પાક આર્મી ચીફ અસીમ મુનીરની ભારત માટે ખોખલી ધમકી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-11 20:40:33

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે.  તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે. 

Pakistan Army chief Asim Munir makes second visit to US since June, meets  political, military leaders | World News - Hindustan Times

ભારત અને પાકિસ્તાન બેઉ દેશો આજે અને કાલે બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટના રોજ અરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ શરુ કર્યો છે. ગુજરાતના કિનારે ભારતીય નેવી અને સિંધના કિનારે પાકિસ્તાની નૌકા સેનાઓ યુદ્ધ અભ્યાસ હાથ ધરશે. ભારતીય નેવી અને પાકિસ્તાનની નેવીએ આ માટે , NOTMAR એટલેકે , નોટિસ ટુ મરીનર્સ જારી કર્યું છે . NOTMAR મુજબ બને દેશના નિર્ધારિત ફાયરિંગ ઝોન વચ્ચે માત્ર ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. ભારતની નૌકા સેનાએ ૧૧મી ઓગસ્ટના બપોરે , ૧૧:૩૦ થી ૧૩:૩૦ વચ્ચે ફાયરિંગ અભ્યાસ કરશે. આ સમયગાળા દરમ્યાન તમામ વેપારી જહાજો અને માછીમારી હોડીઓને આ વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે , આ પ્રકારના અભ્યાસ , પૂર્વનિર્ધારિત તાલીમનો ભાગ હોય છે , પરંતુ વર્તમાન સંજોગોમાં સરહદી તણાવ વચ્ચે બંને દેશનો અભ્યાસ એક પ્રકારે શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે. 

We'll Take Half World Down With Us": Pakistan Army Chief Asim Munir's  Nuclear Threat In US

હવે વાત કરીએ , પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની તો , તેઓ હાલમાં યુએસની મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર પછી અસીમ મુનીરનો આ બીજો યુએસ પ્રવાસ છે . આ વખતે , પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે , યુએસના ફ્લોરિડા રાજ્યના ટામ્પા શહેરની મુલાકાત લીધી છે , જ્યાં તેમણે યુએસના સેન્ટ્રલ કમાન્ડના જનરલ માઈકલ કુરિલ્લાની રિટાયરમેન્ટ પાર્ટીમાં હાજરી આપી હતી . આ પછી ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે , બિઝનેસ અને નાગરિક કાઉન્સેલ અદનાન અસદે બ્લેક તાઈ ડિનર હોસ્ટ કર્યું હતું . આ ઇવેન્ટમાં પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે કહ્યું કે , " અમે એક ન્યુક્લિયર નેશન ( પરમાણુ સંપન્ન) દેશ છીએ. જો અમને લાગ્યું કે અમે ડૂબી રહ્યા છીએ , તો પછી અમે અડધી દુનિયાને પણ સાથે લઇ ડુંબીશું . અમે રાહ જોઇશુ કે ભારત સિંધુ નદી પર બંધ બનાવે , જેવો જ ભારત બંધ બનાવશે કે અમે તેની પર દસ મિસાઇલો દાગી દઈશું. સિંધુ નદી કોઈ ભારતની ફેમિલી પ્રોપર્ટી નથી. અમારી પાસે મિસાઈલોની કોઈ કમી નથી. ભારત એક મર્સીડીઝ જેવું છે , જે ફરારીની જેમ હાઇવે પર દોડી રહી છે. અને અમે રેતીથી ભરેલો એક ડમ્પર ટ્રક છીએ. જો આ ટ્રક કારથી અથડાઈ જાય તો , નુકશાન કોનું થશે? ભારત પોતાને વર્લ્ડ લીડરના રૂપમાં પેશ કરવા માંગે છે , પરંતુ તે હકીકતોથી દૂર છે . "



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.