Social Media પર વીડિયો વાયરલ થયા બાદ શા માટે લોકો નાના પાટેકરને કહી રહ્યા છે કે કંટ્રોલ ઉદયભાઈ કંટ્રોલ ? જુઓ Viral Video


  • Published By :
  • Published Date : 2023-11-15 13:07:44

સેલ્ફી લેવાનો ક્રેઝ લોકોમાં વધી ગયો છે. જ્યારે પણ આપણે નવી જગ્યા પર જતા હોઈએ છીએ ત્યારે આપણે ફોટા પડાવતા હોઈએ છીએ. અને જ્યારે આપણે કોઈ મોટી હસ્તી અથવા તો બોલિવુડ અભિનેતાને જોઈએ ત્યારે તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એક ઝલક માટે લોકો પડાપડી કરતા હોય છે. પરંતુ અનેક અભિનેતાઓ એવા હોય છે જેમને સેલ્ફી લેવી પસંદ નથી હોતી! સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નાના પાટેકર સાથે સેલફી લેવા માટે જાય છે તો તે અકળાઈ જાય છે અને તે યુવકને ઝાપટ મારી દે છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા નાના પાટેકર ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં આવી ગયા!

નાના પાટેકરનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

સોશિયલ મીડિયા પર અભિનેતા નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક વ્યક્તિને લાફો મારતા દેખાઈ રહ્યા છે. ફિલ્મની શુટિંગ માટે નાના પાટેકર હમણાં યુપીમાં છે તેવી માહિતી સામે આવી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શુટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક વ્યક્તિ અભિનેતા સાથે સેલ્ફી લેવા માટે ત્યાં આવી પહોંચે છે. વ્યક્તિને જોઈ નાના પાટેકર અકળાયા અને તેને જોરથી ટપલી મારી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.     







અલગ અલગ લોકોએ આપી વીડિયો પર પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયા બાદ અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે સિનિયર એક્ટર થઈને ફેન્સને આવી રીતે ટ્રીટ કરવું યોગ્ય નથી. તો કોઈએ લખ્યું કે આ કંઈ નવું નથી. તો કોઈએ લખ્યું કે હું નાના પાટેકરનો મોટો ફેન છું પરંતુ તેમનો આ વ્યવહાર શર્મજનક છે. તો કોઈએ લખ્યું નાના પાટેકર સારા છે પરંતુ તે શોર્ટ ટેમ્પર છે. આ વીડિયો પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો. 



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.