કિરણ પટેલ પછી માર્કેટમાં નવો ઠગ, IAS બનીને લોકોને ઠગતો!


  • Published By : Payal rathod
  • Published Date : 2023-06-01 16:59:39


આજકાલ જાણે માર્કેટમાં ઠગ લોકોની લાઇન લાગી છે જ્યાં જુવો થયા એકથી એક મોટા ઠગ છે. તમને કિરણભાઈ પટેલનો કિસ્સો યાદ હશે. ભાઈએ માત્ર જમ્મુ અને કાશ્મીરમાં z સેકયોરિટી જ નહીં લીધી  તે સભાઓમાં પણ જતો હતો . આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના પુણેમાં સામે આવ્યો છે.


કઈ રીતે પકડાયો ઠગ?

હવે માર્કેટમાં એક એવો ઠગ આવ્યો છે જે પોતાને IAS ગણાવે છે એ ને કહેતો હતો કે તે PMOમાં ઈંટાલિઝન્સનું કામ જુએ છે. હાલ એ તપાસ કરવામાં આવી રહી છે તે ઠગ નું નામ છે વાસુદેવ નિવૃત્તિ તાયડે તે માત્ર તે PMOમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે જ નહીં , પરંતુ ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હતા. આ બધા માટે તેમણે એક નવું નામ આપ્યું હતું - ડૉ. વિનય દેવ. પછી એક કાર્યક્રમમાં આ ભાઈની પોલ ખૂલી ગઈ વાર્તા એવી છે કે બોર્ડરલેસ વર્લ્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાએ 29મી મેના રોજ પૂણેના ઓંધમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં એક સેવાભાવી પહેલ હેઠળ એમ્બ્યુલન્સ જમ્મુ-કાશ્મીર મોકલવાની હતી. નકલી IAS ઓફિસર પણ ડૉ.વિનય દેવના રૂપમાં ત્યાં આવ્યા હતા. પરંતુ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને તેના દાવાઓ શંકાસ્પદ જણાયા અને પોલીસને જાણ કરી.


સપનું તૂટીયું તો ઠગ બન્યો!

તાયડે એક સમયે  યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી હતી. ઘણા પ્રયત્નો પણ કર્યા. પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. તેણે ક્યારે ફ્રોડ  શરૂ કર્યું, તે હવે તપાસનો વિષય છે. પરંતુ 23 વર્ષ પહેલા તે આવું જ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2000માં તાવડે ધુલે જિલ્લામાં સરકારી અધિકારી તરીકે ફરતો હતો. ત્યારબાદ પોલીસે છેતરપિંડીનો ગુનો પણ દાખલ કર્યો હતો. બાદમાં તે ધુલે છોડીને પુણે આવ્યો હતો.તાયડે પર ફ્રોડ સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેના જૂના રેકોર્ડની તપાસ શરૂ કરી છે, જેથી જાણી શકાય કે તેણે કોની સાથે ફ્રોડ કર્યો છે.



ક્રાઇમ બ્રાન્ચનું નિવેદન 

પુણે સિટી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 1 એ તાયડેને શોધી કાઢ્યો, તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરી.અને એક અહેવાલ મુજબ ક્રાઇમ બ્રાન્ચ ડેપ્યુટી કમિશનર નિવેદન આપ્યું છે કે 

"'પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદ IAS ઓફિસર તરીકે ફરતો હતો. તેમની પાસેથી કેટલાક બિલ મળ્યા છે, જેના પર 'ડૉ. વિનય દેવ' નામ લખેલું છે. તે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતો હતો અને પોતાને IAS અધિકારી તરીકે રજૂ કરતો હતો. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેણે પોતાની ઓળખ ખોટી રીતે રજૂ કરીને અન્ય લોકો કે સંસ્થાઓ સાથે છેતરપિંડી કરી છે."






એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .