ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળેલી હિંસા હજી પણ નથી થઈ શાંત! હિંસા વધતા સેના કરાઈ તૈનાત અને ઈમરાનના નજીકના વ્યક્તિની કરાઈ ધરપકડ!


  • Published By :
  • Published Date : 2023-05-11 11:32:38

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ ફેલાયેલી હિંસા વિકરાળ રૂપ લઈ રહી છે. દેશમાં ફાટી નિકળેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. ત્યારે પાકિસ્તાનમાં વધતી હિંસાને જોતા અનેક વિસ્તારોમાં સેનાને તૈનાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તહરીક-એ-શરીફના સમર્થકો અને પાર્ટીના લીડરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ઈમરાન ખાનની પાર્ટીના અંદાજીત 1900 નેતાઓ તેમજ કાર્યકર્તાઓને હિરાસતમાં લઈ લીધા છે. 

लाहौर में इमरान समर्थकों ने प्रदर्शन के दौरान एक सड़क ब्लॉक कर दी।

હિંસાને પગલે સેનાને કરાઈ તૈનાત! 

મંગળવારે ઈમરાન ખાનની ધરપકડ કોર્ટની બહાર કરવામાં આવી હતી. ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નિકળી હતી. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર આગ લગાવવામાં આવી છે. ઈલેક્શન કમિશનની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી ઉપરાંત મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રીના ઘર બહાર પણ તોડફોડ કરવામાં આવી હતી. વધતી હિંસાને જોતા સમગ્ર દેશમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ઉપરાંત ધારા 144 પણ લાગુ કરવામાં આવી છે. હિંસાને પગલે સેનાને તૈનાત કરવામાં આવી છે. 

लाहौर के कैंट एरिया में इमरान समर्थकों ने एक घर में आग लगा दी।

વડાપ્રધાનના ઘર પર કરાયો હુમલો! 

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે નિવેદન આપ્યું કે ઈમરાન અને પીટીઆઈએ દેશને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આતંકવાદીઓની જેમ સૈન્ય સ્થળો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. 75 વર્ષમાં આવી ઘટના ક્યારેય નથી બની. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈમરાન ખાનના સમર્થકોએ બુધવારે લાહોર સ્થિત પીએમ શાહબાજ શરીફના ઘરે હુમલો કર્યો હતો. ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પોલીસ કર્મીઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રદર્શનકારી ત્યાંથી ભાગી ગયા હતા.        

तस्वीर में हिंसा के बीच आग में जली एक कार का मलबा नजर आ रहा है।

આરએસએસ અને બીજેપીને લઈ આ નેતાએ આપ્યું નિવેદન!

આ બધા વચ્ચે પીએમ મોદી શહબાજ શરીફના વિશેષ સહાયક અત્તા તરારએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું કે જે લોકો તોડફોડ કરી રહ્યા છે તે બધા લોકો ભારતથી આવ્યા છે. આ લોકો આરએસએસ અને બીજેપી તરફથી મોકલવામાં આવ્યા છે. ઈમરાન ખાનની ધરપકડ પાછળ આરએસએસ અને બીજેપીથી જોડાયેલા લોકોનો હાથ છે. આ ઘટના બાદ ભારતમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આની પહેલા અભિનેત્રીએ પણ આવી જ કંઈક ટ્વિટ કરી હતી. અભિનેત્રીએ ટ્વિટ કરી દિલ્હી પોલીસને ફરિયાદ કરવા ઓનલાઈન લિંક માગી હતી. તેનો જવાબ દિલ્હી પોલીસ દ્વારા આપવામાં  આવ્યો હતો.          



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.