ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું , "2જી એપ્રિલે ભારતનો વારો નક્કી!"


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 17:59:26

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી ફરી એકવાર સત્તામાં આવ્યા છે ત્યારથી જ યુએસએ પોતાના સહયોગી દેશો પ્રત્યે ખુબ આકરું વલણ રાખ્યું છે .  જેમ કે કેનેડા , મેક્સિકો , બ્રિટેન . હવે આ લિસ્ટમાં ભારત પણ આવી ચૂક્યું છે . ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ટેરિફને લઈને ભારતને આડેહાથ લીધું છે . ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિના ચૂંટણી પ્રચાર દરમ્યાન ઘણીવાર કહી ચુક્યા છે કે , " ડિક્ષનરીમાં ટેરિફ તેમનો સૌથી મનપસંદ શબ્દ છે." અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક ખાનગી ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે , " મારે ભારત સાથે ખુબ સારા સબંધો છે . મારી ભારત જોડે એક જ સમસ્યા છે કે , તેઓ વિશ્વભરમાં સૌથી વધારે ટેરિફ લગાવતા દેશોમાંથી એક છે. હું સ્પષ્ટપણે માનુ  છું કે , ભારત ટેરિફ ઓછા કરશે . પરંતુ બીજી એપ્રિલના રોજ જે ટેરિફ ભારત લગાડતું આવ્યું છે તેટલો જ ટેરિફ અમે ભારતને લગાડીશું." આ તરફ ભારત ૨૦૨૫ના વર્ષના અંત સુધીમાં યુએસ સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરારો (બાઈલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી)  કરવા માંગે છે. ભારતના સ્ટીલ અને એલ્યૂમિનિયમ સેક્ટર અગાઉથી જ યુએસમાં ૨૫ ટકા ટેરીફનો સામનો કરી રહ્યા છે. આનાથી ભારતના ૫ બિલિયન ડોલરની કિંમતના માલને અસર પહોંચી છે . ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેઉ વચ્ચેની મિટિંગમાં ઘણીબધી વસ્તુઓ પર ટેરિફ ઘટાડવા પર ચર્ચા થઈ હતી પરંતુ લાગતું નથી કે અમેરિકા કોઈ પણ પ્રકારનું નમતું જોખવા તૈયાર હોય. 

Masterclass For World Leaders": CNN On PM Modi's Negotiations With Trump

વાત કરીએ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપારની તો , ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળ દરમ્યાન તેમણે ભારત પાસેથી "જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ " એટલેકે GSP નું બિરુદ લઈ દીધું હતું , આ GSP અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાંથી આવતા માલ સામાનની આયાત પર ખુબ નહિવત અથવા તો ઝીરો ટેરિફ લગાડે છે , પરંતુ ટ્રમ્પએ ભારતને આ ઝટકો આપતા આપણને ૭૦ મિલિયન ડોલરનો ફટકો પડ્યો હતો . વાત કરીએ હાલની તો યુએસ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે . આપણે અમેરિકા પાસે ટ્રેડ પ્લસ છીએ તેનો મતલબ જેટલી વસ્તુ આપણે અમેરિકામાંથી આયાત કરીએ છીએ તેના કરતા વધારે વસ્તુ આપણે અમેરિકમાં નિકાસ કરીએ છીએ . ૨૦૨૩ના વર્ષમાં ભારતે અમેરિકામાં ૮૫.૫ બિલિયન ડોલરના કિંમતની વસ્તુઓ નિકાસ કરી હતી . આ મુખ્ય નિકાસોમાં ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ , દવાઓ , જેમ્સ અને જવેલરી ,  રીફાઇન્ડ  ક્રૂડ ઓઇલનો સમાવેશ થાય છે. તો હવે જોઈએ , અમેરિકા ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે . ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે સંભાવના છે કે તે સમયે બેઉ દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારી કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે.



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.