અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 લેનનો બનશે..


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 13:38:17

અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 લેનનો બનાવવા માટે 3 હજાર 350 કરોડના ખર્ચે કરવામાં આવશે.આ માર્ગ બનવાની સાથે આ રોડ પર જતાં મુસાફરોના સમયમાં 30 થી  45 મિનિટનો ઘટાડો થશે જયારે 10 થી 15 ટકા ઇંધણની બચત થશે તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે. આજે વિધાનસભામાં અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંગે વિગતો આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે 3350 કરોડના ખર્ચ તૈયાર થનાર આ હાઇવેનું 98 ટકા કામ પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં 201.33 કિલોમીટર લાંબા આ રાષ્ટ્રીય ધોરી માર્ગનું પ્રથમ તબક્કાનું 197 કિલોમીટર રોડના કામ માંથી 193 કિલોમીટર રોડનું કામ પૂર્ણ થયું છે.અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 38 ફ્લાયઓવર -અંડરપાસ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે જેમાંથી અત્યાર સુધીમાં 34 ફ્લાયઓવર-સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થઈ છે. હજી 4 સ્ટ્રક્ચરની કામગીરી ચાલી રહી છે. 

આ ધોરી માર્ગ ઉપર વારંવાર થતાં અકસ્માતના 34 બ્લેક પોઈન્ટને શોધી કાઢી તેમાંથી 31 એવા પોઈન્ટને હટાવવા આવ્યા છે. વર્ષ 2019 થી અત્યાર સુધીમાં અકસ્માતની  ઘટનાઓમાં 41 ટકાનો ઘટાડો થયો હોવાનું તેમણે જણાવાયું હતું.    વર્ષ 2023 થી અમદાવાદ -રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ માટે કરીને ખેડૂતો પાસેથી જમીન સંપાદન શરૂ કરાયું હતું પરંતુ હજી પણ રોજિંદા અવરજવર કરતાં લોકો અમદવાદ રાજકોટ રાષ્ટ્રીય માર્ગને 6 લેન શરૂ થાય તેની રાહ જોઈએ રહ્યા છે.  






દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.