મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રામનવમી પહેલા બે જૂથ વચ્ચે થઈ અથડામણ, ઝઘડામાં થયો પથ્થરમારો અને વાહનોમાં લગાવાઈ આગ


  • Published By :
  • Published Date : 2023-03-31 13:16:50

સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રામનવમી પહેલા હિંસા ફાટી નિકળી હતી. બે જૂથ વચ્ચે થયેલી મારામારીએ ઉગ્રરૂપ ધારણ કરી લીધું હતું. ઝઘડામાં પથ્થરમારો પણ થયો હતો, વાહનોમાં આગ પણ લગાવવામાં આવી હતી ઉપરાંત પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


બે લોકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર રૂપ કર્યું હતું ધારણ  

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ આખી ઘટના બુધવાર રાતની છે. મોડી રાત્રે બે યુવાનો વચ્ચે એક મંદિરની બહાર ઝઘડો શરૂ થયો હતો. જે બાદ બંને યુવકોએ પોતાના સાથીઓને બોલાવ્યા. જે બાદ આ ઝઘડો સાંપ્રદાયિક બની ગયો હતો. પહેલા બંને જૂથો વચ્ચે મારામારી થઈ. મારામારી ઉપરથી પથ્થરમારા પર બંને જૂથો આવ્યા. ઝઘડો એટલો ઉગ્ર બનયો કે વાહનોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું. વાહનોમાં આગ લગાવી દીધી. વાતાવરણ એકદમ તનાવપૂર્ણ થઈ ગયું હતું.


પોલીસે મેળવી લીધો સ્થિતિ પર કાબુ 

હિંસા વધારે વધવા લાગી જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે પોલીસના વાહનને પણ જૂથોએ આગ લગાડી દીધી. એવી પણ માહિતી સામે આવી હતી કે એક જૂથ દ્વારા બોમ્બનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ હિંસામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી અનુસાર હાલ સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સ્થિતિ તો કાબુમાં આવી ગઈ છે પરંતુ સ્થિતિ હજી પણ તનાવપૂર્ણ છે. ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.