Pathan અને Jawan ફિલ્મ હિટ ગયા થયા બાદ Shahrukh Khanને મળી જાનથી મારવાની ધમકી! Maharashtra સરકારે વધારી સુરક્ષા


  • Published By :
  • Published Date : 2023-10-09 10:31:08

બોલિવુડના કિંગ ખાન મનાતા એવા શાહરૂખ ખાનને મહારાષ્ટ્ર સરકારે Y+ Security આપી છે. બોલિવુડમાં તેમની ફિલ્મને સારી સફળતા મળી છે. જવાન તેમજ પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. શાહરૂખ ખાનના ફિલ્મની સફળતા બાદ કિંગ ખાનને ધમકીઓ મળી રહી હતી. મારી નાખવાની ધમકી શાહરૂખ ખાનને મળી હતી જે બાદ મહારાષ્ટ્ર સરકારે તેમને Y+ Security આપી છે. શાહરૂખ ખાને રાજ્ય સરકારે લેખિતમાં ફરિયાદ કરી હતી કે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આ બાદ શાહરૂખ ખાનની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. Y+ Security શાહરૂખ ખાનને આપવામાં આવશે.  

શાહરૂખ ખાનને અપાશે Y+ Security

બોલિવુડ હસ્તીઓ, નેતાઓ તેમજ બિઝનેસમેનને સુરક્ષા આપવામાં આવે છે. અલગ અલગ ક્ષેણી પ્રમાણે સુરક્ષાના ઘેરામાં આ લોકો રહેતા હોય છે. જ્યારે કોઈને જાનથી મારી નાખવાની ધમકી મળે ત્યારે સુરક્ષા વધારી દેવામાં આવે છે. અનેક બોલિવુડના કલાકારોને સુરક્ષા પ્રધાન કરવામાં આવી છે. Y+, Z+ જેવી સિક્યુરીટિ તેમને આપવામાં આવે છે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે બોલિવુડના મશહુર એક્ટર શાહરૂખ ખાનને Y+ Security આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ તેમજ જવાન બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. આ ફિલ્મોએ સારી કમાણી કરી હતી. ફિલ્મની સફળતા બાદ શાહરૂખ ખાનને મારવાની ધમકી મળી રહી હતી.

Why 2023 is going to be Shah Rukh Khan's year - India Today

શાહરૂખ ખાનની 'પઠાણ' સાથે જોડાયેલા છે આ 7 ફેક્ટ, જે ફિલ્મને બનાવી શકે છે  સુપરહિટ - Gujarati News | 7 facts are related to Shahrukh Khan movie Pathan  - 7 facts are

મહારાષ્ટ્ર સરકારે વધારી શાહરૂખ ખાનની સુરક્ષા  

જાનથી મારી નાખવાની ધમકી મળતા શાહરૂખ ખાને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી.  જે બાદ મહારાષ્ટ્ર સરકારે તેમની સુરક્ષામાં વધારો કર્યો છે. હવેથી Y+ Security શાહરૂખ ખાનને આપવામાં આવશે. એવી માહિતી સામે આવી  છે કે આ સુરક્ષાનો ખર્ચ શાહરૂખ ખાન પોતે ઉઠાવવાના છે. રાજ્ય સરકારને આ અંગે તે પૈસા ચૂકવશે.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.