ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળેલી હિંસા હજી પણ નથી થઈ શાંત! હિંસા વધતા સેના કરાઈ તૈનાત અને ઈમરાનના નજીકના વ્યક્તિની કરાઈ ધરપકડ!


  • Published By :
  • Published Date : 2023-05-11 11:32:38

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ ફેલાયેલી હિંસા વિકરાળ રૂપ લઈ રહી છે. દેશમાં ફાટી નિકળેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. ત્યારે પાકિસ્તાનમાં વધતી હિંસાને જોતા અનેક વિસ્તારોમાં સેનાને તૈનાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તહરીક-એ-શરીફના સમર્થકો અને પાર્ટીના લીડરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ઈમરાન ખાનની પાર્ટીના અંદાજીત 1900 નેતાઓ તેમજ કાર્યકર્તાઓને હિરાસતમાં લઈ લીધા છે. 

लाहौर में इमरान समर्थकों ने प्रदर्शन के दौरान एक सड़क ब्लॉक कर दी।

હિંસાને પગલે સેનાને કરાઈ તૈનાત! 

મંગળવારે ઈમરાન ખાનની ધરપકડ કોર્ટની બહાર કરવામાં આવી હતી. ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નિકળી હતી. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર આગ લગાવવામાં આવી છે. ઈલેક્શન કમિશનની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી ઉપરાંત મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રીના ઘર બહાર પણ તોડફોડ કરવામાં આવી હતી. વધતી હિંસાને જોતા સમગ્ર દેશમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ઉપરાંત ધારા 144 પણ લાગુ કરવામાં આવી છે. હિંસાને પગલે સેનાને તૈનાત કરવામાં આવી છે. 

लाहौर के कैंट एरिया में इमरान समर्थकों ने एक घर में आग लगा दी।

વડાપ્રધાનના ઘર પર કરાયો હુમલો! 

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે નિવેદન આપ્યું કે ઈમરાન અને પીટીઆઈએ દેશને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આતંકવાદીઓની જેમ સૈન્ય સ્થળો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. 75 વર્ષમાં આવી ઘટના ક્યારેય નથી બની. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈમરાન ખાનના સમર્થકોએ બુધવારે લાહોર સ્થિત પીએમ શાહબાજ શરીફના ઘરે હુમલો કર્યો હતો. ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પોલીસ કર્મીઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રદર્શનકારી ત્યાંથી ભાગી ગયા હતા.        

तस्वीर में हिंसा के बीच आग में जली एक कार का मलबा नजर आ रहा है।

આરએસએસ અને બીજેપીને લઈ આ નેતાએ આપ્યું નિવેદન!

આ બધા વચ્ચે પીએમ મોદી શહબાજ શરીફના વિશેષ સહાયક અત્તા તરારએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું કે જે લોકો તોડફોડ કરી રહ્યા છે તે બધા લોકો ભારતથી આવ્યા છે. આ લોકો આરએસએસ અને બીજેપી તરફથી મોકલવામાં આવ્યા છે. ઈમરાન ખાનની ધરપકડ પાછળ આરએસએસ અને બીજેપીથી જોડાયેલા લોકોનો હાથ છે. આ ઘટના બાદ ભારતમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આની પહેલા અભિનેત્રીએ પણ આવી જ કંઈક ટ્વિટ કરી હતી. અભિનેત્રીએ ટ્વિટ કરી દિલ્હી પોલીસને ફરિયાદ કરવા ઓનલાઈન લિંક માગી હતી. તેનો જવાબ દિલ્હી પોલીસ દ્વારા આપવામાં  આવ્યો હતો.          



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.