Ahmedabad : માતાએ દીકરીને ઠપકો આપ્યો અને દીકરીએ Police Stationમાં કરી દીધી માતા વિરૂદ્ધ ફરિયાદ! જાણો શું છે સમગ્ર કિસ્સો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-03 12:59:24

માતા અને દીકરીના સંબંધ વિશે આપણે ત્યાં ઘણું કહેવાયું છે અને લખાયું છે. માતાને દીકરીની પહેલી મિત્ર કહેવામાં આવે છે વગેરે વગેરે... ઘરકામમાં અનેક દીકરી માતાને મદદ કરાવતી હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક દીકરીએ તેની માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કારણ કે તેની માતાએ તેને કામચોર કહ્યું અને લાફો માર્યો. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને માતા વિરૂદ્ધ પોક્સો  એક્ટ અંતર્ગત ગુન્હો નોંધ્યો છે. આ સમાચાર વાંચીને નવાઈ લાગી હશે પરંતુ આ વાત સાચી છે. 

Ahmedabadના IIM રોડ પર ધોળાદિવસે ખાનગી કંપનીનો કર્મચારી લૂંટાયો, 25 લાખ  ભરેલી બેગ લઈને આરોપીઓ ફરાર

માતાએ દીકરીને ડીશ આપવાની કહી તો દીકરીએ કહ્યું... 

આજકાલની જનરેશનને સમજવી કદાય અઘરી છે. જે સપનામાં આપણે વિચાર્યું ન હોય તેવા કામો આજની પેઢી કરે છે. આ વાત એટલા માટે કરવી છે કારણ કે નવરંગપુરાથી એવા સમાચાર સામે આવ્યા કે દીકરીએ પોતાની માતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરી. નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેમની દીકરી પાસે રસોડામાંથી ડિશ માગી હતી. મળતી માહિતી અનુસાર સવારે દીકરી ચા પી રહી હતી ત્યારે તેની માતા વાસણ ઘસી રહી હતી. આ દરમિયાન માતાએ દીકરી પાસે ડીશ માગી. દીકરીએ કહ્યું કે તે ચા પીને ડીશ આપું. માતાએ કહ્યું કે બેટા વાસણા ધોવાઈ ગયા છે તો તુ મને ડિશ આપી દે તો મારે કામ પૂર્ણ થઈ જાય. દીકરીએ કહ્યું તારે લેવી હોય તો લઈલે અથવા તો રાહ જો. આ દરમિયાન દીકરીને કામચોર કહી


દીકરીએ માતા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ 

આ બાદ મહિલાએ દીકરીને પૂછ્યું તું શું કામ આવું વર્તન કરે છે? મહિલાએ દીકરીને ઠપકો આપી એક લાફો  માર્યો. માતા દ્વારા મળેલા ઠપકાથી રિસાઈને તે ઘરની બહાર જતી રહી તે પણ કહ્યા વગર. રિસાયેલી દીકરી સીધી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી અને માતા વિરૂદ્ધ ફરિયાદ કરાવી દીધી. પોલીસે મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. 


માતા પિતાને શું ઠપકો આપવાનો હક પણ નથી રહ્યો? 

મહત્વનું છે કે આજની પેઢીમાં સહનશક્તિ બિલકુલ નથી રહી. પહેલા જ્યારે મોટા લોકો બાળકોને મારતા હતા ત્યારે બાળકો સહન કરતા હતા. હવે તો સમય એવો આવ્યા છે જ્યાં બાળકો પર માતા પિતા પણ હક નથી જતાવી શક્તા. માતા પિતા બાળકોનું સારું વિચારીને જ તેમને સલાહ આપતા હોય છે પરંતુ આજની પેઢીને એવું લાગે છે કે તે લોકો જ સાચા છે. પરંતુ અનેક કિસ્સાઓમાં એવું નથી હોતું. આ વિશે તમારૂં શું માનવું છે તે અમને જણાવો...  



હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. આ વર્ષનું ચોમાસું સારૂં રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે કહ્યું કે 7 જૂનની આસપાસ પવનો બદલાશે ઉપરાંત સમુદ્રમાં કરંટ ઉત્પન્ન થશે. તારીખ 7થી 14 જૂન આંધી પવન સાથે ચોમાસું બેસવાની શક્યતાઓ છે.

એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં પોલીસની ટીમ દ્વારા શ્રમજીવીને નવી સાયકલ આપવામાં આવી છે... સાયકલ મળતા જ શ્રમજીવીની આંખો હરખથી ભરાઈ આવી હતી.. હર્ષ સંઘવીએ આનો વીડિયો શેર કર્યો છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,