ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું , "2જી એપ્રિલે ભારતનો વારો નક્કી!"


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 17:59:26

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી ફરી એકવાર સત્તામાં આવ્યા છે ત્યારથી જ યુએસએ પોતાના સહયોગી દેશો પ્રત્યે ખુબ આકરું વલણ રાખ્યું છે .  જેમ કે કેનેડા , મેક્સિકો , બ્રિટેન . હવે આ લિસ્ટમાં ભારત પણ આવી ચૂક્યું છે . ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ટેરિફને લઈને ભારતને આડેહાથ લીધું છે . ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિના ચૂંટણી પ્રચાર દરમ્યાન ઘણીવાર કહી ચુક્યા છે કે , " ડિક્ષનરીમાં ટેરિફ તેમનો સૌથી મનપસંદ શબ્દ છે." અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક ખાનગી ન્યૂઝચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે , " મારે ભારત સાથે ખુબ સારા સબંધો છે . મારી ભારત જોડે એક જ સમસ્યા છે કે , તેઓ વિશ્વભરમાં સૌથી વધારે ટેરિફ લગાવતા દેશોમાંથી એક છે. હું સ્પષ્ટપણે માનુ  છું કે , ભારત ટેરિફ ઓછા કરશે . પરંતુ બીજી એપ્રિલના રોજ જે ટેરિફ ભારત લગાડતું આવ્યું છે તેટલો જ ટેરિફ અમે ભારતને લગાડીશું." આ તરફ ભારત ૨૦૨૫ના વર્ષના અંત સુધીમાં યુએસ સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરારો (બાઈલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી)  કરવા માંગે છે. ભારતના સ્ટીલ અને એલ્યૂમિનિયમ સેક્ટર અગાઉથી જ યુએસમાં ૨૫ ટકા ટેરીફનો સામનો કરી રહ્યા છે. આનાથી ભારતના ૫ બિલિયન ડોલરની કિંમતના માલને અસર પહોંચી છે . ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેઉ વચ્ચેની મિટિંગમાં ઘણીબધી વસ્તુઓ પર ટેરિફ ઘટાડવા પર ચર્ચા થઈ હતી પરંતુ લાગતું નથી કે અમેરિકા કોઈ પણ પ્રકારનું નમતું જોખવા તૈયાર હોય. 

Masterclass For World Leaders": CNN On PM Modi's Negotiations With Trump

વાત કરીએ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપારની તો , ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળ દરમ્યાન તેમણે ભારત પાસેથી "જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ " એટલેકે GSP નું બિરુદ લઈ દીધું હતું , આ GSP અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાંથી આવતા માલ સામાનની આયાત પર ખુબ નહિવત અથવા તો ઝીરો ટેરિફ લગાડે છે , પરંતુ ટ્રમ્પએ ભારતને આ ઝટકો આપતા આપણને ૭૦ મિલિયન ડોલરનો ફટકો પડ્યો હતો . વાત કરીએ હાલની તો યુએસ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે . આપણે અમેરિકા પાસે ટ્રેડ પ્લસ છીએ તેનો મતલબ જેટલી વસ્તુ આપણે અમેરિકામાંથી આયાત કરીએ છીએ તેના કરતા વધારે વસ્તુ આપણે અમેરિકમાં નિકાસ કરીએ છીએ . ૨૦૨૩ના વર્ષમાં ભારતે અમેરિકામાં ૮૫.૫ બિલિયન ડોલરના કિંમતની વસ્તુઓ નિકાસ કરી હતી . આ મુખ્ય નિકાસોમાં ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ , દવાઓ , જેમ્સ અને જવેલરી ,  રીફાઇન્ડ  ક્રૂડ ઓઇલનો સમાવેશ થાય છે. તો હવે જોઈએ , અમેરિકા ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે . ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે સંભાવના છે કે તે સમયે બેઉ દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારી કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.