વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે જયારે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની મુલાકાતે છે . આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં મહત્વના ઇન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું અનાવરણ કરવાના છે . તો આવો જાણીએ બેઉ નેતાઓની મુલાકાત વિશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પેહલીવાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે . જ્યાં તેમણે ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો છે. જે અંતર્ગત પીએમ મોદીએ બે બ્રિજનું લોકાર્પણ કર્યું છે એક છે ચિનાબ રેલવે બ્રિજ અને બીજો છે કેબલ સ્ટેડ રેલ બ્રિજ જે ચિનાબની શાખા નદી આંજી નદી પર બનાવવામાં આવ્યો છે. વાત કરીએ ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક પ્રોજેક્ટની તો , જેની લંબાઈ ૨૭૨ કિલોમીટર છે , સંપૂર્ણ ઇલેક્ટ્રિફાઇડ પ્રોજેક્ટ છે જે અંતર્ગત ૩૬ ટનલ અને ૯૪૩ બ્રિજ બનાવવામાં આવ્યા છે . આ ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક પ્રોજેક્ટ ૪૩,૭૮૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. હવે વાત વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ બ્રિજની તો , તેની ઊંચાઈ એફિલ ટાવર કરતા પણ ખુબ વધારે છે. જે ૩૫૯ મીટરની ઊંચાઈ પર આવેલો છે . આ ઓલ વેધર બ્રિજ છે , જે બ્લાસ્ટ રેસીટેનન્ટ સ્ટીલ અને કોન્ક્રીટથી બનાવવામાં આવ્યો છે . આ રેલ બ્રિજ એક ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાં છે જે ભૂકંપના ઝટકા પણ સહન કરી શકે છે. કાશ્મીર ઘાટીને ભારતના બીજા હિસ્સા સાથે રેલથી જોડાવાની પ્રપોઝલ ૧૯૭૦ના દાયકામાં તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધી વખતે આવી હતી , તે પછી ૧૯૯૪માં તત્કાલીન પીએમ PV નરસિમ્હા રાઓના કાર્યકાળમાં તેને મંજૂરી આપવામાં આવી , ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયી વખતે તેનું કંશક્ટ્રક્શન કામ શરુ થયું , જેમાં જમીન સંપાદન માટે મંજૂરી આપવામાં આવી . પીએમ મોદીએ આજે માતા વૈષ્ણવ દેવી મંદિરથી શ્રીનગરને જોડતી વંદે ભારત ટ્રેનોને પણ મંજૂરી આપશે .
વાત કરીએ લોકસભાની બેઠકોની દ્રષ્ટિએ દેશના ત્રીજા નંબરના સૌથી મોટા રાજ્ય બિહારની , લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની મુલાકાતે છે . બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ છે . જ્યાં તેમણે દશરથ માંઝી મેમોરીયલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીને , દશરથ માંઝીના પરિવાર સાથે મુલાકાત કરી છે. આ પછી બિહારના રાજગીર ઇન્ટરનેશનલ કન્વેનશન સેન્ટર ખાતે સંવિધાન સંમેલનને સંબોધિત કર્યું છે. તે પછી બિહારના ગયા ખાતે રાહુલ ગાંધી મહિલા સંવાદ કરશે અને આ પછી બોધ ગયા ખાતે મહાબોધી વિહારમાં દર્શન કરશે. બિહારમાં કોંગ્રેસની નજર JDU ના EBC વોટ્સ અને કુલ વસ્તીના ૨૦ ટકા એવા દલિત વોટ પર છે .