અફઝલ અંસારીનું સંસદ સભ્ય પદ રદ્દ થયું, ગેંગસ્ટર એક્ટ હેઠળ થઈ છે 4 વર્ષની સજા


  • Published By :
  • Published Date : 2023-05-01 21:24:50

અફઝલ અંસારીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પહેલા ગેંગસ્ટર એક્ટમાં તેને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી હતી, હવે તેનું સાંસદ પદ પણ નિયમ હેઠળ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અત્યાર સુધી અફઝલ અંસારી ગાઝીપુર સીટથી બહુજન સમાજ પાર્ટીના સાંસદ હતા, પરંતુ હવે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.


અફઝલ અંસારી સામે ગુનો શું છે?


અફઝલ અંસારી ડોન મુખ્તાર અંસારીનો ભાઈ છે. બંને નેતાઓ હાલમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યા છે. જે કેસમાં આ સજાની જાહેરાત કરવામાં આવી છે તે 2005માં થયેલી હત્યા સાથે સંબંધિત છે. વાસ્તવમાં આરોપ છે કે વર્ષ 2005માં ભાજપના તત્કાલિન ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં અફઝલ અંસારી, મુખ્તાર અંસારી અને એઝાઝુલ હકનું નામ સામે આવ્યું આરોપી તરીકે આગળ આવ્યા હતા. 2007માં તેમના પર ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં હતું, અને ત્યારથી બંને ભાઈઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે આ જે કેસમાં અફઝલને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે.


અફઝલની મુશ્કેલી વધી


જનપ્રતિનિધિ કાનુનની કલમ 8માં પણ સ્પષ્ટતાથી જણાવ્યું છે, જો કોઈ સાંસદ કે ધારાસભ્ય કોઈ કેસમાં દોષિત જાહેર થાય છે તો  આ પરિસ્થિતીમાં તે 6 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. હવે જો કે અફઝલને તો સીધી ચાર વર્ષની કેદ થઈ છે. આ પરિસ્થિતીમાં તેને કોઈ પણ પ્રકારની રાહત નહીં મળી શકે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.