Social Media પર વીડિયો વાયરલ થયા બાદ શા માટે લોકો નાના પાટેકરને કહી રહ્યા છે કે કંટ્રોલ ઉદયભાઈ કંટ્રોલ ? જુઓ Viral Video


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-15 13:07:44

સેલ્ફી લેવાનો ક્રેઝ લોકોમાં વધી ગયો છે. જ્યારે પણ આપણે નવી જગ્યા પર જતા હોઈએ છીએ ત્યારે આપણે ફોટા પડાવતા હોઈએ છીએ. અને જ્યારે આપણે કોઈ મોટી હસ્તી અથવા તો બોલિવુડ અભિનેતાને જોઈએ ત્યારે તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એક ઝલક માટે લોકો પડાપડી કરતા હોય છે. પરંતુ અનેક અભિનેતાઓ એવા હોય છે જેમને સેલ્ફી લેવી પસંદ નથી હોતી! સોશિયલ મીડિયા પર નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નાના પાટેકર સાથે સેલફી લેવા માટે જાય છે તો તે અકળાઈ જાય છે અને તે યુવકને ઝાપટ મારી દે છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા નાના પાટેકર ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં આવી ગયા!

નાના પાટેકરનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ

સોશિયલ મીડિયા પર અભિનેતા નાના પાટેકરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક વ્યક્તિને લાફો મારતા દેખાઈ રહ્યા છે. ફિલ્મની શુટિંગ માટે નાના પાટેકર હમણાં યુપીમાં છે તેવી માહિતી સામે આવી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શુટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક વ્યક્તિ અભિનેતા સાથે સેલ્ફી લેવા માટે ત્યાં આવી પહોંચે છે. વ્યક્તિને જોઈ નાના પાટેકર અકળાયા અને તેને જોરથી ટપલી મારી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.     







અલગ અલગ લોકોએ આપી વીડિયો પર પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયા બાદ અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે સિનિયર એક્ટર થઈને ફેન્સને આવી રીતે ટ્રીટ કરવું યોગ્ય નથી. તો કોઈએ લખ્યું કે આ કંઈ નવું નથી. તો કોઈએ લખ્યું કે હું નાના પાટેકરનો મોટો ફેન છું પરંતુ તેમનો આ વ્યવહાર શર્મજનક છે. તો કોઈએ લખ્યું નાના પાટેકર સારા છે પરંતુ તે શોર્ટ ટેમ્પર છે. આ વીડિયો પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો. 



થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ત્યાં જનસભાને સંબોધી હતી ત્યારે આજે પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરવા ગુજરાત આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે પીએમ મોદી પર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા...અનેક મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી..

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.