ઓપ.સિંદૂર પછી પીએમ મોદી કાશ્મીરમાં , રાહુલ ગાંધી બિહારમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-06 13:51:17

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે જયારે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની મુલાકાતે છે . આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે .  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં મહત્વના ઇન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું અનાવરણ કરવાના છે . તો આવો જાણીએ બેઉ નેતાઓની મુલાકાત વિશે. 

Narendra Modi in Srinagar today: PM to address J&K assembly election rally,  30,000 expected to gather | Latest News India - Hindustan Times

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પેહલીવાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે . જ્યાં તેમણે ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો છે. જે અંતર્ગત પીએમ મોદીએ બે બ્રિજનું લોકાર્પણ કર્યું છે એક છે ચિનાબ રેલવે બ્રિજ અને બીજો છે કેબલ સ્ટેડ રેલ બ્રિજ જે ચિનાબની શાખા નદી આંજી નદી પર બનાવવામાં આવ્યો છે. વાત કરીએ ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક પ્રોજેક્ટની તો , જેની લંબાઈ ૨૭૨ કિલોમીટર છે , સંપૂર્ણ ઇલેક્ટ્રિફાઇડ પ્રોજેક્ટ છે જે અંતર્ગત ૩૬ ટનલ અને ૯૪૩ બ્રિજ બનાવવામાં આવ્યા છે . આ ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક  પ્રોજેક્ટ  ૪૩,૭૮૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.  હવે વાત વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ બ્રિજની તો , તેની ઊંચાઈ એફિલ ટાવર કરતા પણ ખુબ વધારે છે. જે ૩૫૯ મીટરની ઊંચાઈ પર આવેલો છે . આ ઓલ વેધર બ્રિજ છે , જે બ્લાસ્ટ રેસીટેનન્ટ સ્ટીલ અને કોન્ક્રીટથી બનાવવામાં આવ્યો છે . આ રેલ બ્રિજ એક ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાં છે જે ભૂકંપના ઝટકા પણ સહન કરી શકે છે. કાશ્મીર ઘાટીને ભારતના બીજા હિસ્સા સાથે રેલથી જોડાવાની પ્રપોઝલ ૧૯૭૦ના દાયકામાં તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધી વખતે આવી હતી , તે પછી ૧૯૯૪માં તત્કાલીન પીએમ PV નરસિમ્હા રાઓના કાર્યકાળમાં તેને મંજૂરી આપવામાં આવી , ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયી વખતે તેનું કંશક્ટ્રક્શન કામ શરુ થયું , જેમાં જમીન સંપાદન માટે મંજૂરી આપવામાં આવી . પીએમ મોદીએ આજે માતા વૈષ્ણવ દેવી મંદિરથી શ્રીનગરને જોડતી વંદે ભારત ટ્રેનોને પણ મંજૂરી આપશે .

Rahul Gandhi Bihar Visit define role of congress party in patna Rahul  Gandhi Bihar Visit: बिहार में कांग्रेस पार्टी का क्या है रोल, राहुल गांधी  ने पटना में समझाया, Bihar Hindi News -

 વાત કરીએ લોકસભાની બેઠકોની દ્રષ્ટિએ દેશના ત્રીજા નંબરના સૌથી મોટા રાજ્ય બિહારની , લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની મુલાકાતે છે . બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ છે . જ્યાં તેમણે દશરથ માંઝી મેમોરીયલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીને , દશરથ માંઝીના પરિવાર સાથે મુલાકાત કરી છે. આ પછી બિહારના રાજગીર ઇન્ટરનેશનલ કન્વેનશન સેન્ટર ખાતે સંવિધાન સંમેલનને સંબોધિત કર્યું છે. તે પછી બિહારના ગયા ખાતે રાહુલ ગાંધી મહિલા સંવાદ કરશે અને આ પછી બોધ ગયા ખાતે મહાબોધી વિહારમાં દર્શન કરશે. બિહારમાં કોંગ્રેસની નજર JDU ના EBC વોટ્સ અને કુલ વસ્તીના ૨૦ ટકા એવા દલિત વોટ પર છે .  



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.