બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત ટ્રેકનું સમારકામ પૂર્ણ થતાં ટ્રેન સેવા શરૂ કરાઈ! પહેલી ટ્રેન જ્યારે પસાર થઈ ત્યારે ભાવુક થયાં રેલવે મંત્રી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-05 14:32:19

શુક્રવાર રાત્રે ઓડિશામાં ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેણે  દેશના લોકોને દુ:ખી કરી દીધા હતા.ઘાયલોની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. 51 કલાક બાદ રવિવાર સાંજે ટ્રેક પરથી પહેલી ટ્રેન પસાર થઈ હતી. બાલાસોર ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત ટ્રેકનું રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું હતું અને ટ્રેનને ટ્રેક પરથી પસાર કરવામાં આવી હતી. ટ્રેન જ્યારે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાથ જોડીને નમન કરતા દેખાઈ રહ્યા છે. વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે અમારી જવાબદારી હજી પૂર્ણ નથી થઈ. અમારૂ લક્ષ્ય ખોવાયેલા લોકોને શોધવાનું છે.

      

ટ્રેન પસાર થઈ ત્યારે ભાવુક જોવા મળ્યા અશ્વિની વૈષ્ણવ!   

જ્યારથી ઓડિશામાં રેલવે દુર્ઘટના સર્જાઈ ત્યારથી રેલવે મંત્રી સતત ચર્ચામાં રહ્યા છે. જે દિવસે દુર્ઘટના બની હતી તે સમયથી રેલવે મંત્રી ઓડિશામાં છે. પીએમ મોદીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. 51 કલાક બાદ રેલવે ટ્રેકનું સમારકામ પૂર્ણ થયું હતું. ઘટના બાદથી રેલવે મંત્રી ત્યાં જ છે અને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. રવિવાર રાત્રે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ હતી. આ દરમિયાન અશ્વિની વૈષ્ણવ ભાવુક જોવા મળ્યા હતા. કલાકોની મહેનત બાદ રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ હતી. આ ટ્રેક પરથી પહેલી ટ્રેન રવાના કરવામાં આવી હતી. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાથ જોડીને નમન કરતા જોવા મળ્યા હતા.   

  

અમારી જવાબદારી હજી પૂર્ણ નથી થઈ- અશ્વિની વૈષ્ણવ

આ દરમિયાન રેલવે મંત્રીએ રડતાં રડતાં કહ્યું હતું કે અમારો ઉપદ્દેશ્યએ સુનિશ્ચિત કરવાનો છે કે ગુમ થયેલા લોકોના પરિવારના સભ્યો શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને મળી શકે. તેઓ શક્ય તેટલી વહેલી તકે શોધી શકાય. અમારી જવાબદારી હજૂ પૂરી થઈ નથી. બાલાસોરમાં જ્યાં ટ્રેન દુર્ઘટના થઈ હતી, ત્યાં યુદ્ધના ધોરણે કામ ચલાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ત્રણ ટ્રેનો વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. પીએમ મોદી પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલો સાથે પણ મુલાકાત કરવા પહોંચ્યા હતા.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.