વર્લ્ડકપ બાદ મોહમ્મદ શમી ઘરે પહોંચ્યો, બીમાર માતાને ગળે લગાવી કહી દિલને સ્પર્શી લે તેવી વાત


  • Published By :
  • Published Date : 2023-11-22 19:03:59

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડ કપ બાદ પોતાના ઘરે પરત ફર્યો છે. શમીએ તેની માતા સાથેનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટો શેર કરતી વખતે શમીએ લખ્યું કે તેની માતા તેના માટે ઘણું મહત્વ ધરાવે છે. આ સાથે જ તેણે આશા વ્યક્ત કરી છે કે તેની માતા જલ્દી સ્વસ્થ થઈ જશે. આ તસવીરમાં શમી તેની માતાને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. વન ડે વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન શમીની માતાની તબિયત બગડી હતી. તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જો કે આ દરમિયાન શમી દેશ માટે મેચ પણ રમી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જો કે શમીના પ્રદર્શનના બધાએ વખાણ કર્યા હતા.

 

માતા અંગે શું કહ્યું?


વર્લ્ડ કપ બાદ શમીએ એક ઈન્ટર્વ્યુંમાં તેમની માતા અંગે એક વાત કહીં હતી. તેમણે કહ્યું કે તેમના પરિવાર માટે તેમની માતા ખુબ જ મહત્વ ધરાવે છે. શમીએ તે પણ જણાવ્યું કે તેમના પરિવારના લોકો જ તેમના સૌથી સારા મિત્રો છે. દરેક મુશ્કેલ સમયમાં શમીનો પરિવાર તેમની સાથે હતો. આ જ કારણે તે આ કક્ષાએ પહોંચવામાં સફળ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે શમીનો પરિવાર પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સહસપુર ગામમાં રહે છે. શમીએ પોતાના અને નાના ભાઈની ટ્રેનિંગ માટે આ ગામડાના ઘરમાં પીચ પણ બનાવી છે.


વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન

 

મોહમ્મદ શમીએ વન ડે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે સૌથી વધુ 24 વિકેટ લેનાર બોલર બન્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે શમીને પ્રથમ ચાર મેચમાં રમવાની તક મળી ન હતી. આમ છતાં તેણે બધાને પાછળ છોડી દીધા અને વિકેટ લેવાની રેસમાં આગળ નિકળી ગયો હતો. ભારતીય પીચ પર ફાસ્ટ બોલરનું આ પ્રદર્શન અતુલ્ય છે. શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.