અફઝલ અંસારીનું સંસદ સભ્ય પદ રદ્દ થયું, ગેંગસ્ટર એક્ટ હેઠળ થઈ છે 4 વર્ષની સજા


  • Published By :
  • Published Date : 2023-05-01 21:24:50

અફઝલ અંસારીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પહેલા ગેંગસ્ટર એક્ટમાં તેને કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી હતી, હવે તેનું સાંસદ પદ પણ નિયમ હેઠળ રદ કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અત્યાર સુધી અફઝલ અંસારી ગાઝીપુર સીટથી બહુજન સમાજ પાર્ટીના સાંસદ હતા, પરંતુ હવે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.


અફઝલ અંસારી સામે ગુનો શું છે?


અફઝલ અંસારી ડોન મુખ્તાર અંસારીનો ભાઈ છે. બંને નેતાઓ હાલમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યા છે. જે કેસમાં આ સજાની જાહેરાત કરવામાં આવી છે તે 2005માં થયેલી હત્યા સાથે સંબંધિત છે. વાસ્તવમાં આરોપ છે કે વર્ષ 2005માં ભાજપના તત્કાલિન ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત 7 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં અફઝલ અંસારી, મુખ્તાર અંસારી અને એઝાઝુલ હકનું નામ સામે આવ્યું આરોપી તરીકે આગળ આવ્યા હતા. 2007માં તેમના પર ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં હતું, અને ત્યારથી બંને ભાઈઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી. હવે આ જે કેસમાં અફઝલને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે.


અફઝલની મુશ્કેલી વધી


જનપ્રતિનિધિ કાનુનની કલમ 8માં પણ સ્પષ્ટતાથી જણાવ્યું છે, જો કોઈ સાંસદ કે ધારાસભ્ય કોઈ કેસમાં દોષિત જાહેર થાય છે તો  આ પરિસ્થિતીમાં તે 6 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. હવે જો કે અફઝલને તો સીધી ચાર વર્ષની કેદ થઈ છે. આ પરિસ્થિતીમાં તેને કોઈ પણ પ્રકારની રાહત નહીં મળી શકે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.