પાક આર્મી ચીફ અસીમ મુનીરની ભારત માટે ખોખલી ધમકી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-11 20:40:33

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે.  તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે. 

Pakistan Army chief Asim Munir makes second visit to US since June, meets  political, military leaders | World News - Hindustan Times

ભારત અને પાકિસ્તાન બેઉ દેશો આજે અને કાલે બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટના રોજ અરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ શરુ કર્યો છે. ગુજરાતના કિનારે ભારતીય નેવી અને સિંધના કિનારે પાકિસ્તાની નૌકા સેનાઓ યુદ્ધ અભ્યાસ હાથ ધરશે. ભારતીય નેવી અને પાકિસ્તાનની નેવીએ આ માટે , NOTMAR એટલેકે , નોટિસ ટુ મરીનર્સ જારી કર્યું છે . NOTMAR મુજબ બને દેશના નિર્ધારિત ફાયરિંગ ઝોન વચ્ચે માત્ર ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. ભારતની નૌકા સેનાએ ૧૧મી ઓગસ્ટના બપોરે , ૧૧:૩૦ થી ૧૩:૩૦ વચ્ચે ફાયરિંગ અભ્યાસ કરશે. આ સમયગાળા દરમ્યાન તમામ વેપારી જહાજો અને માછીમારી હોડીઓને આ વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે , આ પ્રકારના અભ્યાસ , પૂર્વનિર્ધારિત તાલીમનો ભાગ હોય છે , પરંતુ વર્તમાન સંજોગોમાં સરહદી તણાવ વચ્ચે બંને દેશનો અભ્યાસ એક પ્રકારે શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે. 

We'll Take Half World Down With Us": Pakistan Army Chief Asim Munir's  Nuclear Threat In US

હવે વાત કરીએ , પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની તો , તેઓ હાલમાં યુએસની મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર પછી અસીમ મુનીરનો આ બીજો યુએસ પ્રવાસ છે . આ વખતે , પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે , યુએસના ફ્લોરિડા રાજ્યના ટામ્પા શહેરની મુલાકાત લીધી છે , જ્યાં તેમણે યુએસના સેન્ટ્રલ કમાન્ડના જનરલ માઈકલ કુરિલ્લાની રિટાયરમેન્ટ પાર્ટીમાં હાજરી આપી હતી . આ પછી ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે , બિઝનેસ અને નાગરિક કાઉન્સેલ અદનાન અસદે બ્લેક તાઈ ડિનર હોસ્ટ કર્યું હતું . આ ઇવેન્ટમાં પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કહ્યું કે , " અમે એક ન્યુક્લિયર નેશન ( પરમાણુ સંપન્ન) દેશ છીએ. જો અમને લાગ્યું કે અમે ડૂબી રહ્યા છીએ , તો પછી અમે અડધી દુનિયાને પણ સાથે લઇ ડુંબીશું . અમે રાહ જોઇશુ કે ભારત સિંધુ નદી પર બંધ બનાવે , જેવો જ ભારત બંધ બનાવશે કે અમે તેની પર દસ મિસાઇલો દાગી દઈશું. સિંધુ નદી કોઈ ભારતની ફેમિલી પ્રોપર્ટી નથી. અમારી પાસે મિસાઈલોની કોઈ કમી નથી. ભારત એક મર્સીડીઝ જેવું છે , જે ફરારીની જેમ હાઇવે પર દોડી રહી છે. અને અમે રેતીથી ભરેલો એક ડમ્પર ટ્રક છીએ. જો આ ટ્રક કારથી અથડાઈ જાય તો , નુકશાન કોનું થશે? ભારત પોતાને વર્લ્ડ લીડરના રૂપમાં પેશ કરવા માંગે છે , પરંતુ તે હકીકતોથી દૂર છે . "



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.