Pathan અને Jawan ફિલ્મ હિટ ગયા થયા બાદ Shahrukh Khanને મળી જાનથી મારવાની ધમકી! Maharashtra સરકારે વધારી સુરક્ષા


  • Published By :
  • Published Date : 2023-10-09 10:31:08

બોલિવુડના કિંગ ખાન મનાતા એવા શાહરૂખ ખાનને મહારાષ્ટ્ર સરકારે Y+ Security આપી છે. બોલિવુડમાં તેમની ફિલ્મને સારી સફળતા મળી છે. જવાન તેમજ પઠાણ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. શાહરૂખ ખાનના ફિલ્મની સફળતા બાદ કિંગ ખાનને ધમકીઓ મળી રહી હતી. મારી નાખવાની ધમકી શાહરૂખ ખાનને મળી હતી જે બાદ મહારાષ્ટ્ર સરકારે તેમને Y+ Security આપી છે. શાહરૂખ ખાને રાજ્ય સરકારે લેખિતમાં ફરિયાદ કરી હતી કે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. આ બાદ શાહરૂખ ખાનની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. Y+ Security શાહરૂખ ખાનને આપવામાં આવશે.  

શાહરૂખ ખાનને અપાશે Y+ Security

બોલિવુડ હસ્તીઓ, નેતાઓ તેમજ બિઝનેસમેનને સુરક્ષા આપવામાં આવે છે. અલગ અલગ ક્ષેણી પ્રમાણે સુરક્ષાના ઘેરામાં આ લોકો રહેતા હોય છે. જ્યારે કોઈને જાનથી મારી નાખવાની ધમકી મળે ત્યારે સુરક્ષા વધારી દેવામાં આવે છે. અનેક બોલિવુડના કલાકારોને સુરક્ષા પ્રધાન કરવામાં આવી છે. Y+, Z+ જેવી સિક્યુરીટિ તેમને આપવામાં આવે છે. આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે બોલિવુડના મશહુર એક્ટર શાહરૂખ ખાનને Y+ Security આપવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ તેમજ જવાન બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. આ ફિલ્મોએ સારી કમાણી કરી હતી. ફિલ્મની સફળતા બાદ શાહરૂખ ખાનને મારવાની ધમકી મળી રહી હતી.

Why 2023 is going to be Shah Rukh Khan's year - India Today

શાહરૂખ ખાનની 'પઠાણ' સાથે જોડાયેલા છે આ 7 ફેક્ટ, જે ફિલ્મને બનાવી શકે છે  સુપરહિટ - Gujarati News | 7 facts are related to Shahrukh Khan movie Pathan  - 7 facts are

મહારાષ્ટ્ર સરકારે વધારી શાહરૂખ ખાનની સુરક્ષા  

જાનથી મારી નાખવાની ધમકી મળતા શાહરૂખ ખાને આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી.  જે બાદ મહારાષ્ટ્ર સરકારે તેમની સુરક્ષામાં વધારો કર્યો છે. હવેથી Y+ Security શાહરૂખ ખાનને આપવામાં આવશે. એવી માહિતી સામે આવી  છે કે આ સુરક્ષાનો ખર્ચ શાહરૂખ ખાન પોતે ઉઠાવવાના છે. રાજ્ય સરકારને આ અંગે તે પૈસા ચૂકવશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.