આખરે ૧૨ વર્ષ પછી પીએમ મોદી RSSના દ્વારે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-30 10:45:13

દુનિયાનો કોઈ પણ રાજકીય પક્ષ હોય તેને સંગઠન વગર ના ચાલે . સંગઠનએ કોઈ પણ રાજકીય પક્ષનું હૃદય છે . વાત કરીએ વર્તમાનમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની તો તેનું હૃદય છે RSS એટલેકે , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ . આજે ખુબ લાંબા સમય બાદ પીએમ મોદી નાગપુર પહોંચ્યા છે . તો આવો જાણીએ નાગપુરમાં શું છે પીએમ મોદીનો કાર્યક્રમ સાથે જ  પીએમ મોદી ક્યા ક્યા મહત્વના પ્રોજેક્ટની આધારશિલા રાખવાના છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાગપુર પહોંચી ચુક્યા છે. નાગપુરમાં પીએમ મોદી આરએસએસના મુખ્યાલય કેશવ કુંજની મુલાકાત લેવાના છે. આ મુલાકાત મહત્વની મનાય છે કેમ કે , આજે મરાઠા નવ વર્ષ ગૂડી પડવો છે સાથે જ હિન્દૂ નવ વર્ષને લઇને સંઘના પ્રતિપદાના કાર્યક્રમનું આયોજન કરેલું છે .  વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ ૧૨ પછી આરએસએસના નાગપુર સ્થિત કાર્યાલયમાં જઈ રહ્યા છે. અહીં પીએમ મોદી સંઘના સ્થાપક કેશવ હેડગેવારને અને બીજા સરસંઘચાલક ગોલવરકરને   શ્રદ્ધાંજલિ આપશે. આ પછી પીએમ મોદી દીક્ષા ભૂમિની મુલાકાતે જશે જ્યાં ડો બાબાસાહેબ આંબેડકરે વર્ષ ૧૯૫૬માં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.  

Narendra Modi | The Caravan

આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરમાં કેટલાક મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે . આ કાર્યક્રમ અંતર્ગત સોલાર ડિફેન્સ અને એરોસ્પેસ લિમિટેડની મુલાકાત લેશે . અહીં તેઓ અનમેન્ડ  એરિયલ વેહિકલ એટલેકે , ડ્રોન માટે જે ૧૨૫૦ મીટર લાંબો અને ૨૫ મીટર પહોળો જે રનવે બનાવવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન કરશે . આ પછી પીએમ મોદી માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરની આધારશિલા રાખશે . તે પછી પીએમ મોદી છત્તીસગઢના બિલાસપુર જવા રવાના થઈ જશે. વાત કરીએ નાગપુરની તો ત્યાં થોડા દિવસ પેહલા ધાર્મિક તણાવ વધી ગયો હતો . તેના કારણે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ કસર ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વાત કરીએ બીજેપી અને આરએસએસની , ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષની નિમણુંક લાંબા સમયથી બાકી છે. સાથે જ બીજા મહત્વપૂર્ણ રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણૂકને લઇને આ પીએમ મોદીની આ નાગપુર મુલાકાત મહત્વની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અગાઉ , ૨૦૧૨માં પૂર્વ સંઘચાલક કે એસ સુદર્શનના નિધન પર નાગપુર ગયા હતા આ પછી જુલાઈ , ૨૦૧૩માં ૨૦૧૪ લોકસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે નાગપુર આવ્યા હતા . આ પછી હવે ખુબ લાંબા સમયબાદ પીએમ મોદી નાગપુર આવ્યા છે . આ વિષય પર જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.