બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત ટ્રેકનું સમારકામ પૂર્ણ થતાં ટ્રેન સેવા શરૂ કરાઈ! પહેલી ટ્રેન જ્યારે પસાર થઈ ત્યારે ભાવુક થયાં રેલવે મંત્રી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-05 14:32:19

શુક્રવાર રાત્રે ઓડિશામાં ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેણે  દેશના લોકોને દુ:ખી કરી દીધા હતા.ઘાયલોની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. 51 કલાક બાદ રવિવાર સાંજે ટ્રેક પરથી પહેલી ટ્રેન પસાર થઈ હતી. બાલાસોર ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત ટ્રેકનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું હતું અને ટ્રેનને ટ્રેક પરથી પસાર કરવામાં આવી હતી. ટ્રેન જ્યારે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાથ જોડીને નમન કરતા દેખાઈ રહ્યા છે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે અમારી જવાબદારી હજી પૂર્ણ નથી થઈ. અમારૂ લક્ષ્ય ખોવાયેલા લોકોને શોધવાનું છે.

      

ટ્રેન પસાર થઈ ત્યારે ભાવુક જોવા મળ્યા અશ્વિની વૈષ્ણવ!   

જ્યારથી ઓડિશામાં રેલવે દુર્ઘટના સર્જાઈ ત્યારથી રેલવે મંત્રી સતત ચર્ચામાં રહ્યા છે. જે દિવસે દુર્ઘટના બની હતી તે સમયથી રેલવે મંત્રી ઓડિશામાં છે. પીએમ મોદીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. 51 કલાક બાદ રેલવે ટ્રેકનું સમારકામ પૂર્ણ થયું હતું. ઘટના બાદથી રેલવે મંત્રી ત્યાં જ છે અને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. રવિવાર રાત્રે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ હતી. આ દરમિયાન અશ્વિની વૈષ્ણવ ભાવુક જોવા મળ્યા હતા. કલાકોની મહેનત બાદ રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ હતી. આ ટ્રેક પરથી પહેલી ટ્રેન રવાના કરવામાં આવી હતી. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાથ જોડીને નમન કરતા જોવા મળ્યા હતા.   

  

અમારી જવાબદારી હજી પૂર્ણ નથી થઈ- અશ્વિની વૈષ્ણવ

આ દરમિયાન રેલવે મંત્રીએ રડતાં રડતાં કહ્યું હતું કે અમારો ઉપદ્દેશ્યએ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને મળી શકે. તેઓ શક્ય તેટલી વહેલી તકે શોધી શકાય. અમારી જવાબદારી હજૂ પૂરી થઈ નથી. બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના થઈ હતી, ત્યાં યુદ્ધના ધોરણે કામ ચલાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ત્રણ ટ્રેનો વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. પીએમ મોદી પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલો સાથે પણ મુલાકાત કરવા પહોંચ્યા હતા.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.