માતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ વડાપ્રધાન મોદીએ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી


  • Published By :
  • Published Date : 2022-12-30 14:43:13

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું સવારે નિધન થયું હતું. માતાનું અવસાન થતા તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા. માતાના અંતિમસંસ્કાર કર્યા બાદ તેઓ પોતાના કાર્યો પર લાગી ગયા હતા. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પશ્ચિમ બંગાળને 7800 કરોડની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. મમતા બેનર્જીએ પણ  હીરાબાના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

 

મમતા બેનર્જીએ કાર્યક્રમને ટૂંકાવવા અપીલ કરી 

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલ પીએમ મોદીએ 7800 કરોડના વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. જે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી જે ટ્રેન હાવડા ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે.મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમને ટુંકાવવાની અપીલ કરી હતી.



ભગવાન પીએમ મોદીને દુખ સહન કરવાની શક્તિ આપે  

મમતા બેનર્જીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી આજનો દિવસ તમારા માટે ખૂબ જ દુખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે. વધુમાં તેમણે કહ્યું કે હું તમને અપીલ કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો.  


અંગત કારણોસર અહીં આવી શક્યો નહીં - પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે આજે માટે તમારા બધાની વચ્ચે આવવું હતું. હું અંગત કારણોસર અહીં આવી શક્યો નથી, હું આ માટે માફી માંગુ છું. આજે મને બંગાળની પવિત્ર ભૂમિને નમન કરવાનો મોતો મળ્યો છે. બંગાળના દરેક કણને આઝાદીનો ઈતિહાસ તેમાં જોડાયેલો છે. જે ભૂમિ પરથી વંદે માતરમનો નારા લગાવવામાં આવ્યો હતો ત્યાંથી વંદે ભારતને લીલી ઝંડી બતાવી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.