તુર્કી અને સીરિયા બાદ તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધરા ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા હતા ભૂકંપના આંચકા


  • Published By :
  • Published Date : 2023-02-23 10:50:56

તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો બેઘર થયા છે. ત્યારે તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ગુરૂવાર સવારે ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 265 કિમી દૂર નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપના આંચકાની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. 18 મિનિટની અંદર બે વખત ધરા ધ્રુજી હતી. પ્રથમ વખત આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 હતી જ્યારે બીજી વખત આવેલા ભૂકંપની તીવ્રતા 5ની આસપાસ નોંધાઈ હતી. આ સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો.


બે વખત ધ્રુજી હતી ધરા 

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યો હતો જેને કારણે હજારો લોકોના જીવ ગયા છે ઉપરાંત અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ગુરુવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. અફઘાનિસ્તાનમાં થોડી મિનિટોમાં જ બે વખત ધરા ધ્રૂજી હતી. 


6.6 તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ 

રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.6 નોંધાઈ હતી. માત્ર 18 મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. પ્રથમ વખત આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી જ્યારે બીજી વખત આવેલા ભૂકંપની તીવ્રતા પાંચથી ઉપર નોંધાઈ હતી. પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે હતું. તે સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.