તુર્કી અને સીરિયા બાદ તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધરા ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા હતા ભૂકંપના આંચકા


  • Published By :
  • Published Date : 2023-02-23 10:50:56

તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપને કારણે અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો બેઘર થયા છે. ત્યારે તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ગુરૂવાર સવારે ભૂકંપના તીવ્ર આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 265 કિમી દૂર નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપના આંચકાની તીવ્રતા 6.6 નોંધાઈ હતી. 18 મિનિટની અંદર બે વખત ધરા ધ્રુજી હતી. પ્રથમ વખત આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 હતી જ્યારે બીજી વખત આવેલા ભૂકંપની તીવ્રતા 5ની આસપાસ નોંધાઈ હતી. આ સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો.


બે વખત ધ્રુજી હતી ધરા 

વિશ્વના અનેક દેશોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા તુર્કી અને સીરિયામાં ભૂકંપ આવ્યો હતો જેને કારણે હજારો લોકોના જીવ ગયા છે ઉપરાંત અનેક લોકો બેઘર થયા છે. ત્યારે ગુરુવારે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. અફઘાનિસ્તાનમાં થોડી મિનિટોમાં જ બે વખત ધરા ધ્રૂજી હતી. 


6.6 તીવ્રતાનો આવ્યો હતો ભૂકંપ 

રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.6 નોંધાઈ હતી. માત્ર 18 મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. પ્રથમ વખત આવેલા ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ હતી જ્યારે બીજી વખત આવેલા ભૂકંપની તીવ્રતા પાંચથી ઉપર નોંધાઈ હતી. પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે હતું. તે સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો.       



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .