બ્રિજભૂષણ વિરુદ્ધ કરાયેલા પહેલવાનોના ધરણા બાદ ખેલમંત્રાલયે કરી કાર્યવાહી, ટૂર્નામેન્ટ અને બેઠક કરાઈ રદ્દ


  • Published By :
  • Published Date : 2023-01-22 12:31:22

ભારતના પહેલવાનોએ જંતર-મંતર ખાતે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા. અધ્યક્ષ પદથી હટાવવાની માગ કુશ્તીબાજો દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક થયા બાદ ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. ખેલ મંત્રાલય દ્વારા કમિટીની રચના કરવામાં આવશે જે તપાસ કરી રિપોર્ટ સબમિટ કરશે. તપાસ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી બ્રિજભૂષણ WFIનું કામકાજ નહીં કરી શકે ઉપરાંત એડિશનલ સચિવ વિનોદ તોમરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

Wrestlers Protest Against WFI And Brij Bhushan Singh additional secretary suspended meeting cancelled sports ministry Wrestlers vs WFI: नप गए कुश्ती संघ के बड़े अधिकारी, खेल मंत्रालय ने रद्द किए टूर्नामेंट, नहीं होगी कोई बैठक

અનુરાગ ઠાકુર સાથે થયેલી બેઠક બાદ ધરણા સમાપ્ત 

બુધવારથી ભારતના પહેલવાનો જંતર-મંતર ખાતે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપો લગાવી ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. બ્રિજભૂષણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી તેમની માગ હતી. આ મામલાની નોંધ ખેલમંત્રાલયે લીધી. પહેલવાનો સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બે વખત બેઠક કરી હતી. પ્રથમ બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા બીજા દિવસે ફરી એક બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ આ કેસની તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત થયા બાદ પહેલવાનોએ પોતાના ધરણા સમાપ્ત કરી લીધા હતા.



ટૂર્નામેન્ટ અને બેઠક કરાઈ રદ્દ

એક્શનના ભાગ રૂપે ખેલમંત્રાલયે રેસલિંગ ફેડરેશનના તમામ કામો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉપરાંત તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બ્રિજભૂષણ ફેડરેશનનું કામ નહીં સંભાળે. ઉપરાંત યુનિયનના એડિશનલ સેક્રેટરીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે સિવાય ખેલ મંત્રાલયે ટૂર્નામેનેટો પણ કેન્સલ કરી દીધી છે. અને અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક પણ રદ કરી દેવામાં આવી છે.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.