બ્રિજભૂષણ વિરુદ્ધ કરાયેલા પહેલવાનોના ધરણા બાદ ખેલમંત્રાલયે કરી કાર્યવાહી, ટૂર્નામેન્ટ અને બેઠક કરાઈ રદ્દ


  • Published By :
  • Published Date : 2023-01-22 12:31:22

ભારતના પહેલવાનોએ જંતર-મંતર ખાતે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા. અધ્યક્ષ પદથી હટાવવાની માગ કુશ્તીબાજો દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક થયા બાદ ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. ખેલ મંત્રાલય દ્વારા કમિટીની રચના કરવામાં આવશે જે તપાસ કરી રિપોર્ટ સબમિટ કરશે. તપાસ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી બ્રિજભૂષણ WFIનું કામકાજ નહીં કરી શકે ઉપરાંત એડિશનલ સચિવ વિનોદ તોમરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

Wrestlers Protest Against WFI And Brij Bhushan Singh additional secretary suspended meeting cancelled sports ministry Wrestlers vs WFI: नप गए कुश्ती संघ के बड़े अधिकारी, खेल मंत्रालय ने रद्द किए टूर्नामेंट, नहीं होगी कोई बैठक

અનુરાગ ઠાકુર સાથે થયેલી બેઠક બાદ ધરણા સમાપ્ત 

બુધવારથી ભારતના પહેલવાનો જંતર-મંતર ખાતે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપો લગાવી ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. બ્રિજભૂષણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી તેમની માગ હતી. આ મામલાની નોંધ ખેલમંત્રાલયે લીધી. પહેલવાનો સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બે વખત બેઠક કરી હતી. પ્રથમ બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા બીજા દિવસે ફરી એક બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ આ કેસની તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત થયા બાદ પહેલવાનોએ પોતાના ધરણા સમાપ્ત કરી લીધા હતા.



ટૂર્નામેન્ટ અને બેઠક કરાઈ રદ્દ

એક્શનના ભાગ રૂપે ખેલમંત્રાલયે રેસલિંગ ફેડરેશનના તમામ કામો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉપરાંત તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બ્રિજભૂષણ ફેડરેશનનું કામ નહીં સંભાળે. ઉપરાંત યુનિયનના એડિશનલ સેક્રેટરીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે સિવાય ખેલ મંત્રાલયે ટૂર્નામેનેટો પણ કેન્સલ કરી દીધી છે. અને અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક પણ રદ કરી દેવામાં આવી છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.