ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું , "2જી એપ્રિલે ભારતનો વારો નક્કી!"


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 17:59:26

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી ફરી એકવાર સત્તામાં આવ્યા છે ત્યારથી જ યુએસએ પોતાના સહયોગી દેશો પ્રત્યે ખુબ આકરું વલણ રાખ્યું છે .  જેમ કે કેનેડા , મેક્સિકો , બ્રિટેન . હવે આ લિસ્ટમાં ભારત પણ આવી ચૂક્યું છે . ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ટેરિફને લઈને ભારતને આડેહાથ લીધું છે . ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિના ચૂંટણી પ્રચાર દરમ્યાન ઘણીવાર કહી ચુક્યા છે કે , " ડિક્ષનરીમાં ટેરિફ તેમનો સૌથી મનપસંદ શબ્દ છે." અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક ખાનગી ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે , " મારે ભારત સાથે ખુબ સારા સબંધો છે . મારી ભારત જોડે એક જ સમસ્યા છે કે , તેઓ વિશ્વભરમાં સૌથી વધારે ટેરિફ લગાવતા દેશોમાંથી એક છે. હું સ્પષ્ટપણે માનુ  છું કે , ભારત ટેરિફ ઓછા કરશે . પરંતુ બીજી એપ્રિલના રોજ જે ટેરિફ ભારત લગાડતું આવ્યું છે તેટલો જ ટેરિફ અમે ભારતને લગાડીશું." આ તરફ ભારત ૨૦૨૫ના વર્ષના અંત સુધીમાં યુએસ સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરારો (બાઈલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી)  કરવા માંગે છે. ભારતના સ્ટીલ અને એલ્યૂમિનિયમ સેક્ટર અગાઉથી જ યુએસમાં ૨૫ ટકા ટેરીફનો સામનો કરી રહ્યા છે. આનાથી ભારતના ૫ બિલિયન ડોલરની કિંમતના માલને અસર પહોંચી છે . ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેઉ વચ્ચેની મિટિંગમાં ઘણીબધી વસ્તુઓ પર ટેરિફ ઘટાડવા પર ચર્ચા થઈ હતી પરંતુ લાગતું નથી કે અમેરિકા કોઈ પણ પ્રકારનું નમતું જોખવા તૈયાર હોય. 

Masterclass For World Leaders": CNN On PM Modi's Negotiations With Trump

વાત કરીએ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપારની તો , ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળ દરમ્યાન તેમણે ભારત પાસેથી "જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ " એટલેકે GSP નું બિરુદ લઈ દીધું હતું , આ GSP અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાંથી આવતા માલ સામાનની આયાત પર ખુબ નહિવત અથવા તો ઝીરો ટેરિફ લગાડે છે , પરંતુ ટ્રમ્પએ ભારતને આ ઝટકો આપતા આપણને ૭૦ મિલિયન ડોલરનો ફટકો પડ્યો હતો . વાત કરીએ હાલની તો યુએસ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે . આપણે અમેરિકા પાસે ટ્રેડ પ્લસ છીએ તેનો મતલબ જેટલી વસ્તુ આપણે અમેરિકામાંથી આયાત કરીએ છીએ તેના કરતા વધારે વસ્તુ આપણે અમેરિકમાં નિકાસ કરીએ છીએ . ૨૦૨૩ના વર્ષમાં ભારતે અમેરિકામાં ૮૫.૫ બિલિયન ડોલરના કિંમતની વસ્તુઓ નિકાસ કરી હતી . આ મુખ્ય નિકાસોમાં ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ , દવાઓ , જેમ્સ અને જવેલરી ,  રીફાઇન્ડ  ક્રૂડ ઓઇલનો સમાવેશ થાય છે. તો હવે જોઈએ , અમેરિકા ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે . ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે સંભાવના છે કે તે સમયે બેઉ દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારી કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે.



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.