ઈરાનમાં અપહરણ કરાયેલા અમદાવાદના દંપતીનો અંતે થયો છુટકારો, કાલે વતન પરત ફરશે


  • Published By :
  • Published Date : 2023-06-20 20:06:14

અમેરિકા જવાની લાહ્યમાં ઈરાન પહોંચેલા અને ઈરાનની રાજધાની તહેરાનમાં અપહરણ કરાયેલા અમદાવાદના દંપતીનો અંતે છુટકારો થયો છે. અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતીને એજન્ટ મારફતે હૈદરાબાદથી ઈરાન મોકલવામાં આવ્યું હતું. ઈરાન પહોંચતા જ કોઈક દ્વારા યુવકને બંધક બનાવી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ નિર્દોષ યુવક પર બ્લેડના ઘા મારવામાં આવ્યા હતા. અપહરણ કરનારી ગેંગે યુવકને દર્દનાક વીડિયો રિલીઝ કરી તેને છોડવા માટે લાખો રૂપિયાની ખંડણી માગી હતી. 


અંતે આજે ફરિયાદ નોંધાઈ


આ પિડીત દંપતીના પરિવારજનો વહેલી સવારે જ FIR લખાવવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગયા હતા. જો  કે આ હ્રદય દ્રાવક ઘટનાને 24 કલાકથી વધુ સમય થવા છતાં પણ નરોડાના કૃષ્ણનગર પોલીસે ફરિયાદ પણ લીધી નહોતી. જો કે અંતે આ પિડીત યુવકનો  વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને આજે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં આજે પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી. FIR મુજબ ફરિયાદીનું કહેવું છે કે એજન્ટ દ્વારા પૈસા પડાવવા આ કાવતરૂ ઘડવામાં આવ્યું છે. FIR મુજબ અભય રાવલ અને પીન્ટુ ગોસ્વામી નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.


આવતી કાલે અમદાવાદ પહોંચશે


અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ હતી. રાજ્ય સરકાર અને કેન્દ્રીય વિદેશ વિભાગના સહિયારા પ્રયાસોથી ઈરાનની રાજધાની તહેરાનમાં બંધક દંપતીને છોડી મૂકવામાં આવ્યું છે. આ બંધક દંપતી ઈરાનથી વાયા ઇસ્તંબુલ થઈને મુંબઈ પહોંચશે. આવતીકાલે રાત સુધીમાં બંધક દંપતી અમદાવાદ પરત પહોંચશે.


જાણો શું હતો સમગ્ર મામલો?


પોલીસ ફરિયાદમાં નોંધાયેલી વિગતો મુજબ મુળ મહેસાણાના અને હાલ અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પંકજ પટેલ અને તેમની પત્નિ નિશાબેન અમેરિકા જવા માગતા હતા જેમણે એજન્ટ પિન્ટુ ગૌસ્વામી અને અભય રાવલના સંપર્કથી હૈદરાબાદ અને ત્યાંથી વાયા દુબઈ થઈ ઈરાન જવાના હતા. જો કે દુબઈ સુધી દંપતી સંપર્કમાં હતુ, પરંતુ ઈરાન પહોંચ્યા બાદ યુવક પર બ્લેડથી ઘા મારતો વીડિયો સામે આવ્યો હતો. અપહરણકારો દ્વારા 15 લાખ જેટલી મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. જો કે એજન્ટ દ્વારા ફરિયાદીને આશ્વાસન આપવામાં આવ્યુ હતું કે તેમને સુરક્ષિત પહોંચાડી દેવામાં આવશે પરંતુ તેમ થયું ન હતું. અંતે પિડીત પરિવારને પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી દોષિત એજન્ટ સામે કાર્યવાહી શરૂ કરી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.