આખરે ૧૨ વર્ષ પછી પીએમ મોદી RSSના દ્વારે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-30 10:45:13

દુનિયાનો કોઈ પણ રાજકીય પક્ષ હોય તેને સંગઠન વગર ના ચાલે . સંગઠનએ કોઈ પણ રાજકીય પક્ષનું હૃદય છે . વાત કરીએ વર્તમાનમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની તો તેનું હૃદય છે RSS એટલેકે , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ . આજે ખુબ લાંબા સમય બાદ પીએમ મોદી નાગપુર પહોંચ્યા છે . તો આવો જાણીએ નાગપુરમાં શું છે પીએમ મોદીનો કાર્યક્રમ સાથે જ  પીએમ મોદી ક્યા ક્યા મહત્વના પ્રોજેક્ટની આધારશિલા રાખવાના છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાગપુર પહોંચી ચુક્યા છે. નાગપુરમાં પીએમ મોદી આરએસએસના મુખ્યાલય કેશવ કુંજની મુલાકાત લેવાના છે. આ મુલાકાત મહત્વની મનાય છે કેમ કે , આજે મરાઠા નવ વર્ષ ગૂડી પડવો છે સાથે જ હિન્દૂ નવ વર્ષને લઇને સંઘના પ્રતિપદાના કાર્યક્રમનું આયોજન કરેલું છે .  વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ ૧૨ પછી આરએસએસના નાગપુર સ્થિત કાર્યાલયમાં જઈ રહ્યા છે. અહીં પીએમ મોદી સંઘના સ્થાપક કેશવ હેડગેવારને અને બીજા સરસંઘચાલક ગોલવરકરને   શ્રદ્ધાંજલિ આપશે. આ પછી પીએમ મોદી દીક્ષા ભૂમિની મુલાકાતે જશે જ્યાં ડો બાબાસાહેબ આંબેડકરે વર્ષ ૧૯૫૬માં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.  

Narendra Modi | The Caravan

આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરમાં કેટલાક મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે . આ કાર્યક્રમ અંતર્ગત સોલાર ડિફેન્સ અને એરોસ્પેસ લિમિટેડની મુલાકાત લેશે . અહીં તેઓ અનમેન્ડ  એરિયલ વેહિકલ એટલેકે , ડ્રોન માટે જે ૧૨૫૦ મીટર લાંબો અને ૨૫ મીટર પહોળો જે રનવે બનાવવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન કરશે . આ પછી પીએમ મોદી માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરની આધારશિલા રાખશે . તે પછી પીએમ મોદી છત્તીસગઢના બિલાસપુર જવા રવાના થઈ જશે. વાત કરીએ નાગપુરની તો ત્યાં થોડા દિવસ પેહલા ધાર્મિક તણાવ વધી ગયો હતો . તેના કારણે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ કસર ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વાત કરીએ બીજેપી અને આરએસએસની , ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષની નિમણુંક લાંબા સમયથી બાકી છે. સાથે જ બીજા મહત્વપૂર્ણ રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણૂકને લઇને આ પીએમ મોદીની આ નાગપુર મુલાકાત મહત્વની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અગાઉ , ૨૦૧૨માં પૂર્વ સંઘચાલક કે એસ સુદર્શનના નિધન પર નાગપુર ગયા હતા આ પછી જુલાઈ , ૨૦૧૩માં ૨૦૧૪ લોકસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે નાગપુર આવ્યા હતા . આ પછી હવે ખુબ લાંબા સમયબાદ પીએમ મોદી નાગપુર આવ્યા છે . આ વિષય પર જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .