પેપરલીક થયા બાદ અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં વણસી પરિસ્થિતિ, ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ


  • Published By :
  • Published Date : 2023-02-18 10:49:15

અરૂણાચલ પ્રદેશમાં શુક્રવારે લોક સેવા આયોગનું કથિત રીતે પેપર ફૂટતા આખો દિવસ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન કરવા પરીક્ષાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પેપર લીક મામલે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. પ્રદર્શનને લઈ ઈટાનગરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હજારોની સંખ્યામાં પરીક્ષાર્થીઓ રસ્તા પર ઉતરી આવતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ ઈટાનગર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.       


પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયું હતું ઘર્ષણ

ગુજરાત હોય કે અન્ય કોઈ રાજ્ય પરીક્ષાના પેપર ફૂટવા જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. અનેક વખત પરીક્ષાના પેપર લીક થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં કથિતરૂપે લોક સેવા આયોગના પેપરલીકનો મામલો સામે આવ્યો છે. પેપરલીક થવાની માહિતી સામે આવતા શુક્રવારે પરીક્ષાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર પરીક્ષાર્થીઓ ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓને રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. 


ઈન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ 

પ્રદર્શનકારીઓ પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. આ પ્રદર્શનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે ઈટાનગરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. પ્રદર્શનને જોતા ઈટાનગરમાં બજાર, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કાર્યાલયો બંધ રાખવામાં આવશે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.