એર ઈન્ડિયાની ફ્લાઈટનું રાજસ્થાનના ઉદયપુરમાં ઈમરજન્સી કરાયું લેન્ડિંગ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-07-17 21:13:37

રાજસ્થાનના ઉદયપુરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ યાત્રીના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. આ ફ્લાઈટ ફ્લાઈટમાં લગભગ 140 મુસાફરો હતા, ફ્લાઈટ ઉદયપુરથી દિલ્હી જઈ રહી હતી  અને હવામાં હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ થતાં જ મુસાફરો ગભરાઈ ગયા, તરત જ ક્રૂ મેમ્બરોએ ચાર્જ સંભાળ્યો અને ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઉદયપુરના ડબોક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન કેટલાક મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા ત્યાર બાદ ફ્લાઈટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બધુ યોગ્ય હોવાનું જણાયા બાદ ફ્લાઈટે દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી. 


મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટથી ફફડાટ


આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-470 માં બની હતી. સોમવારે આ ફ્લાઇટ બપોરે 3 વાગ્યે ઉદયપુરથી દિલ્હી માટે ટેકઓફ થઈ હતી. ટેકઓફ કર્યાના થોડા સમય બાદ મોબાઈલ ફોનની બેટરી ફાટી ગઈ હતી. મળતી માહિતી મુજબ એક મુસાફરના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ પર ફ્લાઈટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને એર ઈન્ડિયાના એન્જિનિયરોની ટીમે ફ્લાઈટની સંપૂર્ણ ટેકનિકલ તપાસ પણ કરી હતી. અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ફ્લાઇટની અંદર કોઈ પેસેન્જરના મોબાઈલ ફોનની બેટરી ફાટવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોય. બેટરીના વિસ્ફોટને કારણે ફ્લાઈટની અંદર આગ પણ લાગવાની સંભાવના હતી જોકે સદનસિબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.