એર ઈંડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જીનમાં લાગી આગ, અબૂધાબી ખાતે કરાયું ઈમરજન્સી લેન્ડિંગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-03 12:33:06

અબુધાબીથી કલીકટ જઈ રહેલી ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ ઉડાન ભરી રહી હતી તે દરમિયાન એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટનું અબુધાબીમાં લેન્ડિંગ કરાવાયું હતું. આ વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સુરક્ષિત છે. એર ઈંડિયા એક્સપ્રેસે આ અંગે નિવેદન આપ્યું છે.

 


અબૂધાબી ખાતે કરાયું પ્લેનનું લેન્ડિંગ

એર ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જે અબુ ધાબીથી કલીકટ જઈ રહી ફ્લાઈટના એન્જિનમાં એકાએક આગ લાગી હતી. ટેક ઓફ દરમિયાન આ ઘટના બની હતી જેને કારણે પ્લેનને ફરી લેન્ડ કરી દેવાયું હતું. ફ્લાઈટ નં. IX348નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે ભારતની નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ નિવેદન જાહેર કર્યું હતું.


ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત

આ અંગે એર ઈંડિયા એક્સપ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું હતું કે અબૂ ધાબીથી કાલીકટ જઈ રહેલી એર ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટના એક એન્જીનમાં આગ લાગી હતી જે બાદ ફ્લાઈટનું સેફ લેન્ડિંગ અબૂ ધાબી ખાતે કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં 184 મુસાફરો સવાર હતા જે તમામે તમામ સુરક્ષિત છે.      



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો