Social Media પર વીડિયો વાયરલ થયા બાદ શા માટે લોકો નાના પાટેકરને કહી રહ્યા છે કે કંટ્રોલ ઉદયભાઈ કંટ્રોલ ? જુઓ Viral Video


  • Published By :
  • Published Date : 2023-11-15 13:07:44

સેલ્ફી લેવાનો ક્રેઝ લોકોમાં વધી ગયો છે. જ્યારે પણ આપણે નવી જગ્યા પર જતા હોઈએ છીએ ત્યારે આપણે ફોટા પડાવતા હોઈએ છીએ. અને જ્યારે આપણે કોઈ મોટી હસ્તી અથવા તો બોલિવુડ અભિનેતાને જોઈએ ત્યારે તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એક ઝલક માટે લોકો પડાપડી કરતા હોય છે. પરંતુ અનેક અભિનેતાઓ એવા હોય છે જેમને સેલ્ફી લેવી પસંદ નથી હોતી! સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નાના પાટેકર સાથે સેલફી લેવા માટે જાય છે તો તે અકળાઈ જાય છે અને તે યુવકને ઝાપટ મારી દે છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા નાના પાટેકર ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં આવી ગયા!

નાના પાટેકરનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

સોશિયલ મીડિયા પર અભિનેતા નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક વ્યક્તિને લાફો મારતા દેખાઈ રહ્યા છે. ફિલ્મની શુટિંગ માટે નાના પાટેકર હમણાં યુપીમાં છે તેવી માહિતી સામે આવી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શુટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક વ્યક્તિ અભિનેતા સાથે સેલ્ફી લેવા માટે ત્યાં આવી પહોંચે છે. વ્યક્તિને જોઈ નાના પાટેકર અકળાયા અને તેને જોરથી ટપલી મારી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.     







અલગ અલગ લોકોએ આપી વીડિયો પર પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયા બાદ અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે સિનિયર એક્ટર થઈને ફેન્સને આવી રીતે ટ્રીટ કરવું યોગ્ય નથી. તો કોઈએ લખ્યું કે આ કંઈ નવું નથી. તો કોઈએ લખ્યું કે હું નાના પાટેકરનો મોટો ફેન છું પરંતુ તેમનો આ વ્યવહાર શર્મજનક છે. તો કોઈએ લખ્યું નાના પાટેકર સારા છે પરંતુ તે શોર્ટ ટેમ્પર છે. આ વીડિયો પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.