પેપરલીક થયા બાદ અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં વણસી પરિસ્થિતિ, ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ


  • Published By :
  • Published Date : 2023-02-18 10:49:15

અરૂણાચલ પ્રદેશમાં શુક્રવારે લોક સેવા આયોગનું કથિત રીતે પેપર ફૂટતા આખો દિવસ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન કરવા પરીક્ષાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પેપર લીક મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. પ્રદર્શનને લઈ ઈટાનગરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ રસ્તા પર ઉતરી આવતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ઈટાનગર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.       


પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયું હતું ઘર્ષણ

ગુજરાત હોય કે અન્ય કોઈ રાજ્ય પરીક્ષાના પેપર ફૂટવા જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક વખત પરીક્ષાના પેપર લીક થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં કથિતરૂપે લોક સેવા આયોગના પેપરલીકનો મામલો સામે આવ્યો છે. પેપરલીક થવાની માહિતી સામે આવતા શુક્રવારે પરીક્ષાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર પરીક્ષાર્થીઓ ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓને રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. 


ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ 

પ્રદર્શનકારીઓ પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. આ પ્રદર્શનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે ઈટાનગરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પ્રદર્શનને જોતા ઈટાનગરમાં બજાર, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કાર્યાલયો બંધ રાખવામાં આવશે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.