અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 લેનનો બનશે..


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 13:38:17

અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 લેનનો બનાવવા માટે 3 હજાર 350 કરોડના ખર્ચે કરવામાં આવશે.આ માર્ગ બનવાની સાથે આ રોડ પર જતાં મુસાફરોના સમયમાં 30 થી  45 મિનિટનો ઘટાડો થશે જયારે 10 થી 15 ટકા ઇંધણની બચત થશે તેમ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે. આજે વિધાનસભામાં અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંગે વિગતો આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે 3350 કરોડના ખર્ચ તૈયાર થનાર આ હાઇવેનું 98 ટકા કામ પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં 201.33 કિલોમીટર લાંબા આ રાષ્ટ્રીય ધોરી માર્ગનું પ્રથમ તબક્કાનું 197 કિલોમીટર રોડના કામ માંથી 193 કિલોમીટર રોડનું કામ પૂર્ણ થયું છે.અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 38 ફ્લાયઓવર -અંડરપાસ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે જેમાંથી અત્યાર સુધીમાં 34 ફ્લાયઓવર-સ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થઈ છે. હજી 4 સ્ટ્રક્ચરની કામગીરી ચાલી રહી છે. 

આ ધોરી માર્ગ ઉપર વારંવાર થતાં અકસ્માતના 34 બ્લેક પોઈન્ટને શોધી કાઢી તેમાંથી 31 એવા પોઈન્ટને હટાવવા આવ્યા છે. વર્ષ 2019 થી અત્યાર સુધીમાં અકસ્માતની  ઘટનાઓમાં 41 ટકાનો ઘટાડો થયો હોવાનું તેમણે જણાવાયું હતું.    વર્ષ 2023 થી અમદાવાદ -રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ માટે કરીને ખેડૂતો પાસેથી જમીન સંપાદન શરૂ કરાયું હતું પરંતુ હજી પણ રોજિંદા અવરજવર કરતાં લોકો અમદવાદ રાજકોટ રાષ્ટ્રીય માર્ગને 6 લેન શરૂ થાય તેની રાહ જોઈએ રહ્યા છે.  






ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.