પેપરલીક થયા બાદ અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં વણસી પરિસ્થિતિ, ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ


  • Published By :
  • Published Date : 2023-02-18 10:49:15

અરૂણાચલ પ્રદેશમાં શુક્રવારે લોક સેવા આયોગનું કથિત રીતે પેપર ફૂટતા આખો દિવસ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન કરવા પરીક્ષાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પેપર લીક મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. પ્રદર્શનને લઈ ઈટાનગરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ રસ્તા પર ઉતરી આવતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ઈટાનગર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.       


પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયું હતું ઘર્ષણ

ગુજરાત હોય કે અન્ય કોઈ રાજ્ય પરીક્ષાના પેપર ફૂટવા જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક વખત પરીક્ષાના પેપર લીક થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં કથિતરૂપે લોક સેવા આયોગના પેપરલીકનો મામલો સામે આવ્યો છે. પેપરલીક થવાની માહિતી સામે આવતા શુક્રવારે પરીક્ષાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર પરીક્ષાર્થીઓ ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓને રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. 


ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ 

પ્રદર્શનકારીઓ પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. આ પ્રદર્શનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે ઈટાનગરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પ્રદર્શનને જોતા ઈટાનગરમાં બજાર, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કાર્યાલયો બંધ રાખવામાં આવશે.  




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.