Pathan અને Jawan ફિલ્મ હિટ ગયા થયા બાદ Shahrukh Khanને મળી જાનથી મારવાની ધમકી! Maharashtra સરકારે વધારી સુરક્ષા


  • Published By :
  • Published Date : 2023-10-09 10:31:08

બોલિવુડના કિંગ ખાન મનાતા એવા શાહરૂખ ખાનને મહારાષ્ટ્ર સરકારે Y+ Security આપી છે. બોલિવુડમાં તેમની ફિલ્મને સારી સફળતા મળી છે. જવાન તેમજ પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. શાહરૂખ ખાનના ફિલ્મની સફળતા બાદ કિંગ ખાનને ધમકીઓ મળી રહી હતી. મારી નાખવાની ધમકી શાહરૂખ ખાનને મળી હતી જે બાદ મહારાષ્ટ્ર સરકારે તેમને Y+ Security આપી છે. શાહરૂખ ખાને રાજ્ય સરકારે લેખિતમાં ફરિયાદ કરી હતી કે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આ બાદ શાહરૂખ ખાનની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. Y+ Security શાહરૂખ ખાનને આપવામાં આવશે.  

શાહરૂખ ખાનને અપાશે Y+ Security

બોલિવુડ હસ્તીઓ, નેતાઓ તેમજ બિઝનેસમેનને સુરક્ષા આપવામાં આવે છે. અલગ અલગ ક્ષેણી પ્રમાણે સુરક્ષાના ઘેરામાં આ લોકો રહેતા હોય છે. જ્યારે કોઈને જાનથી મારી નાખવાની ધમકી મળે ત્યારે સુરક્ષા વધારી દેવામાં આવે છે. અનેક બોલિવુડના કલાકારોને સુરક્ષા પ્રધાન કરવામાં આવી છે. Y+, Z+ જેવી સિક્યુરીટિ તેમને આપવામાં આવે છે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે બોલિવુડના મશહુર એક્ટર શાહરૂખ ખાનને Y+ Security આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ તેમજ જવાન બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. આ ફિલ્મોએ સારી કમાણી કરી હતી. ફિલ્મની સફળતા બાદ શાહરૂખ ખાનને મારવાની ધમકી મળી રહી હતી.

Why 2023 is going to be Shah Rukh Khan's year - India Today

શાહરૂખ ખાનની 'પઠાણ' સાથે જોડાયેલા છે આ 7 ફેક્ટ, જે ફિલ્મને બનાવી શકે છે  સુપરહિટ - Gujarati News | 7 facts are related to Shahrukh Khan movie Pathan  - 7 facts are

મહારાષ્ટ્ર સરકારે વધારી શાહરૂખ ખાનની સુરક્ષા  

જાનથી મારી નાખવાની ધમકી મળતા શાહરૂખ ખાને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી.  જે બાદ મહારાષ્ટ્ર સરકારે તેમની સુરક્ષામાં વધારો કર્યો છે. હવેથી Y+ Security શાહરૂખ ખાનને આપવામાં આવશે. એવી માહિતી સામે આવી  છે કે આ સુરક્ષાનો ખર્ચ શાહરૂખ ખાન પોતે ઉઠાવવાના છે. રાજ્ય સરકારને આ અંગે તે પૈસા ચૂકવશે.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.