ઈરાનમાં અપહરણ કરાયેલા અમદાવાદના દંપતીનો અંતે થયો છુટકારો, કાલે વતન પરત ફરશે


  • Published By :
  • Published Date : 2023-06-20 20:06:14

અમેરિકા જવાની લાહ્યમાં ઈરાન પહોંચેલા અને ઈરાનની રાજધાની તહેરાનમાં અપહરણ કરાયેલા અમદાવાદના દંપતીનો અંતે છુટકારો થયો છે. અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતીને એજન્ટ મારફતે હૈદરાબાદથી ઈરાન મોકલવામાં આવ્યું હતું. ઈરાન પહોંચતા જ કોઈક દ્વારા યુવકને બંધક બનાવી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ નિર્દોષ યુવક પર બ્લેડના ઘા મારવામાં આવ્યા હતા. અપહરણ કરનારી ગેંગે યુવકને દર્દનાક વીડિયો રિલીઝ કરી તેને છોડવા માટે લાખો રૂપિયાની ખંડણી માગી હતી. 


અંતે આજે ફરિયાદ નોંધાઈ


આ પિડીત દંપતીના પરિવારજનો વહેલી સવારે જ FIR લખાવવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગયા હતા. જો  કે આ હ્રદય દ્રાવક ઘટનાને 24 કલાકથી વધુ સમય થવા છતાં પણ નરોડાના કૃષ્ણનગર પોલીસે ફરિયાદ પણ લીધી નહોતી. જો કે અંતે આ પિડીત યુવકનો  વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને આજે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં આજે પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી. FIR મુજબ ફરિયાદીનું કહેવું છે કે એજન્ટ દ્વારા પૈસા પડાવવા આ કાવતરૂ ઘડવામાં આવ્યું છે. FIR મુજબ અભય રાવલ અને પીન્ટુ ગોસ્વામી નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.


આવતી કાલે અમદાવાદ પહોંચશે


અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. રાજ્ય સરકાર અને કેન્દ્રીય વિદેશ વિભાગના સહિયારા પ્રયાસોથી ઈરાનની રાજધાની તહેરાનમાં બંધક દંપતીને છોડી મૂકવામાં આવ્યું છે. આ બંધક દંપતી ઈરાનથી વાયા ઇસ્તંબુલ થઈને મુંબઈ પહોંચશે. આવતીકાલે રાત સુધીમાં બંધક દંપતી અમદાવાદ પરત પહોંચશે.


જાણો શું હતો સમગ્ર મામલો?


પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો મુજબ મુળ મહેસાણાના અને હાલ અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પંકજ પટેલ અને તેમની પત્નિ નિશાબેન અમેરિકા જવા માગતા હતા જેમણે એજન્ટ પિન્ટુ ગૌસ્વામી અને અભય રાવલના સંપર્કથી હૈદરાબાદ અને ત્યાંથી વાયા દુબઈ થઈ ઈરાન જવાના હતા. જો કે દુબઈ સુધી દંપતી સંપર્કમાં હતુ, પરંતુ ઈરાન પહોંચ્યા બાદ યુવક પર બ્લેડથી ઘા મારતો વીડિયો સામે આવ્યો હતો. અપહરણકારો દ્વારા 15 લાખ જેટલી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. જો કે એજન્ટ દ્વારા ફરિયાદીને આશ્વાસન આપવામાં આવ્યુ હતું કે તેમને સુરક્ષિત પહોંચાડી દેવામાં આવશે પરંતુ તેમ થયું ન હતું. અંતે પિડીત પરિવારને પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી દોષિત એજન્ટ સામે કાર્યવાહી શરૂ કરી છે.



ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.