વર્લ્ડકપ બાદ મોહમ્મદ શમી ઘરે પહોંચ્યો, બીમાર માતાને ગળે લગાવી કહી દિલને સ્પર્શી લે તેવી વાત


  • Published By :
  • Published Date : 2023-11-22 19:03:59

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ બાદ પોતાના ઘરે પરત ફર્યો છે. શમીએ તેની માતા સાથેનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું કે તેની માતા તેના માટે ઘણું મહત્વ ધરાવે છે. આ સાથે જ તેણે આશા વ્યક્ત કરી છે કે તેની માતા જલ્દી સ્વસ્થ થઈ જશે. આ તસવીરમાં શમી તેની માતાને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. વન ડે વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન શમીની માતાની તબિયત બગડી હતી. તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જો કે આ દરમિયાન શમી દેશ માટે મેચ પણ રમી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જો કે શમીના પ્રદર્શનના બધાએ વખાણ કર્યા હતા.

 

માતા અંગે શું કહ્યું?


વર્લ્ડ કપ બાદ શમીએ એક ઈન્ટર્વ્યુંમાં તેમની માતા અંગે એક વાત કહીં હતી. તેમણે કહ્યું કે તેમના પરિવાર માટે તેમની માતા ખુબ જ મહત્વ ધરાવે છે. શમીએ તે પણ જણાવ્યું કે તેમના પરિવારના લોકો જ તેમના સૌથી સારા મિત્રો છે. દરેક મુશ્કેલ સમયમાં શમીનો પરિવાર તેમની સાથે હતો. આ જ કારણે તે આ કક્ષાએ પહોંચવામાં સફળ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે શમીનો પરિવાર પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર ગામમાં રહે છે. શમીએ પોતાના અને નાના ભાઈની ટ્રેનિંગ માટે આ ગામડાના ઘરમાં પીચ પણ બનાવી છે.


વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન

 

મોહમ્મદ શમીએ વન ડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે સૌથી વધુ 24 વિકેટ લેનાર બોલર બન્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે શમીને પ્રથમ ચાર મેચમાં રમવાની તક મળી ન હતી. આમ છતાં તેણે બધાને પાછળ છોડી દીધા અને વિકેટ લેવાની રેસમાં આગળ નિકળી ગયો હતો. ભારતીય પીચ પર ફાસ્ટ બોલરનું આ પ્રદર્શન અતુલ્ય છે. શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.