મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રામનવમી પહેલા બે જૂથ વચ્ચે થઈ અથડામણ, ઝઘડામાં થયો પથ્થરમારો અને વાહનોમાં લગાવાઈ આગ


  • Published By :
  • Published Date : 2023-03-31 13:16:50

સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રામનવમી પહેલા હિંસા ફાટી નિકળી હતી. બે જૂથ વચ્ચે થયેલી મારામારીએ ઉગ્રરૂપ ધારણ કરી લીધું હતું. ઝઘડામાં પથ્થરમારો પણ થયો હતો, વાહનોમાં આગ પણ લગાવવામાં આવી હતી ઉપરાંત પોલીસની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


બે લોકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર રૂપ કર્યું હતું ધારણ  

સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ આખી ઘટના બુધવાર રાતની છે. મોડી રાત્રે બે યુવાનો વચ્ચે એક મંદિરની બહાર ઝઘડો શરૂ થયો હતો. જે બાદ બંને યુવકોએ પોતાના સાથીઓને બોલાવ્યા. જે બાદ આ ઝઘડો સાંપ્રદાયિક બની ગયો હતો. પહેલા બંને જૂથો વચ્ચે મારામારી થઈ. મારામારી ઉપરથી પથ્થરમારા પર બંને જૂથો આવ્યા. ઝઘડો એટલો ઉગ્ર બનયો કે વાહનોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરવામાં આવ્યું. વાહનોમાં આગ લગાવી દીધી. વાતાવરણ એકદમ તનાવપૂર્ણ થઈ ગયું હતું.


પોલીસે મેળવી લીધો સ્થિતિ પર કાબુ 

હિંસા વધારે વધવા લાગી જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે પોલીસના વાહનને પણ જૂથોએ આગ લગાડી દીધી. એવી પણ માહિતી સામે આવી હતી કે એક જૂથ દ્વારા બોમ્બનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ હિંસામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. મળતી માહિતી અનુસાર હાલ સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સ્થિતિ તો કાબુમાં આવી ગઈ છે પરંતુ સ્થિતિ હજી પણ તનાવપૂર્ણ છે. ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે.     




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.