Vadodaraમાં ભયાનક પરિસ્થિતિ પછી શહેરને પૂર્વવત કરવા હર્ષ સંઘવી આખી રાત જાગ્યા, લોકોને મળ્યા, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-08-31 15:50:59

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો જેના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ વડોદરામાં થઈ છે... શહેરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થયો અને 48 કલાક અનરાધાર વરસાદથી વિશ્વામિત્રીનું જળસ્તર વધતા વડોદરા શહેર બેટમાં ફેરવાય ગયું... શહેરના મોટાભાગના વિસ્તારોના લોકો કમર સુધી તો કેટલાક વિસ્તારોમાં પાંચ-પાંચ ફુટ પાણી ભરાયા.... વરસાદ રહી ગયો એના કલાકો થયા.. છતાંય લોકો એ પછીની પરિસ્થિતિમાં ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ગટરના પાણીએ બેક માર્યા. સફાઈ ગંદકી , લાખોનું નુકસાન અને માનસિક યાતના જે લોકોને હવે નિરાશ કરી રહી છે..... એવામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા અને આખી રાત શહેરભરમાં ફર્યા અને કહ્યું વડોદરાને જે જોઈએ એ બધુ જ મળશે.... 

હર્ષ સંઘવી દોડી આવ્યા વડોદરા અને... 

ધારાસભ્ય મનિષા વકીલ અને કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.લોકોએ કોર્પોરેટરો, નેતાઓ, ધારાસભ્યોને હાથ જોડીને ભગાવ્યા છે... આથી હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા.. પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ગત રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. મોડીરાત્રિથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમા ફર્યા હતા. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઝોનલ મિટિંગ લીધી હતી. 




અમે તેમના છીએ અને તેઓ અમારા છે - હર્ષ સંઘવી

મીડિયાને સંબોધન કરતી વખતે ઘણી બધી માહિતી આપી સાથે જે લોકો વિફર્યા અને નારાજ થયા તેમના વિશે હર્ષ સંઘવીએ કહ્યું કે,  આ આપણા લોકો છે, તેમને પડેલી તકલીફ આપણને નહીં કહે તો કોને કહેશે? જેની પર વિશ્વાસ હોય, તેને તકલીફ જણાવશે. લોકોને મળ્યા છીએ, તેની તકલીફ જાણી છે, ખુલ્લા મને મળ્યા છીએ, છેક સુધી. વધુમાં વધુ લોકોને સાંભળીશું. અમે તેમના છીએ અને તેઓ અમારા છે. તેમણે તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે, અમારે સાંભળવાનું છે અને રસ્તો કાઢવાનો છે, તે માટે એક રાત નહીં, રાતોરાત જાગીશું. વડોદરાને જે જોઇશે તે બધુ જ મળશે. વડોદરાના વિકાસના કોઇ પણ કામો નહીં અટકે. કોઇ કચાશ રહી ગઇ હશે તે પૂર્ણ કરવામાં આવશે... 



અનેક વખત વડોદરાવાસીઓને કરવો પડ્યો છે આવી ભયંકર પરિસ્થિતિનો સામનો!

વડોદરામાં વરસેલા અનરાધાર વરસાદ અને ભયાનક પૂર પછી હવે પરિસ્થિતિ ભયાનક સર્જાય છે.... ભયંકર પૂર આવ્યું જેમાં હજારો પરિવારો ફસાયેલા હતા... વિશ્વામિત્રીમાં 20 વર્ષમાં 9 વખત પૂર આવ્યું છે પણ 2024માં જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેવી ક્યારેય સર્જાઈ નથી.... 20 વર્ષ બાદ વિશ્વામિત્રીના પાણી માંજલપુર, વાસણા રોડ, સન ફાર્મા રોડ, તાંદલજા રોડ અને કારેલીબાગની સોસાયટીઓમાં પ્રવેશ્યા હતા... અને 72 કલાકથી પાણી નહીં ઉતરતા  શહેર લશ્કરના હવાલે પણ થયું.. પરંતુ હવે રોગચાળો, સફાઈનો અભાવ,ગંદકી, ગટરના પાણી, મગરોનો ત્રાસ અને ખાવા-પીવા માટે ધાન નહીં અને માનસિક હતાશા લોકોને નિરાશ કરી રહી છે.... વર્ષ 2005, વર્ષ 2013માં અને વર્ષ 2019માં પણ પાણી આવ્યું હતું. પરંતુ વર્ષ 2019માં તો 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો છતાં પણ આટલી ભયંકર પરિસ્થિતિ તે સમયે થઈ ન હતી... જેવી 2024માં થઈ છે... આશા છે કે વિશ્વામિત્રીના ડેવલોપમેન્ટ માટે 1200 કરોડ સરકારે ફાળવ્યા તો આવી પરિસ્થિતિનો સામનો ફરી નહીં કરવો પડે.... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટબોક્સમાં જણાવજો.. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.