મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રામનવમી પહેલા બે જૂથ વચ્ચે થઈ અથડામણ, ઝઘડામાં થયો પથ્થરમારો અને વાહનોમાં લગાવાઈ આગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-31 13:16:50

સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રામનવમી પહેલા હિંસા ફાટી નિકળી હતી. બે જૂથ વચ્ચે થયેલી મારામારીએ ઉગ્રરૂપ ધારણ કરી લીધું હતું. ઝઘડામાં પથ્થરમારો પણ થયો હતો, વાહનોમાં આગ પણ લગાવવામાં આવી હતી ઉપરાંત પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


બે લોકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર રૂપ કર્યું હતું ધારણ  

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ આખી ઘટના બુધવાર રાતની છે. મોડી રાત્રે બે યુવાનો વચ્ચે એક મંદિરની બહાર ઝઘડો શરૂ થયો હતો. જે બાદ બંને યુવકોએ પોતાના સાથીઓને બોલાવ્યા. જે બાદ આ ઝઘડો સાંપ્રદાયિક બની ગયો હતો. પહેલા બંને જૂથો વચ્ચે મારામારી થઈ. મારામારી ઉપરથી પથ્થરમારા પર બંને જૂથો આવ્યા. ઝઘડો એટલો ઉગ્ર બનયો કે વાહનોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું. વાહનોમાં આગ લગાવી દીધી. વાતાવરણ એકદમ તનાવપૂર્ણ થઈ ગયું હતું.


પોલીસે મેળવી લીધો સ્થિતિ પર કાબુ 

હિંસા વધારે વધવા લાગી જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે પોલીસના વાહનને પણ જૂથોએ આગ લગાડી દીધી. એવી પણ માહિતી સામે આવી હતી કે એક જૂથ દ્વારા બોમ્બનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ હિંસામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી અનુસાર હાલ સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સ્થિતિ તો કાબુમાં આવી ગઈ છે પરંતુ સ્થિતિ હજી પણ તનાવપૂર્ણ છે. ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે.     




દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.