અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 લેનનો બનશે..


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 13:38:17

અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 લેનનો બનાવવા માટે 3 હજાર 350 કરોડના ખર્ચે કરવામાં આવશે.આ માર્ગ બનવાની સાથે આ રોડ પર જતાં મુસાફરોના સમયમાં 30 થી  45 મિનિટનો ઘટાડો થશે જયારે 10 થી 15 ટકા ઇંધણની બચત થશે તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે. આજે વિધાનસભામાં અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંગે વિગતો આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે 3350 કરોડના ખર્ચ તૈયાર થનાર આ હાઇવેનું 98 ટકા કામ પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં 201.33 કિલોમીટર લાંબા આ રાષ્ટ્રીય ધોરી માર્ગનું પ્રથમ તબક્કાનું 197 કિલોમીટર રોડના કામ માંથી 193 કિલોમીટર રોડનું કામ પૂર્ણ થયું છે.અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 38 ફ્લાયઓવર -અંડરપાસ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે જેમાંથી અત્યાર સુધીમાં 34 ફ્લાયઓવર-સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થઈ છે. હજી 4 સ્ટ્રક્ચરની કામગીરી ચાલી રહી છે. 

આ ધોરી માર્ગ ઉપર વારંવાર થતાં અકસ્માતના 34 બ્લેક પોઈન્ટને શોધી કાઢી તેમાંથી 31 એવા પોઈન્ટને હટાવવા આવ્યા છે. વર્ષ 2019 થી અત્યાર સુધીમાં અકસ્માતની  ઘટનાઓમાં 41 ટકાનો ઘટાડો થયો હોવાનું તેમણે જણાવાયું હતું.    વર્ષ 2023 થી અમદાવાદ -રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ માટે કરીને ખેડૂતો પાસેથી જમીન સંપાદન શરૂ કરાયું હતું પરંતુ હજી પણ રોજિંદા અવરજવર કરતાં લોકો અમદવાદ રાજકોટ રાષ્ટ્રીય માર્ગને 6 લેન શરૂ થાય તેની રાહ જોઈએ રહ્યા છે.  






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.