એર ઈંડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જીનમાં લાગી આગ, અબૂધાબી ખાતે કરાયું ઈમરજન્સી લેન્ડિંગ


  • Published By :
  • Published Date : 2023-02-03 12:33:06

અબુધાબીથી કલીકટ જઈ રહેલી ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ ઉડાન ભરી રહી હતી તે દરમિયાન એન્જિનમાં આગ લાગી હતી જેને કારણે ફ્લાઈટનું અબુધાબીમાં લેન્ડિંગ કરાવાયું હતું. આ વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સુરક્ષિત છે. એર ઈંડિયા એક્સપ્રેસે આ અંગે નિવેદન આપ્યું છે.

 


અબૂધાબી ખાતે કરાયું પ્લેનનું લેન્ડિંગ

એર ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જે અબુ ધાબીથી કલીકટ જઈ રહી ફ્લાઈટના એન્જિનમાં એકાએક આગ લાગી હતી. ટેક ઓફ દરમિયાન આ ઘટના બની હતી જેને કારણે પ્લેનને ફરી લેન્ડ કરી દેવાયું હતું. ફ્લાઈટ નં. IX348નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે ભારતની નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પણ નિવેદન જાહેર કર્યું હતું.


ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત

આ અંગે એર ઈંડિયા એક્સપ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું હતું કે અબૂ ધાબીથી કાલીકટ જઈ રહેલી એર ઈંડિયા એક્સપ્રેસની ફ્લાઈટના એક એન્જીનમાં આગ લાગી હતી જે બાદ ફ્લાઈટનું સેફ લેન્ડિંગ અબૂ ધાબી ખાતે કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં 184 મુસાફરો સવાર હતા જે તમામે તમામ સુરક્ષિત છે.      



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .