અફઝલ અંસારીનું સંસદ સભ્ય પદ રદ્દ થયું, ગેંગસ્ટર એક્ટ હેઠળ થઈ છે 4 વર્ષની સજા


  • Published By :
  • Published Date : 2023-05-01 21:24:50

અફઝલ અંસારીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પહેલા ગેંગસ્ટર એક્ટમાં તેને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી હતી, હવે તેનું સાંસદ પદ પણ નિયમ હેઠળ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અત્યાર સુધી અફઝલ અંસારી ગાઝીપુર સીટથી બહુજન સમાજ પાર્ટીના સાંસદ હતા, પરંતુ હવે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.


અફઝલ અંસારી સામે ગુનો શું છે?


અફઝલ અંસારી ડોન મુખ્તાર અંસારીનો ભાઈ છે. બંને નેતાઓ હાલમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યા છે. જે કેસમાં આ સજાની જાહેરાત કરવામાં આવી છે તે 2005માં થયેલી હત્યા સાથે સંબંધિત છે. વાસ્તવમાં આરોપ છે કે વર્ષ 2005માં ભાજપના તત્કાલિન ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં અફઝલ અંસારી, મુખ્તાર અંસારી અને એઝાઝુલ હકનું નામ સામે આવ્યું આરોપી તરીકે આગળ આવ્યા હતા. 2007માં તેમના પર ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં હતું, અને ત્યારથી બંને ભાઈઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે આ જે કેસમાં અફઝલને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે.


અફઝલની મુશ્કેલી વધી


જનપ્રતિનિધિ કાનુનની કલમ 8માં પણ સ્પષ્ટતાથી જણાવ્યું છે, જો કોઈ સાંસદ કે ધારાસભ્ય કોઈ કેસમાં દોષિત જાહેર થાય છે તો  આ પરિસ્થિતીમાં તે 6 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. હવે જો કે અફઝલને તો સીધી ચાર વર્ષની કેદ થઈ છે. આ પરિસ્થિતીમાં તેને કોઈ પણ પ્રકારની રાહત નહીં મળી શકે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.