વર્લ્ડકપ બાદ મોહમ્મદ શમી ઘરે પહોંચ્યો, બીમાર માતાને ગળે લગાવી કહી દિલને સ્પર્શી લે તેવી વાત


  • Published By :
  • Published Date : 2023-11-22 19:03:59

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ બાદ પોતાના ઘરે પરત ફર્યો છે. શમીએ તેની માતા સાથેનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું કે તેની માતા તેના માટે ઘણું મહત્વ ધરાવે છે. આ સાથે જ તેણે આશા વ્યક્ત કરી છે કે તેની માતા જલ્દી સ્વસ્થ થઈ જશે. આ તસવીરમાં શમી તેની માતાને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. વન ડે વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન શમીની માતાની તબિયત બગડી હતી. તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જો કે આ દરમિયાન શમી દેશ માટે મેચ પણ રમી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જો કે શમીના પ્રદર્શનના બધાએ વખાણ કર્યા હતા.

 

માતા અંગે શું કહ્યું?


વર્લ્ડ કપ બાદ શમીએ એક ઈન્ટર્વ્યુંમાં તેમની માતા અંગે એક વાત કહીં હતી. તેમણે કહ્યું કે તેમના પરિવાર માટે તેમની માતા ખુબ જ મહત્વ ધરાવે છે. શમીએ તે પણ જણાવ્યું કે તેમના પરિવારના લોકો જ તેમના સૌથી સારા મિત્રો છે. દરેક મુશ્કેલ સમયમાં શમીનો પરિવાર તેમની સાથે હતો. આ જ કારણે તે આ કક્ષાએ પહોંચવામાં સફળ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે શમીનો પરિવાર પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર ગામમાં રહે છે. શમીએ પોતાના અને નાના ભાઈની ટ્રેનિંગ માટે આ ગામડાના ઘરમાં પીચ પણ બનાવી છે.


વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન

 

મોહમ્મદ શમીએ વન ડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે સૌથી વધુ 24 વિકેટ લેનાર બોલર બન્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે શમીને પ્રથમ ચાર મેચમાં રમવાની તક મળી ન હતી. આમ છતાં તેણે બધાને પાછળ છોડી દીધા અને વિકેટ લેવાની રેસમાં આગળ નિકળી ગયો હતો. ભારતીય પીચ પર ફાસ્ટ બોલરનું આ પ્રદર્શન અતુલ્ય છે. શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.