અરૂણ ગોયલની વરણી થતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી વરણી અંગેની ફાઈલ માગી


  • Published By :
  • Published Date : 2022-11-24 08:57:15

ચૂંટણી પંચ કમિશ્નર તરીકે અરૂણ ગોયલની નિમણૂંક કરવામાં આવી હતી. ચૂંટણી પંચની નિમણૂંક પ્રકિયાને લઈ કેન્દ્ર સરકાર પાસેથી સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો છે. નિમણૂંકની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની નિમણૂંક કઈ રીતે અને કયા આધારે થઈ તે અંગે સરકાર પાસે ખુલાસો માગ્યો છે. નિમણૂંકને માટે કઈ પ્રક્રિયા અપનાવામાં આવી તેની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવા કોર્ટે જણાવ્યું છે.

શું પત્ની સાથે બળજબરીપૂર્વકના શારીરિક સંબંધોને માની શકાય રેપ? સુપ્રીમ કોર્ટ  હવે કરશે કાયદાની સમિક્ષા I forced physical relationship with wife is equal  to rape or not ...


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માગ્યા જવાબ

પાંચ જજોની બેંચે કહ્યું કે એક બાદ એક સરકારોએ ભારતના ચૂંટણી પંચની સ્વતંત્રતાને સંપૂર્ણ નષ્ટ કરી દીધી છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સૂનાવણી દરમિયાન એક પ્રશ્ન પૂછ્યો હતો અને અરૂણ ગોયલની નિમણૂંક પર સવાલ ઉઠાવ્યો હતો કે ગુરૂવારે ગોયલને વીઆરએસ મળ્યું હતું અને સોમવારે તેઓ ચૂંટણી કમિશ્નર તરીકે તેમની નિયુક્તિ પણ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુનાવણી શરૂ થઈ તેના ત્રણ દિવસની અંદર જ નિમણૂંક કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી નિમણૂંક પદ્ધતિ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. વરણીને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખી કઈ પ્રક્રિયા અપનાવામાં આવી તે અંગે સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

વિપક્ષોએ ભાજપ પર સાધ્યું નિશાન 

આ બધા વચ્ચે મુખ્ય વિપક્ષી દળોએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. વિપક્ષી દળોએ આરોપ મૂક્તા કહ્યું કે ભાજપ સરકાર ચૂંટણી આયોગને કમજોર કરવાનું કામ કરી રહી છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.