અરૂણ ગોયલની વરણી થતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી વરણી અંગેની ફાઈલ માગી


  • Published By :
  • Published Date : 2022-11-24 08:57:15

ચૂંટણી પંચ કમિશ્નર તરીકે અરૂણ ગોયલની નિમણૂંક કરવામાં આવી હતી. ચૂંટણી પંચની નિમણૂંક પ્રકિયાને લઈ કેન્દ્ર સરકાર પાસેથી સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો છે. નિમણૂંકની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની નિમણૂંક કઈ રીતે અને કયા આધારે થઈ તે અંગે સરકાર પાસે ખુલાસો માગ્યો છે. નિમણૂંકને માટે કઈ પ્રક્રિયા અપનાવામાં આવી તેની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવા કોર્ટે જણાવ્યું છે.

શું પત્ની સાથે બળજબરીપૂર્વકના શારીરિક સંબંધોને માની શકાય રેપ? સુપ્રીમ કોર્ટ  હવે કરશે કાયદાની સમિક્ષા I forced physical relationship with wife is equal  to rape or not ...


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માગ્યા જવાબ

પાંચ જજોની બેંચે કહ્યું કે એક બાદ એક સરકારોએ ભારતના ચૂંટણી પંચની સ્વતંત્રતાને સંપૂર્ણ નષ્ટ કરી દીધી છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સૂનાવણી દરમિયાન એક પ્રશ્ન પૂછ્યો હતો અને અરૂણ ગોયલની નિમણૂંક પર સવાલ ઉઠાવ્યો હતો કે ગુરૂવારે ગોયલને વીઆરએસ મળ્યું હતું અને સોમવારે તેઓ ચૂંટણી કમિશ્નર તરીકે તેમની નિયુક્તિ પણ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુનાવણી શરૂ થઈ તેના ત્રણ દિવસની અંદર જ નિમણૂંક કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી નિમણૂંક પદ્ધતિ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. વરણીને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખી કઈ પ્રક્રિયા અપનાવામાં આવી તે અંગે સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

વિપક્ષોએ ભાજપ પર સાધ્યું નિશાન 

આ બધા વચ્ચે મુખ્ય વિપક્ષી દળોએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. વિપક્ષી દળોએ આરોપ મૂક્તા કહ્યું કે ભાજપ સરકાર ચૂંટણી આયોગને કમજોર કરવાનું કામ કરી રહી છે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે