Vadodaraમાં ભયાનક પરિસ્થિતિ પછી શહેરને પૂર્વવત કરવા હર્ષ સંઘવી આખી રાત જાગ્યા, લોકોને મળ્યા, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-08-31 15:50:59

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો જેના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ વડોદરામાં થઈ છે... શહેરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થયો અને 48 કલાક અનરાધાર વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરા શહેર બેટમાં ફેરવાય ગયું... શહેરના મોટાભાગના વિસ્તારોના લોકો કમર સુધી તો કેટલાક વિસ્તારોમાં પાંચ-પાંચ ફુટ પાણી ભરાયા.... વરસાદ રહી ગયો એના કલાકો થયા.. છતાંય લોકો એ પછીની પરિસ્થિતિમાં ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ગટરના પાણીએ બેક માર્યા. સફાઈ ગંદકી , લાખોનું નુકસાન અને માનસિક યાતના જે લોકોને હવે નિરાશ કરી રહી છે..... એવામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા અને આખી રાત શહેરભરમાં ફર્યા અને કહ્યું વડોદરાને જે જોઈએ એ બધુ જ મળશે.... 

હર્ષ સંઘવી દોડી આવ્યા વડોદરા અને... 

ધારાસભ્ય મનિષા વકીલ અને કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.લોકોએ કોર્પોરેટરો, નેતાઓ, ધારાસભ્યોને હાથ જોડીને ભગાવ્યા છે... આથી હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા.. પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. મોડીરાત્રિથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમા ફર્યા હતા. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઝોનલ મિટિંગ લીધી હતી. 




અમે તેમના છીએ અને તેઓ અમારા છે - હર્ષ સંઘવી

મીડિયાને સંબોધન કરતી વખતે ઘણી બધી માહિતી આપી સાથે જે લોકો વિફર્યા અને નારાજ થયા તેમના વિશે હર્ષ સંઘવીએ કહ્યું કે,  આ આપણા લોકો છે, તેમને પડેલી તકલીફ આપણને નહીં કહે તો કોને કહેશે? જેની પર વિશ્વાસ હોય, તેને તકલીફ જણાવશે. લોકોને મળ્યા છીએ, તેની તકલીફ જાણી છે, ખુલ્લા મને મળ્યા છીએ, છેક સુધી. વધુમાં વધુ લોકોને સાંભળીશું. અમે તેમના છીએ અને તેઓ અમારા છે. તેમણે તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે, અમારે સાંભળવાનું છે અને રસ્તો કાઢવાનો છે, તે માટે એક રાત નહીં, રાતોરાત જાગીશું. વડોદરાને જે જોઇશે તે બધુ જ મળશે. વડોદરાના વિકાસના કોઇ પણ કામો નહીં અટકે. કોઇ કચાશ રહી ગઇ હશે તે પૂર્ણ કરવામાં આવશે... 



અનેક વખત વડોદરાવાસીઓને કરવો પડ્યો છે આવી ભયંકર પરિસ્થિતિનો સામનો!

વડોદરામાં વરસેલા અનરાધાર વરસાદ અને ભયાનક પૂર પછી હવે પરિસ્થિતિ ભયાનક સર્જાય છે.... ભયંકર પૂર આવ્યું જેમાં હજારો પરિવારો ફસાયેલા હતા... વિશ્વામિત્રીમાં 20 વર્ષમાં 9 વખત પૂર આવ્યું છે પણ 2024માં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેવી ક્યારેય સર્જાઈ નથી.... 20 વર્ષ બાદ વિશ્વામિત્રીના પાણી માંજલપુર, વાસણા રોડ, સન ફાર્મા રોડ, તાંદલજા રોડ અને કારેલીબાગની સોસાયટીઓમાં પ્રવેશ્યા હતા... અને 72 કલાકથી પાણી નહીં ઉતરતા  શહેર લશ્કરના હવાલે પણ થયું.. પરંતુ હવે રોગચાળો, સફાઈનો અભાવ,ગંદકી, ગટરના પાણી, મગરોનો ત્રાસ અને ખાવા-પીવા માટે ધાન નહીં અને માનસિક હતાશા લોકોને નિરાશ કરી રહી છે.... વર્ષ 2005, વર્ષ 2013માં અને વર્ષ 2019માં પણ પાણી આવ્યું હતું. પરંતુ વર્ષ 2019માં તો 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો છતાં પણ આટલી ભયંકર પરિસ્થિતિ તે સમયે થઈ ન હતી... જેવી 2024માં થઈ છે... આશા છે કે વિશ્વામિત્રીના ડેવલોપમેન્ટ માટે 1200 કરોડ સરકારે ફાળવ્યા તો આવી પરિસ્થિતિનો સામનો ફરી નહીં કરવો પડે.... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટબોક્સમાં જણાવજો.. 




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.