અરૂણ ગોયલની વરણી થતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી વરણી અંગેની ફાઈલ માગી


  • Published By :
  • Published Date : 2022-11-24 08:57:15

ચૂંટણી પંચ કમિશ્નર તરીકે અરૂણ ગોયલની નિમણૂંક કરવામાં આવી હતી. ચૂંટણી પંચની નિમણૂંક પ્રકિયાને લઈ કેન્દ્ર સરકાર પાસેથી સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો છે. નિમણૂંકની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની નિમણૂંક કઈ રીતે અને કયા આધારે થઈ તે અંગે સરકાર પાસે ખુલાસો માગ્યો છે. નિમણૂંકને માટે કઈ પ્રક્રિયા અપનાવામાં આવી તેની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવા કોર્ટે જણાવ્યું છે.

શું પત્ની સાથે બળજબરીપૂર્વકના શારીરિક સંબંધોને માની શકાય રેપ? સુપ્રીમ કોર્ટ  હવે કરશે કાયદાની સમિક્ષા I forced physical relationship with wife is equal  to rape or not ...


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માગ્યા જવાબ

પાંચ જજોની બેંચે કહ્યું કે એક બાદ એક સરકારોએ ભારતના ચૂંટણી પંચની સ્વતંત્રતાને સંપૂર્ણ નષ્ટ કરી દીધી છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સૂનાવણી દરમિયાન એક પ્રશ્ન પૂછ્યો હતો અને અરૂણ ગોયલની નિમણૂંક પર સવાલ ઉઠાવ્યો હતો કે ગુરૂવારે ગોયલને વીઆરએસ મળ્યું હતું અને સોમવારે તેઓ ચૂંટણી કમિશ્નર તરીકે તેમની નિયુક્તિ પણ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુનાવણી શરૂ થઈ તેના ત્રણ દિવસની અંદર જ નિમણૂંક કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી નિમણૂંક પદ્ધતિ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. વરણીને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખી કઈ પ્રક્રિયા અપનાવામાં આવી તે અંગે સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

વિપક્ષોએ ભાજપ પર સાધ્યું નિશાન 

આ બધા વચ્ચે મુખ્ય વિપક્ષી દળોએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. વિપક્ષી દળોએ આરોપ મૂક્તા કહ્યું કે ભાજપ સરકાર ચૂંટણી આયોગને કમજોર કરવાનું કામ કરી રહી છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.