Ahmedabad : માતાએ દીકરીને ઠપકો આપ્યો અને દીકરીએ Police Stationમાં કરી દીધી માતા વિરૂદ્ધ ફરિયાદ! જાણો શું છે સમગ્ર કિસ્સો


  • Published By :
  • Published Date : 2023-10-03 12:59:24

માતા અને દીકરીના સંબંધ વિશે આપણે ત્યાં ઘણું કહેવાયું છે અને લખાયું છે. માતાને દીકરીની પહેલી મિત્ર કહેવામાં આવે છે વગેરે વગેરે... ઘરકામમાં અનેક દીકરી માતાને મદદ કરાવતી હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક દીકરીએ તેની માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કારણ કે તેની માતાએ તેને કામચોર કહ્યું અને લાફો માર્યો. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને માતા વિરૂદ્ધ પોક્સો  એક્ટ અંતર્ગત ગુન્હો નોંધ્યો છે. આ સમાચાર વાંચીને નવાઈ લાગી હશે પરંતુ આ વાત સાચી છે. 

Ahmedabadના IIM રોડ પર ધોળાદિવસે ખાનગી કંપનીનો કર્મચારી લૂંટાયો, 25 લાખ  ભરેલી બેગ લઈને આરોપીઓ ફરાર

માતાએ દીકરીને ડીશ આપવાની કહી તો દીકરીએ કહ્યું... 

આજકાલની જનરેશનને સમજવી કદાય અઘરી છે. જે સપનામાં આપણે વિચાર્યું ન હોય તેવા કામો આજની પેઢી કરે છે. આ વાત એટલા માટે કરવી છે કારણ કે નવરંગપુરાથી એવા સમાચાર સામે આવ્યા કે દીકરીએ પોતાની માતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરી. નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમની દીકરી પાસે રસોડામાંથી ડિશ માગી હતી. મળતી માહિતી અનુસાર સવારે દીકરી ચા પી રહી હતી ત્યારે તેની માતા વાસણ ઘસી રહી હતી. આ દરમિયાન માતાએ દીકરી પાસે ડીશ માગી. દીકરીએ કહ્યું કે તે ચા પીને ડીશ આપું. માતાએ કહ્યું કે બેટા વાસણા ધોવાઈ ગયા છે તો તુ મને ડિશ આપી દે તો મારે કામ પૂર્ણ થઈ જાય. દીકરીએ કહ્યું તારે લેવી હોય તો લઈલે અથવા તો રાહ જો. આ દરમિયાન દીકરીને કામચોર કહી


દીકરીએ માતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

આ બાદ મહિલાએ દીકરીને પૂછ્યું તું શું કામ આવું વર્તન કરે છે? મહિલાએ દીકરીને ઠપકો આપી એક લાફો  માર્યો. માતા દ્વારા મળેલા ઠપકાથી રિસાઈને તે ઘરની બહાર જતી રહી તે પણ કહ્યા વગર. રિસાયેલી દીકરી સીધી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી અને માતા વિરૂદ્ધ ફરિયાદ કરાવી દીધી. પોલીસે મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. 


માતા પિતાને શું ઠપકો આપવાનો હક પણ નથી રહ્યો? 

મહત્વનું છે કે આજની પેઢીમાં સહનશક્તિ બિલકુલ નથી રહી. પહેલા જ્યારે મોટા લોકો બાળકોને મારતા હતા ત્યારે બાળકો સહન કરતા હતા. હવે તો સમય એવો આવ્યા છે જ્યાં બાળકો પર માતા પિતા પણ હક નથી જતાવી શક્તા. માતા પિતા બાળકોનું સારું વિચારીને જ તેમને સલાહ આપતા હોય છે પરંતુ આજની પેઢીને એવું લાગે છે કે તે લોકો જ સાચા છે. પરંતુ અનેક કિસ્સાઓમાં એવું નથી હોતું. આ વિશે તમારૂં શું માનવું છે તે અમને જણાવો...  



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .