હિંદુ સંગઠન દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુંબઈથી સમાચાર સામે આવ્યા કે સિનેમાઘરોમાં જઈ હિંદુ સંગઠનનોએ દર્શકોને બહાર કાઢ્યા હતા. જેને લઈ દર્શકો તેમજ સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. વધતા વિવાદને લઈ શોને કેન્સલ કરવામાં આવ્યો હતો. તે સિવાય છત્તીસગઢમાં પણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધમાં રેલી નીકાળવામાં આવી હતી. 



કાઠમાંડુમાં નહીં બતાવાય આદિપુરૂષ ફિલ્મ!

આદિપૂરુષ ફિલ્મનો વિરોધ ન માત્ર ભારતમાં થઈ રહ્યો છે પરંતુ નેપાળમાં પણ આ ફિલ્મનો વિરોધ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર નેપાળમાં કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આદિપૂરૂષ ન બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નેપાળ સેન્સર બોર્ડે કારણ દર્શાવતા કહ્યું કે ફિલ્મમાં સીતાજીને ભારતના પુત્રી દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તેમનો જન્મ નેપાળના જનકપુરમાં થયો હતો. આ વાતને ધ્યાનમાં રાખી કાઠમંડુના મેયરે રવિવારથી જ શહેરમાં હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મહત્વનું છે કે આટલા વિવાદો વચ્ચે પણ વર્લ્ડ વાઈડ ફિલ્મે 300 કરોડથી પણ વધારે કમાણી કરી છે.                        

   



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.