ઓપ.સિંદૂર પછી પીએમ મોદી કાશ્મીરમાં , રાહુલ ગાંધી બિહારમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-06 13:51:17

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે જયારે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની મુલાકાતે છે . આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે .  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં મહત્વના ઇન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું અનાવરણ કરવાના છે . તો આવો જાણીએ બેઉ નેતાઓની મુલાકાત વિશે. 

Narendra Modi in Srinagar today: PM to address J&K assembly election rally,  30,000 expected to gather | Latest News India - Hindustan Times

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પેહલીવાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે . જ્યાં તેમણે ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો છે. જે અંતર્ગત પીએમ મોદીએ બે બ્રિજનું લોકાર્પણ કર્યું છે એક છે ચિનાબ રેલવે બ્રિજ અને બીજો છે કેબલ સ્ટેડ રેલ બ્રિજ જે ચિનાબની શાખા નદી આંજી નદી પર બનાવવામાં આવ્યો છે. વાત કરીએ ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક પ્રોજેક્ટની તો , જેની લંબાઈ ૨૭૨ કિલોમીટર છે , સંપૂર્ણ ઇલેક્ટ્રિફાઇડ પ્રોજેક્ટ છે જે અંતર્ગત ૩૬ ટનલ અને ૯૪૩ બ્રિજ બનાવવામાં આવ્યા છે . આ ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક  પ્રોજેક્ટ  ૪૩,૭૮૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.  હવે વાત વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ બ્રિજની તો , તેની ઊંચાઈ એફિલ ટાવર કરતા પણ ખુબ વધારે છે. જે ૩૫૯ મીટરની ઊંચાઈ પર આવેલો છે . આ ઓલ વેધર બ્રિજ છે , જે બ્લાસ્ટ રેસીટેનન્ટ સ્ટીલ અને કોન્ક્રીટથી બનાવવામાં આવ્યો છે . આ રેલ બ્રિજ એક ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાં છે જે ભૂકંપના ઝટકા પણ સહન કરી શકે છે. કાશ્મીર ઘાટીને ભારતના બીજા હિસ્સા સાથે રેલથી જોડાવાની પ્રપોઝલ ૧૯૭૦ના દાયકામાં તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધી વખતે આવી હતી , તે પછી ૧૯૯૪માં તત્કાલીન પીએમ PV નરસિમ્હા રાઓના કાર્યકાળમાં તેને મંજૂરી આપવામાં આવી , ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયી વખતે તેનું કંશક્ટ્રક્શન કામ શરુ થયું , જેમાં જમીન સંપાદન માટે મંજૂરી આપવામાં આવી . પીએમ મોદીએ આજે માતા વૈષ્ણવ દેવી મંદિરથી શ્રીનગરને જોડતી વંદે ભારત ટ્રેનોને પણ મંજૂરી આપશે .

Rahul Gandhi Bihar Visit define role of congress party in patna Rahul  Gandhi Bihar Visit: बिहार में कांग्रेस पार्टी का क्या है रोल, राहुल गांधी  ने पटना में समझाया, Bihar Hindi News -

 વાત કરીએ લોકસભાની બેઠકોની દ્રષ્ટિએ દેશના ત્રીજા નંબરના સૌથી મોટા રાજ્ય બિહારની , લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની મુલાકાતે છે . બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ છે . જ્યાં તેમણે દશરથ માંઝી મેમોરીયલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીને , દશરથ માંઝીના પરિવાર સાથે મુલાકાત કરી છે. આ પછી બિહારના રાજગીર ઇન્ટરનેશનલ કન્વેનશન સેન્ટર ખાતે સંવિધાન સંમેલનને સંબોધિત કર્યું છે. તે પછી બિહારના ગયા ખાતે રાહુલ ગાંધી મહિલા સંવાદ કરશે અને આ પછી બોધ ગયા ખાતે મહાબોધી વિહારમાં દર્શન કરશે. બિહારમાં કોંગ્રેસની નજર JDU ના EBC વોટ્સ અને કુલ વસ્તીના ૨૦ ટકા એવા દલિત વોટ પર છે .  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.