ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ફાટી નિકળેલી હિંસા હજી પણ નથી થઈ શાંત! હિંસા વધતા સેના કરાઈ તૈનાત અને ઈમરાનના નજીકના વ્યક્તિની કરાઈ ધરપકડ!


  • Published By :
  • Published Date : 2023-05-11 11:32:38

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ ફેલાયેલી હિંસા વિકરાળ રૂપ લઈ રહી છે. દેશમાં ફાટી નિકળેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. ત્યારે પાકિસ્તાનમાં વધતી હિંસાને જોતા અનેક વિસ્તારોમાં સેનાને તૈનાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તહરીક-એ-શરીફના સમર્થકો અને પાર્ટીના લીડરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ઈમરાન ખાનની પાર્ટીના અંદાજીત 1900 નેતાઓ તેમજ કાર્યકર્તાઓને હિરાસતમાં લઈ લીધા છે. 

लाहौर में इमरान समर्थकों ने प्रदर्शन के दौरान एक सड़क ब्लॉक कर दी।

હિંસાને પગલે સેનાને કરાઈ તૈનાત! 

મંગળવારે ઈમરાન ખાનની ધરપકડ કોર્ટની બહાર કરવામાં આવી હતી. ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નિકળી હતી. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે. અનેક જગ્યાઓ પર આગ લગાવવામાં આવી છે. ઈલેક્શન કમિશનની ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી ઉપરાંત મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રીના ઘર બહાર પણ તોડફોડ કરવામાં આવી હતી. વધતી હિંસાને જોતા સમગ્ર દેશમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ઉપરાંત ધારા 144 પણ લાગુ કરવામાં આવી છે. હિંસાને પગલે સેનાને તૈનાત કરવામાં આવી છે. 

लाहौर के कैंट एरिया में इमरान समर्थकों ने एक घर में आग लगा दी।

વડાપ્રધાનના ઘર પર કરાયો હુમલો! 

ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે નિવેદન આપ્યું કે ઈમરાન અને પીટીઆઈએ દેશને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આતંકવાદીઓની જેમ સૈન્ય સ્થળો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. 75 વર્ષમાં આવી ઘટના ક્યારેય નથી બની. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈમરાન ખાનના સમર્થકોએ બુધવારે લાહોર સ્થિત પીએમ શાહબાજ શરીફના ઘરે હુમલો કર્યો હતો. ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પોલીસ કર્મીઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે પ્રદર્શનકારી ત્યાંથી ભાગી ગયા હતા.        

तस्वीर में हिंसा के बीच आग में जली एक कार का मलबा नजर आ रहा है।

આરએસએસ અને બીજેપીને લઈ આ નેતાએ આપ્યું નિવેદન!

આ બધા વચ્ચે પીએમ મોદી શહબાજ શરીફના વિશેષ સહાયક અત્તા તરારએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું કે જે લોકો તોડફોડ કરી રહ્યા છે તે બધા લોકો ભારતથી આવ્યા છે. આ લોકો આરએસએસ અને બીજેપી તરફથી મોકલવામાં આવ્યા છે. ઈમરાન ખાનની ધરપકડ પાછળ આરએસએસ અને બીજેપીથી જોડાયેલા લોકોનો હાથ છે. આ ઘટના બાદ ભારતમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આની પહેલા અભિનેત્રીએ પણ આવી જ કંઈક ટ્વિટ કરી હતી. અભિનેત્રીએ ટ્વિટ કરી દિલ્હી પોલીસને ફરિયાદ કરવા ઓનલાઈન લિંક માગી હતી. તેનો જવાબ દિલ્હી પોલીસ દ્વારા આપવામાં  આવ્યો હતો.          



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?