બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત ટ્રેકનું સમારકામ પૂર્ણ થતાં ટ્રેન સેવા શરૂ કરાઈ! પહેલી ટ્રેન જ્યારે પસાર થઈ ત્યારે ભાવુક થયાં રેલવે મંત્રી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-05 14:32:19

શુક્રવાર રાત્રે ઓડિશામાં ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેણે  દેશના લોકોને દુ:ખી કરી દીધા હતા.ઘાયલોની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. 51 કલાક બાદ રવિવાર સાંજે ટ્રેક પરથી પહેલી ટ્રેન પસાર થઈ હતી. બાલાસોર ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત ટ્રેકનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું હતું અને ટ્રેનને ટ્રેક પરથી પસાર કરવામાં આવી હતી. ટ્રેન જ્યારે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાથ જોડીને નમન કરતા દેખાઈ રહ્યા છે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે અમારી જવાબદારી હજી પૂર્ણ નથી થઈ. અમારૂ લક્ષ્ય ખોવાયેલા લોકોને શોધવાનું છે.

      

ટ્રેન પસાર થઈ ત્યારે ભાવુક જોવા મળ્યા અશ્વિની વૈષ્ણવ!   

જ્યારથી ઓડિશામાં રેલવે દુર્ઘટના સર્જાઈ ત્યારથી રેલવે મંત્રી સતત ચર્ચામાં રહ્યા છે. જે દિવસે દુર્ઘટના બની હતી તે સમયથી રેલવે મંત્રી ઓડિશામાં છે. પીએમ મોદીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. 51 કલાક બાદ રેલવે ટ્રેકનું સમારકામ પૂર્ણ થયું હતું. ઘટના બાદથી રેલવે મંત્રી ત્યાં જ છે અને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. રવિવાર રાત્રે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ હતી. આ દરમિયાન અશ્વિની વૈષ્ણવ ભાવુક જોવા મળ્યા હતા. કલાકોની મહેનત બાદ રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ હતી. આ ટ્રેક પરથી પહેલી ટ્રેન રવાના કરવામાં આવી હતી. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાથ જોડીને નમન કરતા જોવા મળ્યા હતા.   

  

અમારી જવાબદારી હજી પૂર્ણ નથી થઈ- અશ્વિની વૈષ્ણવ

આ દરમિયાન રેલવે મંત્રીએ રડતાં રડતાં કહ્યું હતું કે અમારો ઉપદ્દેશ્યએ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને મળી શકે. તેઓ શક્ય તેટલી વહેલી તકે શોધી શકાય. અમારી જવાબદારી હજૂ પૂરી થઈ નથી. બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના થઈ હતી, ત્યાં યુદ્ધના ધોરણે કામ ચલાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ત્રણ ટ્રેનો વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. પીએમ મોદી પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલો સાથે પણ મુલાકાત કરવા પહોંચ્યા હતા.     



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.