પેપરલીક થયા બાદ અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં વણસી પરિસ્થિતિ, ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ


  • Published By :
  • Published Date : 2023-02-18 10:49:15

અરૂણાચલ પ્રદેશમાં શુક્રવારે લોક સેવા આયોગનું કથિત રીતે પેપર ફૂટતા આખો દિવસ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન કરવા પરીક્ષાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પેપર લીક મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. પ્રદર્શનને લઈ ઈટાનગરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ રસ્તા પર ઉતરી આવતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ઈટાનગર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.       


પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયું હતું ઘર્ષણ

ગુજરાત હોય કે અન્ય કોઈ રાજ્ય પરીક્ષાના પેપર ફૂટવા જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક વખત પરીક્ષાના પેપર લીક થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં કથિતરૂપે લોક સેવા આયોગના પેપરલીકનો મામલો સામે આવ્યો છે. પેપરલીક થવાની માહિતી સામે આવતા શુક્રવારે પરીક્ષાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર પરીક્ષાર્થીઓ ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓને રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. 


ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ 

પ્રદર્શનકારીઓ પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. આ પ્રદર્શનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે ઈટાનગરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પ્રદર્શનને જોતા ઈટાનગરમાં બજાર, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કાર્યાલયો બંધ રાખવામાં આવશે.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.