ઓપ.સિંદૂર પછી પીએમ મોદી કાશ્મીરમાં , રાહુલ ગાંધી બિહારમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-06 13:51:17

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે જયારે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની મુલાકાતે છે . આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે .  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં મહત્વના ઇન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું અનાવરણ કરવાના છે . તો આવો જાણીએ બેઉ નેતાઓની મુલાકાત વિશે. 

Narendra Modi in Srinagar today: PM to address J&K assembly election rally,  30,000 expected to gather | Latest News India - Hindustan Times

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર પછી પેહલીવાર જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે . જ્યાં તેમણે ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો છે. જે અંતર્ગત પીએમ મોદીએ બે બ્રિજનું લોકાર્પણ કર્યું છે એક છે ચિનાબ રેલવે બ્રિજ અને બીજો છે કેબલ સ્ટેડ રેલ બ્રિજ જે ચિનાબની શાખા નદી આંજી નદી પર બનાવવામાં આવ્યો છે. વાત કરીએ ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક પ્રોજેક્ટની તો , જેની લંબાઈ ૨૭૨ કિલોમીટર છે , સંપૂર્ણ ઇલેક્ટ્રિફાઇડ પ્રોજેક્ટ છે જે અંતર્ગત ૩૬ ટનલ અને ૯૪૩ બ્રિજ બનાવવામાં આવ્યા છે . આ ઉધમપુર - શ્રીનગર - બારામુલ્લાહ રેલ લિંક  પ્રોજેક્ટ  ૪૩,૭૮૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.  હવે વાત વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ બ્રિજની તો , તેની ઊંચાઈ એફિલ ટાવર કરતા પણ ખુબ વધારે છે. જે ૩૫૯ મીટરની ઊંચાઈ પર આવેલો છે . આ ઓલ વેધર બ્રિજ છે , જે બ્લાસ્ટ રેસીટેનન્ટ સ્ટીલ અને કોન્ક્રીટથી બનાવવામાં આવ્યો છે . આ રેલ બ્રિજ એક ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાં છે જે ભૂકંપના ઝટકા પણ સહન કરી શકે છે. કાશ્મીર ઘાટીને ભારતના બીજા હિસ્સા સાથે રેલથી જોડાવાની પ્રપોઝલ ૧૯૭૦ના દાયકામાં તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધી વખતે આવી હતી , તે પછી ૧૯૯૪માં તત્કાલીન પીએમ PV નરસિમ્હા રાઓના કાર્યકાળમાં તેને મંજૂરી આપવામાં આવી , ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયી વખતે તેનું કંશક્ટ્રક્શન કામ શરુ થયું , જેમાં જમીન સંપાદન માટે મંજૂરી આપવામાં આવી . પીએમ મોદીએ આજે માતા વૈષ્ણવ દેવી મંદિરથી શ્રીનગરને જોડતી વંદે ભારત ટ્રેનોને પણ મંજૂરી આપશે .

Rahul Gandhi Bihar Visit define role of congress party in patna Rahul  Gandhi Bihar Visit: बिहार में कांग्रेस पार्टी का क्या है रोल, राहुल गांधी  ने पटना में समझाया, Bihar Hindi News -

 વાત કરીએ લોકસભાની બેઠકોની દ્રષ્ટિએ દેશના ત્રીજા નંબરના સૌથી મોટા રાજ્ય બિહારની , લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની મુલાકાતે છે . બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ છે . જ્યાં તેમણે દશરથ માંઝી મેમોરીયલમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીને , દશરથ માંઝીના પરિવાર સાથે મુલાકાત કરી છે. આ પછી બિહારના રાજગીર ઇન્ટરનેશનલ કન્વેનશન સેન્ટર ખાતે સંવિધાન સંમેલનને સંબોધિત કર્યું છે. તે પછી બિહારના ગયા ખાતે રાહુલ ગાંધી મહિલા સંવાદ કરશે અને આ પછી બોધ ગયા ખાતે મહાબોધી વિહારમાં દર્શન કરશે. બિહારમાં કોંગ્રેસની નજર JDU ના EBC વોટ્સ અને કુલ વસ્તીના ૨૦ ટકા એવા દલિત વોટ પર છે .  



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.