Ahmedabad : માતાએ દીકરીને ઠપકો આપ્યો અને દીકરીએ Police Stationમાં કરી દીધી માતા વિરૂદ્ધ ફરિયાદ! જાણો શું છે સમગ્ર કિસ્સો


  • Published By :
  • Published Date : 2023-10-03 12:59:24

માતા અને દીકરીના સંબંધ વિશે આપણે ત્યાં ઘણું કહેવાયું છે અને લખાયું છે. માતાને દીકરીની પહેલી મિત્ર કહેવામાં આવે છે વગેરે વગેરે... ઘરકામમાં અનેક દીકરી માતાને મદદ કરાવતી હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક દીકરીએ તેની માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કારણ કે તેની માતાએ તેને કામચોર કહ્યું અને લાફો માર્યો. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને માતા વિરૂદ્ધ પોક્સો  એક્ટ અંતર્ગત ગુન્હો નોંધ્યો છે. આ સમાચાર વાંચીને નવાઈ લાગી હશે પરંતુ આ વાત સાચી છે. 

Ahmedabadના IIM રોડ પર ધોળાદિવસે ખાનગી કંપનીનો કર્મચારી લૂંટાયો, 25 લાખ  ભરેલી બેગ લઈને આરોપીઓ ફરાર

માતાએ દીકરીને ડીશ આપવાની કહી તો દીકરીએ કહ્યું... 

આજકાલની જનરેશનને સમજવી કદાય અઘરી છે. જે સપનામાં આપણે વિચાર્યું ન હોય તેવા કામો આજની પેઢી કરે છે. આ વાત એટલા માટે કરવી છે કારણ કે નવરંગપુરાથી એવા સમાચાર સામે આવ્યા કે દીકરીએ પોતાની માતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરી. નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમની દીકરી પાસે રસોડામાંથી ડિશ માગી હતી. મળતી માહિતી અનુસાર સવારે દીકરી ચા પી રહી હતી ત્યારે તેની માતા વાસણ ઘસી રહી હતી. આ દરમિયાન માતાએ દીકરી પાસે ડીશ માગી. દીકરીએ કહ્યું કે તે ચા પીને ડીશ આપું. માતાએ કહ્યું કે બેટા વાસણા ધોવાઈ ગયા છે તો તુ મને ડિશ આપી દે તો મારે કામ પૂર્ણ થઈ જાય. દીકરીએ કહ્યું તારે લેવી હોય તો લઈલે અથવા તો રાહ જો. આ દરમિયાન દીકરીને કામચોર કહી


દીકરીએ માતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

આ બાદ મહિલાએ દીકરીને પૂછ્યું તું શું કામ આવું વર્તન કરે છે? મહિલાએ દીકરીને ઠપકો આપી એક લાફો  માર્યો. માતા દ્વારા મળેલા ઠપકાથી રિસાઈને તે ઘરની બહાર જતી રહી તે પણ કહ્યા વગર. રિસાયેલી દીકરી સીધી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી અને માતા વિરૂદ્ધ ફરિયાદ કરાવી દીધી. પોલીસે મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. 


માતા પિતાને શું ઠપકો આપવાનો હક પણ નથી રહ્યો? 

મહત્વનું છે કે આજની પેઢીમાં સહનશક્તિ બિલકુલ નથી રહી. પહેલા જ્યારે મોટા લોકો બાળકોને મારતા હતા ત્યારે બાળકો સહન કરતા હતા. હવે તો સમય એવો આવ્યા છે જ્યાં બાળકો પર માતા પિતા પણ હક નથી જતાવી શક્તા. માતા પિતા બાળકોનું સારું વિચારીને જ તેમને સલાહ આપતા હોય છે પરંતુ આજની પેઢીને એવું લાગે છે કે તે લોકો જ સાચા છે. પરંતુ અનેક કિસ્સાઓમાં એવું નથી હોતું. આ વિશે તમારૂં શું માનવું છે તે અમને જણાવો...  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.