પેશાબકાંડ બાદ MPથી જ સામે આવ્યો એક વીડિયો, જેમાં આદિવાસી યુવકની થઈ રહી હતી પિટાઈ! કોંગ્રેસ આક્રામક દેખાઈ


  • Published By :
  • Published Date : 2023-07-09 18:09:11

હજી મધ્યપ્રદેશમાં બનેલા પેશાબકાંડની ચર્ચાઓ શાંત નથી થઈ. ત્યારે હવે બીજા રાજ્યોમાંથી તેમજ મધ્યપ્રદેશથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં આદિવાસી યુવકો પર જાણે અત્યાચાર કરવામાં આવી રહ્યો હોય. ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આદિવાસી સમુદાયના બે લોકોને મારવામાં આવી રહ્યા છે. બેરહેમીથી તેમને મારવામાં આવી રહ્યા છે. આ ઘટનામાનો એક પીડિત નાબાલિગ છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસે આ મામલે એક્શન લીધા છે. અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

કોંગ્રેસના નેતાએ છાંટ્યું હતું ગંગાજળ 

આદિવાસી લોકો પર જાણે અત્યાચાર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અનેક એવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તેમની પર ખુલ્લેઆમ અત્યાચાર કરવામાં આવી રહ્યો હોય. થોડા દિવસો પહેલા પ્રવેશ શુક્લા નામના વ્યક્તિએ એક આદિવાસી યુવક પર પેશાબ કરી લીધો હતો. જે આદિવાસી પર પેશાબ કરવામાં આવ્યો હતો તેના પગ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ ધોયા હતા. સરકારી આવાસ પર બોલાવી સીએમએ તેમની સાથે ભોજન લીધું હતું, તેના પગ ધોયા હતા. જ્યારે તે સીધી પહોંચ્યા ત્યારે કોંગ્રેસના નેતા દ્વારા તેની પર ગંગાજળ છાંટવામાં આવ્યું હતું.

 

બે આદિવાસી યુવકની કરાઈ 8 કલાક સુધી પીટાઈ!  

આ ઘટનાને હજી લાંબો સમય નથી વીત્યો ત્યારે આદિવાસી પર થતાં અત્યાચારના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પહેલા મધ્યપ્રદેશના સીધીનો વીડિયો સામે આવ્યો હતો ત્યારે હવે ઈંદોરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં બે લોકોને મારવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઘટના 7 જુલાઈની છે અને રાઉ વિસ્તારની છે. પીડિત યુવક ધાર જિલ્લાના છે અને તે મજૂરી કામ કરે છે. 7 જુલાઈના રોજ કામ પતાવી તેઓ બાઈક પર જઈ રહ્યા હતા, તે દરમિયાન ભારે વરસાદ થયો, જેને કારણે તેમની બાઈક પડી ગઈ. ત્યાં હાજર ગાર્ડે બાઈક હટાવવાનું કહ્યું. આ દરમિયાન બંને ભાઈને ગાર્ડ સાથે તેમજ ત્યાં હાજર લોકો સાથે બોલાચાલી થઈ. આ દરમિયાન ગાર્ડે પોતાના મિત્રોને બોલાવ્યા અને આદિવાસી યુવકને મારવાનું શરૂ કરી દીધું. એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે 8 કલાક સુધી તેમને મારવામાં આવ્યા. 


વીડિયો વાયરલ થતાં કોંગ્રેસે સરકારને ઘેરી  

આવા વીડિયો વાયરલ થતાં કોંગ્રેસ આક્રામક થઈ છે. રાજ્ય સરકાર પર પ્રહાર કરી ટ્વિટ કરી છે. ટ્વિટમાં લખ્યું છે કે મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પરના અત્યાચારે તમામ હદ વટાવી દીધી છે. આદિવાસી સમાજની વ્યથા વ્યક્ત કરવા માટે શબ્દો નથી. સીધીની ઘટના બાદ ઈન્દોરના રાઉ વિસ્તારમાં જે રીતે બે આદિવાસી બાળકોને નિર્દયતાથી મારવામાં આવ્યા તેનો વીડિયો સામે આવ્યો છે. શું ભાજપના કુશાસનથી સમાજમાં એટલી બધી નફરત પેદા થઈ છે કે કેટલાક લોકો આદિવાસી સમુદાય અને અન્ય વંચિત સમુદાયોને નફરત કરવા લાગ્યા છે અને તેમને હેરાન કરવા માટે તમામ હદો પાર કરી રહ્યા છે?


આ ઘટનામાં આરોપીની કરાઈ ધરપકડ  

આ ઘટના અંગે પોલીસે કહ્યું કે આ મામલો સામે આવ્યા પછી પોલીસે ત્વરીત એક્શન લીધા છે. આ ઘટનામાં જે મુખ્ય આરોપી સુમિત ચૌધરી સહિત તેમના બંને સાથીની ધરપકડ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ બંને પીડિતોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે ક્યાં સુધી લોકો પર અત્યાચાર થતા રહેશે. પોતાના હક માટે પોતે લડવું પડશે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.