વર્લ્ડકપ બાદ મોહમ્મદ શમી ઘરે પહોંચ્યો, બીમાર માતાને ગળે લગાવી કહી દિલને સ્પર્શી લે તેવી વાત


  • Published By :
  • Published Date : 2023-11-22 19:03:59

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ બાદ પોતાના ઘરે પરત ફર્યો છે. શમીએ તેની માતા સાથેનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું કે તેની માતા તેના માટે ઘણું મહત્વ ધરાવે છે. આ સાથે જ તેણે આશા વ્યક્ત કરી છે કે તેની માતા જલ્દી સ્વસ્થ થઈ જશે. આ તસવીરમાં શમી તેની માતાને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. વન ડે વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન શમીની માતાની તબિયત બગડી હતી. તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જો કે આ દરમિયાન શમી દેશ માટે મેચ પણ રમી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જો કે શમીના પ્રદર્શનના બધાએ વખાણ કર્યા હતા.

 

માતા અંગે શું કહ્યું?


વર્લ્ડ કપ બાદ શમીએ એક ઈન્ટર્વ્યુંમાં તેમની માતા અંગે એક વાત કહીં હતી. તેમણે કહ્યું કે તેમના પરિવાર માટે તેમની માતા ખુબ જ મહત્વ ધરાવે છે. શમીએ તે પણ જણાવ્યું કે તેમના પરિવારના લોકો જ તેમના સૌથી સારા મિત્રો છે. દરેક મુશ્કેલ સમયમાં શમીનો પરિવાર તેમની સાથે હતો. આ જ કારણે તે આ કક્ષાએ પહોંચવામાં સફળ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે શમીનો પરિવાર પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર ગામમાં રહે છે. શમીએ પોતાના અને નાના ભાઈની ટ્રેનિંગ માટે આ ગામડાના ઘરમાં પીચ પણ બનાવી છે.


વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન

 

મોહમ્મદ શમીએ વન ડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે સૌથી વધુ 24 વિકેટ લેનાર બોલર બન્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે શમીને પ્રથમ ચાર મેચમાં રમવાની તક મળી ન હતી. આમ છતાં તેણે બધાને પાછળ છોડી દીધા અને વિકેટ લેવાની રેસમાં આગળ નિકળી ગયો હતો. ભારતીય પીચ પર ફાસ્ટ બોલરનું આ પ્રદર્શન અતુલ્ય છે. શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.