કિરણ પટેલ પછી માર્કેટમાં નવો ઠગ, IAS બનીને લોકોને ઠગતો!


  • Published By : Payal rathod
  • Published Date : 2023-06-01 16:59:39


આજકાલ જાણે માર્કેટમાં ઠગ લોકોની લાઇન લાગી છે જ્યાં જુવો થયા એકથી એક મોટા ઠગ છે. તમને કિરણભાઈ પટેલનો કિસ્સો યાદ હશે. ભાઈએ માત્ર જમ્મુ અને કાશ્મીરમાં z સેકયોરિટી જ નહીં લીધી  તે સભાઓમાં પણ જતો હતો . આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના પુણેમાં સામે આવ્યો છે.


કઈ રીતે પકડાયો ઠગ?

હવે માર્કેટમાં એક એવો ઠગ આવ્યો છે જે પોતાને IAS ગણાવે છે એ ને કહેતો હતો કે તે PMOમાં ઈંટાલિઝન્સનું કામ જુએ છે. હાલ એ તપાસ કરવામાં આવી રહી છે તે ઠગ નું નામ છે વાસુદેવ નિવૃત્તિ તાયડે તે માત્ર તે PMOમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે જ નહીં , પરંતુ ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેતા હતા. આ બધા માટે તેમણે એક નવું નામ આપ્યું હતું - ડૉ. વિનય દેવ. પછી એક કાર્યક્રમમાં આ ભાઈની પોલ ખૂલી ગઈ વાર્તા એવી છે કે બોર્ડરલેસ વર્લ્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાએ 29મી મેના રોજ પૂણેના ઓંધમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં એક સેવાભાવી પહેલ હેઠળ એમ્બ્યુલન્સ જમ્મુ-કાશ્મીર મોકલવાની હતી. નકલી IAS ઓફિસર પણ ડૉ.વિનય દેવના રૂપમાં ત્યાં આવ્યા હતા. પરંતુ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને તેના દાવાઓ શંકાસ્પદ જણાયા અને પોલીસને જાણ કરી.


સપનું તૂટીયું તો ઠગ બન્યો!

તાયડે એક સમયે  યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી હતી. ઘણા પ્રયત્નો પણ કર્યા. પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. તેણે ક્યારે ફ્રોડ  શરૂ કર્યું, તે હવે તપાસનો વિષય છે. પરંતુ 23 વર્ષ પહેલા તે આવું જ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2000માં તાવડે ધુલે જિલ્લામાં સરકારી અધિકારી તરીકે ફરતો હતો. ત્યારબાદ પોલીસે છેતરપિંડીનો ગુનો પણ દાખલ કર્યો હતો. બાદમાં તે ધુલે છોડીને પુણે આવ્યો હતો.તાયડે પર ફ્રોડ સંબંધિત ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેના જૂના રેકોર્ડની તપાસ શરૂ કરી છે, જેથી જાણી શકાય કે તેણે કોની સાથે ફ્રોડ કર્યો છે.



ક્રાઇમ બ્રાન્ચનું નિવેદન 

પુણે સિટી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 1 એ તાયડેને શોધી કાઢ્યો, તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરી.અને એક અહેવાલ મુજબ ક્રાઇમ બ્રાન્ચ ડેપ્યુટી કમિશનર નિવેદન આપ્યું છે કે 

"'પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે શંકાસ્પદ IAS ઓફિસર તરીકે ફરતો હતો. તેમની પાસેથી કેટલાક બિલ મળ્યા છે, જેના પર 'ડૉ. વિનય દેવ' નામ લખેલું છે. તે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતો હતો અને પોતાને IAS અધિકારી તરીકે રજૂ કરતો હતો. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેણે પોતાની ઓળખ ખોટી રીતે રજૂ કરીને અન્ય લોકો કે સંસ્થાઓ સાથે છેતરપિંડી કરી છે."






પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.