એર ઈંડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જીનમાં લાગી આગ, અબૂધાબી ખાતે કરાયું ઈમરજન્સી લેન્ડિંગ


  • Published By :
  • Published Date : 2023-02-03 12:33:06

અબુધાબીથી કલીકટ જઈ રહેલી ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ ઉડાન ભરી રહી હતી તે દરમિયાન એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટનું અબુધાબીમાં લેન્ડિંગ કરાવાયું હતું. આ વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સુરક્ષિત છે. એર ઈંડિયા એક્સપ્રેસે આ અંગે નિવેદન આપ્યું છે.

 


અબૂધાબી ખાતે કરાયું પ્લેનનું લેન્ડિંગ

એર ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જે અબુ ધાબીથી કલીકટ જઈ રહી ફ્લાઈટના એન્જિનમાં એકાએક આગ લાગી હતી. ટેક ઓફ દરમિયાન આ ઘટના બની હતી જેને કારણે પ્લેનને ફરી લેન્ડ કરી દેવાયું હતું. ફ્લાઈટ નં. IX348નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે ભારતની નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ નિવેદન જાહેર કર્યું હતું.


ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત

આ અંગે એર ઈંડિયા એક્સપ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું હતું કે અબૂ ધાબીથી કાલીકટ જઈ રહેલી એર ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટના એક એન્જીનમાં આગ લાગી હતી જે બાદ ફ્લાઈટનું સેફ લેન્ડિંગ અબૂ ધાબી ખાતે કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં 184 મુસાફરો સવાર હતા જે તમામે તમામ સુરક્ષિત છે.      



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.