Vadodaraમાં ભયાનક પરિસ્થિતિ પછી શહેરને પૂર્વવત કરવા હર્ષ સંઘવી આખી રાત જાગ્યા, લોકોને મળ્યા, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-08-31 15:50:59

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો જેના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ વડોદરામાં થઈ છે... શહેરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થયો અને 48 કલાક અનરાધાર વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરા શહેર બેટમાં ફેરવાય ગયું... શહેરના મોટાભાગના વિસ્તારોના લોકો કમર સુધી તો કેટલાક વિસ્તારોમાં પાંચ-પાંચ ફુટ પાણી ભરાયા.... વરસાદ રહી ગયો એના કલાકો થયા.. છતાંય લોકો એ પછીની પરિસ્થિતિમાં ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ગટરના પાણીએ બેક માર્યા. સફાઈ ગંદકી , લાખોનું નુકસાન અને માનસિક યાતના જે લોકોને હવે નિરાશ કરી રહી છે..... એવામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા અને આખી રાત શહેરભરમાં ફર્યા અને કહ્યું વડોદરાને જે જોઈએ એ બધુ જ મળશે.... 

હર્ષ સંઘવી દોડી આવ્યા વડોદરા અને... 

ધારાસભ્ય મનિષા વકીલ અને કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.લોકોએ કોર્પોરેટરો, નેતાઓ, ધારાસભ્યોને હાથ જોડીને ભગાવ્યા છે... આથી હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા.. પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. મોડીરાત્રિથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમા ફર્યા હતા. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઝોનલ મિટિંગ લીધી હતી. 




અમે તેમના છીએ અને તેઓ અમારા છે - હર્ષ સંઘવી

મીડિયાને સંબોધન કરતી વખતે ઘણી બધી માહિતી આપી સાથે જે લોકો વિફર્યા અને નારાજ થયા તેમના વિશે હર્ષ સંઘવીએ કહ્યું કે,  આ આપણા લોકો છે, તેમને પડેલી તકલીફ આપણને નહીં કહે તો કોને કહેશે? જેની પર વિશ્વાસ હોય, તેને તકલીફ જણાવશે. લોકોને મળ્યા છીએ, તેની તકલીફ જાણી છે, ખુલ્લા મને મળ્યા છીએ, છેક સુધી. વધુમાં વધુ લોકોને સાંભળીશું. અમે તેમના છીએ અને તેઓ અમારા છે. તેમણે તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે, અમારે સાંભળવાનું છે અને રસ્તો કાઢવાનો છે, તે માટે એક રાત નહીં, રાતોરાત જાગીશું. વડોદરાને જે જોઇશે તે બધુ જ મળશે. વડોદરાના વિકાસના કોઇ પણ કામો નહીં અટકે. કોઇ કચાશ રહી ગઇ હશે તે પૂર્ણ કરવામાં આવશે... 



અનેક વખત વડોદરાવાસીઓને કરવો પડ્યો છે આવી ભયંકર પરિસ્થિતિનો સામનો!

વડોદરામાં વરસેલા અનરાધાર વરસાદ અને ભયાનક પૂર પછી હવે પરિસ્થિતિ ભયાનક સર્જાય છે.... ભયંકર પૂર આવ્યું જેમાં હજારો પરિવારો ફસાયેલા હતા... વિશ્વામિત્રીમાં 20 વર્ષમાં 9 વખત પૂર આવ્યું છે પણ 2024માં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેવી ક્યારેય સર્જાઈ નથી.... 20 વર્ષ બાદ વિશ્વામિત્રીના પાણી માંજલપુર, વાસણા રોડ, સન ફાર્મા રોડ, તાંદલજા રોડ અને કારેલીબાગની સોસાયટીઓમાં પ્રવેશ્યા હતા... અને 72 કલાકથી પાણી નહીં ઉતરતા  શહેર લશ્કરના હવાલે પણ થયું.. પરંતુ હવે રોગચાળો, સફાઈનો અભાવ,ગંદકી, ગટરના પાણી, મગરોનો ત્રાસ અને ખાવા-પીવા માટે ધાન નહીં અને માનસિક હતાશા લોકોને નિરાશ કરી રહી છે.... વર્ષ 2005, વર્ષ 2013માં અને વર્ષ 2019માં પણ પાણી આવ્યું હતું. પરંતુ વર્ષ 2019માં તો 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો છતાં પણ આટલી ભયંકર પરિસ્થિતિ તે સમયે થઈ ન હતી... જેવી 2024માં થઈ છે... આશા છે કે વિશ્વામિત્રીના ડેવલોપમેન્ટ માટે 1200 કરોડ સરકારે ફાળવ્યા તો આવી પરિસ્થિતિનો સામનો ફરી નહીં કરવો પડે.... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટબોક્સમાં જણાવજો.. 




" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.

ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ એક મહત્વનું નિવેદન ભારત માટે આપ્યું છે. જેમાં ઈરાને ભારતની ભૂમિકાની પ્રશંસા કરી છે. તો બીજી તરફ , ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલોનો ૮૦મોં રાઉન્ડ ઇઝરાયેલ તરફ છોડવામાં આવ્યો છે. સામે ખાડી દેશોમાં કુવૈત એ પહેલો દેશ છે જેણે ઈરાન પર હુમલો કરી દીધો છે. કુવૈત દ્વારા સંભવિત પરમાણુ યુદ્ધની તૈયારીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે .જેનાથી ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે.