બ્રિજભૂષણ વિરુદ્ધ કરાયેલા પહેલવાનોના ધરણા બાદ ખેલમંત્રાલયે કરી કાર્યવાહી, ટૂર્નામેન્ટ અને બેઠક કરાઈ રદ્દ


  • Published By :
  • Published Date : 2023-01-22 12:31:22

ભારતના પહેલવાનોએ જંતર-મંતર ખાતે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા. અધ્યક્ષ પદથી હટાવવાની માગ કુશ્તીબાજો દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક થયા બાદ ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. ખેલ મંત્રાલય દ્વારા કમિટીની રચના કરવામાં આવશે જે તપાસ કરી રિપોર્ટ સબમિટ કરશે. તપાસ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી બ્રિજભૂષણ WFIનું કામકાજ નહીં કરી શકે ઉપરાંત એડિશનલ સચિવ વિનોદ તોમરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

Wrestlers Protest Against WFI And Brij Bhushan Singh additional secretary suspended meeting cancelled sports ministry Wrestlers vs WFI: नप गए कुश्ती संघ के बड़े अधिकारी, खेल मंत्रालय ने रद्द किए टूर्नामेंट, नहीं होगी कोई बैठक

અનુરાગ ઠાકુર સાથે થયેલી બેઠક બાદ ધરણા સમાપ્ત 

બુધવારથી ભારતના પહેલવાનો જંતર-મંતર ખાતે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપો લગાવી ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. બ્રિજભૂષણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી તેમની માગ હતી. આ મામલાની નોંધ ખેલમંત્રાલયે લીધી. પહેલવાનો સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બે વખત બેઠક કરી હતી. પ્રથમ બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા બીજા દિવસે ફરી એક બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ આ કેસની તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત થયા બાદ પહેલવાનોએ પોતાના ધરણા સમાપ્ત કરી લીધા હતા.



ટૂર્નામેન્ટ અને બેઠક કરાઈ રદ્દ

એક્શનના ભાગ રૂપે ખેલમંત્રાલયે રેસલિંગ ફેડરેશનના તમામ કામો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉપરાંત તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બ્રિજભૂષણ ફેડરેશનનું કામ નહીં સંભાળે. ઉપરાંત યુનિયનના એડિશનલ સેક્રેટરીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે સિવાય ખેલ મંત્રાલયે ટૂર્નામેનેટો પણ કેન્સલ કરી દીધી છે. અને અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક પણ રદ કરી દેવામાં આવી છે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.