ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું , "2જી એપ્રિલે ભારતનો વારો નક્કી!"


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 17:59:26

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી ફરી એકવાર સત્તામાં આવ્યા છે ત્યારથી જ યુએસએ પોતાના સહયોગી દેશો પ્રત્યે ખુબ આકરું વલણ રાખ્યું છે .  જેમ કે કેનેડા , મેક્સિકો , બ્રિટેન . હવે આ લિસ્ટમાં ભારત પણ આવી ચૂક્યું છે . ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ટેરિફને લઈને ભારતને આડેહાથ લીધું છે . ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિના ચૂંટણી પ્રચાર દરમ્યાન ઘણીવાર કહી ચુક્યા છે કે , " ડિક્ષનરીમાં ટેરિફ તેમનો સૌથી મનપસંદ શબ્દ છે." અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક ખાનગી ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે , " મારે ભારત સાથે ખુબ સારા સબંધો છે . મારી ભારત જોડે એક જ સમસ્યા છે કે , તેઓ વિશ્વભરમાં સૌથી વધારે ટેરિફ લગાવતા દેશોમાંથી એક છે. હું સ્પષ્ટપણે માનુ  છું કે , ભારત ટેરિફ ઓછા કરશે . પરંતુ બીજી એપ્રિલના રોજ જે ટેરિફ ભારત લગાડતું આવ્યું છે તેટલો જ ટેરિફ અમે ભારતને લગાડીશું." આ તરફ ભારત ૨૦૨૫ના વર્ષના અંત સુધીમાં યુએસ સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરારો (બાઈલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી)  કરવા માંગે છે. ભારતના સ્ટીલ અને એલ્યૂમિનિયમ સેક્ટર અગાઉથી જ યુએસમાં ૨૫ ટકા ટેરીફનો સામનો કરી રહ્યા છે. આનાથી ભારતના ૫ બિલિયન ડોલરની કિંમતના માલને અસર પહોંચી છે . ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેઉ વચ્ચેની મિટિંગમાં ઘણીબધી વસ્તુઓ પર ટેરિફ ઘટાડવા પર ચર્ચા થઈ હતી પરંતુ લાગતું નથી કે અમેરિકા કોઈ પણ પ્રકારનું નમતું જોખવા તૈયાર હોય. 

Masterclass For World Leaders": CNN On PM Modi's Negotiations With Trump

વાત કરીએ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપારની તો , ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળ દરમ્યાન તેમણે ભારત પાસેથી "જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ " એટલેકે GSP નું બિરુદ લઈ દીધું હતું , આ GSP અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાંથી આવતા માલ સામાનની આયાત પર ખુબ નહિવત અથવા તો ઝીરો ટેરિફ લગાડે છે , પરંતુ ટ્રમ્પએ ભારતને આ ઝટકો આપતા આપણને ૭૦ મિલિયન ડોલરનો ફટકો પડ્યો હતો . વાત કરીએ હાલની તો યુએસ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે . આપણે અમેરિકા પાસે ટ્રેડ પ્લસ છીએ તેનો મતલબ જેટલી વસ્તુ આપણે અમેરિકામાંથી આયાત કરીએ છીએ તેના કરતા વધારે વસ્તુ આપણે અમેરિકમાં નિકાસ કરીએ છીએ . ૨૦૨૩ના વર્ષમાં ભારતે અમેરિકામાં ૮૫.૫ બિલિયન ડોલરના કિંમતની વસ્તુઓ નિકાસ કરી હતી . આ મુખ્ય નિકાસોમાં ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ , દવાઓ , જેમ્સ અને જવેલરી ,  રીફાઇન્ડ  ક્રૂડ ઓઇલનો સમાવેશ થાય છે. તો હવે જોઈએ , અમેરિકા ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે . ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે સંભાવના છે કે તે સમયે બેઉ દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારી કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.