માતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ વડાપ્રધાન મોદીએ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-30 14:43:13

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું સવારે નિધન થયું હતું. માતાનું અવસાન થતા તેઓ ગુજરાત આવી પહોંચ્યા હતા. માતાના અંતિમસંસ્કાર કર્યા બાદ તેઓ પોતાના કાર્યો પર લાગી ગયા હતા. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પશ્ચિમ બંગાળને 7800 કરોડની ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. મમતા બેનર્જીએ પણ  હીરાબાના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

 

મમતા બેનર્જીએ કાર્યક્રમને ટૂંકાવવા અપીલ કરી 

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલ પીએમ મોદીએ 7800 કરોડના વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. જે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી જે ટ્રેન હાવડા ન્યૂ જલપાઈગુડી રૂટ પર દોડશે.મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમને ટુંકાવવાની અપીલ કરી હતી.



ભગવાન પીએમ મોદીને દુખ સહન કરવાની શક્તિ આપે  

મમતા બેનર્જીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી આજનો દિવસ તમારા માટે ખૂબ જ દુખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે. વધુમાં તેમણે કહ્યું કે હું તમને અપીલ કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણ કે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો.  


અંગત કારણોસર અહીં આવી શક્યો નહીં - પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે આજે માટે તમારા બધાની વચ્ચે આવવું હતું. હું અંગત કારણોસર અહીં આવી શક્યો નથી, હું આ માટે માફી માંગુ છું. આજે મને બંગાળની પવિત્ર ભૂમિને નમન કરવાનો મોતો મળ્યો છે. બંગાળના દરેક કણને આઝાદીનો ઈતિહાસ તેમાં જોડાયેલો છે. જે ભૂમિ પરથી વંદે માતરમનો નારા લગાવવામાં આવ્યો હતો ત્યાંથી વંદે ભારતને લીલી ઝંડી બતાવી છે. 



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.