અરૂણ ગોયલની વરણી થતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી વરણી અંગેની ફાઈલ માગી


  • Published By :
  • Published Date : 2022-11-24 08:57:15

ચૂંટણી પંચ કમિશ્નર તરીકે અરૂણ ગોયલની નિમણૂંક કરવામાં આવી હતી. ચૂંટણી પંચની નિમણૂંક પ્રકિયાને લઈ કેન્દ્ર સરકાર પાસેથી સુપ્રીમ કોર્ટે જવાબ માગ્યો છે. નિમણૂંકની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે અરુણ ગોયલની નિમણૂંક કઈ રીતે અને કયા આધારે થઈ તે અંગે સરકાર પાસે ખુલાસો માગ્યો છે. નિમણૂંકને માટે કઈ પ્રક્રિયા અપનાવામાં આવી તેની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરવા કોર્ટે જણાવ્યું છે.

શું પત્ની સાથે બળજબરીપૂર્વકના શારીરિક સંબંધોને માની શકાય રેપ? સુપ્રીમ કોર્ટ  હવે કરશે કાયદાની સમિક્ષા I forced physical relationship with wife is equal  to rape or not ...


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી માગ્યા જવાબ

પાંચ જજોની બેંચે કહ્યું કે એક બાદ એક સરકારોએ ભારતના ચૂંટણી પંચની સ્વતંત્રતાને સંપૂર્ણ નષ્ટ કરી દીધી છે. વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સૂનાવણી દરમિયાન એક પ્રશ્ન પૂછ્યો હતો અને અરૂણ ગોયલની નિમણૂંક પર સવાલ ઉઠાવ્યો હતો કે ગુરૂવારે ગોયલને વીઆરએસ મળ્યું હતું અને સોમવારે તેઓ ચૂંટણી કમિશ્નર તરીકે તેમની નિયુક્તિ પણ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુનાવણી શરૂ થઈ તેના ત્રણ દિવસની અંદર જ નિમણૂંક કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા કરવામાં આવેલી નિમણૂંક પદ્ધતિ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. વરણીને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખી કઈ પ્રક્રિયા અપનાવામાં આવી તે અંગે સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

વિપક્ષોએ ભાજપ પર સાધ્યું નિશાન 

આ બધા વચ્ચે મુખ્ય વિપક્ષી દળોએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. વિપક્ષી દળોએ આરોપ મૂક્તા કહ્યું કે ભાજપ સરકાર ચૂંટણી આયોગને કમજોર કરવાનું કામ કરી રહી છે.      



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.