પાક આર્મી ચીફ અસીમ મુનીરની ભારત માટે ખોખલી ધમકી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-11 20:40:33

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે.  તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે. 

Pakistan Army chief Asim Munir makes second visit to US since June, meets  political, military leaders | World News - Hindustan Times

ભારત અને પાકિસ્તાન બેઉ દેશો આજે અને કાલે બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટના રોજ અરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ શરુ કર્યો છે. ગુજરાતના કિનારે ભારતીય નેવી અને સિંધના કિનારે પાકિસ્તાની નૌકા સેનાઓ યુદ્ધ અભ્યાસ હાથ ધરશે. ભારતીય નેવી અને પાકિસ્તાનની નેવીએ આ માટે , NOTMAR એટલેકે , નોટિસ ટુ મરીનર્સ જારી કર્યું છે . NOTMAR મુજબ બને દેશના નિર્ધારિત ફાયરિંગ ઝોન વચ્ચે માત્ર ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. ભારતની નૌકા સેનાએ ૧૧મી ઓગસ્ટના બપોરે , ૧૧:૩૦ થી ૧૩:૩૦ વચ્ચે ફાયરિંગ અભ્યાસ કરશે. આ સમયગાળા દરમ્યાન તમામ વેપારી જહાજો અને માછીમારી હોડીઓને આ વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે , આ પ્રકારના અભ્યાસ , પૂર્વનિર્ધારિત તાલીમનો ભાગ હોય છે , પરંતુ વર્તમાન સંજોગોમાં સરહદી તણાવ વચ્ચે બંને દેશનો અભ્યાસ એક પ્રકારે શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે. 

We'll Take Half World Down With Us": Pakistan Army Chief Asim Munir's  Nuclear Threat In US

હવે વાત કરીએ , પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની તો , તેઓ હાલમાં યુએસની મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર પછી અસીમ મુનીરનો આ બીજો યુએસ પ્રવાસ છે . આ વખતે , પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે , યુએસના ફ્લોરિડા રાજ્યના ટામ્પા શહેરની મુલાકાત લીધી છે , જ્યાં તેમણે યુએસના સેન્ટ્રલ કમાન્ડના જનરલ માઈકલ કુરિલ્લાની રિટાયરમેન્ટ પાર્ટીમાં હાજરી આપી હતી . આ પછી ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે , બિઝનેસ અને નાગરિક કાઉન્સેલ અદનાન અસદે બ્લેક તાઈ ડિનર હોસ્ટ કર્યું હતું . આ ઇવેન્ટમાં પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કહ્યું કે , " અમે એક ન્યુક્લિયર નેશન ( પરમાણુ સંપન્ન) દેશ છીએ. જો અમને લાગ્યું કે અમે ડૂબી રહ્યા છીએ , તો પછી અમે અડધી દુનિયાને પણ સાથે લઇ ડુંબીશું . અમે રાહ જોઇશુ કે ભારત સિંધુ નદી પર બંધ બનાવે , જેવો જ ભારત બંધ બનાવશે કે અમે તેની પર દસ મિસાઇલો દાગી દઈશું. સિંધુ નદી કોઈ ભારતની ફેમિલી પ્રોપર્ટી નથી. અમારી પાસે મિસાઈલોની કોઈ કમી નથી. ભારત એક મર્સીડીઝ જેવું છે , જે ફરારીની જેમ હાઇવે પર દોડી રહી છે. અને અમે રેતીથી ભરેલો એક ડમ્પર ટ્રક છીએ. જો આ ટ્રક કારથી અથડાઈ જાય તો , નુકશાન કોનું થશે? ભારત પોતાને વર્લ્ડ લીડરના રૂપમાં પેશ કરવા માંગે છે , પરંતુ તે હકીકતોથી દૂર છે . "



"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.