આખરે ૧૨ વર્ષ પછી પીએમ મોદી RSSના દ્વારે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-30 10:45:13

દુનિયાનો કોઈ પણ રાજકીય પક્ષ હોય તેને સંગઠન વગર ના ચાલે . સંગઠનએ કોઈ પણ રાજકીય પક્ષનું હૃદય છે . વાત કરીએ વર્તમાનમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની તો તેનું હૃદય છે RSS એટલેકે , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ . આજે ખુબ લાંબા સમય બાદ પીએમ મોદી નાગપુર પહોંચ્યા છે . તો આવો જાણીએ નાગપુરમાં શું છે પીએમ મોદીનો કાર્યક્રમ સાથે જ  પીએમ મોદી ક્યા ક્યા મહત્વના પ્રોજેક્ટની આધારશિલા રાખવાના છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાગપુર પહોંચી ચુક્યા છે. નાગપુરમાં પીએમ મોદી આરએસએસના મુખ્યાલય કેશવ કુંજની મુલાકાત લેવાના છે. આ મુલાકાત મહત્વની મનાય છે કેમ કે , આજે મરાઠા નવ વર્ષ ગૂડી પડવો છે સાથે જ હિન્દૂ નવ વર્ષને લઇને સંઘના પ્રતિપદાના કાર્યક્રમનું આયોજન કરેલું છે .  વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ ૧૨ પછી આરએસએસના નાગપુર સ્થિત કાર્યાલયમાં જઈ રહ્યા છે. અહીં પીએમ મોદી સંઘના સ્થાપક કેશવ હેડગેવારને અને બીજા સરસંઘચાલક ગોલવરકરને   શ્રદ્ધાંજલિ આપશે. આ પછી પીએમ મોદી દીક્ષા ભૂમિની મુલાકાતે જશે જ્યાં ડો બાબાસાહેબ આંબેડકરે વર્ષ ૧૯૫૬માં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી.  

Narendra Modi | The Caravan

આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરમાં કેટલાક મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે . આ કાર્યક્રમ અંતર્ગત સોલાર ડિફેન્સ અને એરોસ્પેસ લિમિટેડની મુલાકાત લેશે . અહીં તેઓ અનમેન્ડ  એરિયલ વેહિકલ એટલેકે , ડ્રોન માટે જે ૧૨૫૦ મીટર લાંબો અને ૨૫ મીટર પહોળો જે રનવે બનાવવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન કરશે . આ પછી પીએમ મોદી માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરની આધારશિલા રાખશે . તે પછી પીએમ મોદી છત્તીસગઢના બિલાસપુર જવા રવાના થઈ જશે. વાત કરીએ નાગપુરની તો ત્યાં થોડા દિવસ પેહલા ધાર્મિક તણાવ વધી ગયો હતો . તેના કારણે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ કસર ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વાત કરીએ બીજેપી અને આરએસએસની , ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષની નિમણુંક લાંબા સમયથી બાકી છે. સાથે જ બીજા મહત્વપૂર્ણ રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણૂકને લઇને આ પીએમ મોદીની આ નાગપુર મુલાકાત મહત્વની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અગાઉ , ૨૦૧૨માં પૂર્વ સંઘચાલક કે એસ સુદર્શનના નિધન પર નાગપુર ગયા હતા આ પછી જુલાઈ , ૨૦૧૩માં ૨૦૧૪ લોકસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે નાગપુર આવ્યા હતા . આ પછી હવે ખુબ લાંબા સમયબાદ પીએમ મોદી નાગપુર આવ્યા છે . આ વિષય પર જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. 



ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .