બ્રિજભૂષણ વિરુદ્ધ કરાયેલા પહેલવાનોના ધરણા બાદ ખેલમંત્રાલયે કરી કાર્યવાહી, ટૂર્નામેન્ટ અને બેઠક કરાઈ રદ્દ


  • Published By :
  • Published Date : 2023-01-22 12:31:22

ભારતના પહેલવાનોએ જંતર-મંતર ખાતે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ ધરણા કર્યા હતા. અધ્યક્ષ પદથી હટાવવાની માગ કુશ્તીબાજો દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક થયા બાદ ધરણા પ્રદર્શન સમાપ્ત કર્યું હતું. ખેલ મંત્રાલય દ્વારા કમિટીની રચના કરવામાં આવશે જે તપાસ કરી રિપોર્ટ સબમિટ કરશે. તપાસ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી બ્રિજભૂષણ WFIનું કામકાજ નહીં કરી શકે ઉપરાંત એડિશનલ સચિવ વિનોદ તોમરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 

Wrestlers Protest Against WFI And Brij Bhushan Singh additional secretary suspended meeting cancelled sports ministry Wrestlers vs WFI: नप गए कुश्ती संघ के बड़े अधिकारी, खेल मंत्रालय ने रद्द किए टूर्नामेंट, नहीं होगी कोई बैठक

અનુરાગ ઠાકુર સાથે થયેલી બેઠક બાદ ધરણા સમાપ્ત 

બુધવારથી ભારતના પહેલવાનો જંતર-મંતર ખાતે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપો લગાવી ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા. બ્રિજભૂષણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપે તેવી તેમની માગ હતી. આ મામલાની નોંધ ખેલમંત્રાલયે લીધી. પહેલવાનો સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બે વખત બેઠક કરી હતી. પ્રથમ બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા બીજા દિવસે ફરી એક બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ આ કેસની તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત થયા બાદ પહેલવાનોએ પોતાના ધરણા સમાપ્ત કરી લીધા હતા.



ટૂર્નામેન્ટ અને બેઠક કરાઈ રદ્દ

એક્શનના ભાગ રૂપે ખેલમંત્રાલયે રેસલિંગ ફેડરેશનના તમામ કામો પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉપરાંત તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બ્રિજભૂષણ ફેડરેશનનું કામ નહીં સંભાળે. ઉપરાંત યુનિયનના એડિશનલ સેક્રેટરીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે સિવાય ખેલ મંત્રાલયે ટૂર્નામેનેટો પણ કેન્સલ કરી દીધી છે. અને અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક પણ રદ કરી દેવામાં આવી છે.    




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.