એર ઈન્ડિયાની ફ્લાઈટનું રાજસ્થાનના ઉદયપુરમાં ઈમરજન્સી કરાયું લેન્ડિંગ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-07-17 21:13:37

રાજસ્થાનના ઉદયપુરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ યાત્રીના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. આ ફ્લાઈટ ફ્લાઈટમાં લગભગ 140 મુસાફરો હતા, ફ્લાઈટ ઉદયપુરથી દિલ્હી જઈ રહી હતી  અને હવામાં હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ થતાં જ મુસાફરો ગભરાઈ ગયા, તરત જ ક્રૂ મેમ્બરોએ ચાર્જ સંભાળ્યો અને ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઉદયપુરના ડબોક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન કેટલાક મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા ત્યાર બાદ ફ્લાઈટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બધુ યોગ્ય હોવાનું જણાયા બાદ ફ્લાઈટે દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી. 


મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટથી ફફડાટ


આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-470 માં બની હતી. સોમવારે આ ફ્લાઇટ બપોરે 3 વાગ્યે ઉદયપુરથી દિલ્હી માટે ટેકઓફ થઈ હતી. ટેકઓફ કર્યાના થોડા સમય બાદ મોબાઈલ ફોનની બેટરી ફાટી ગઈ હતી. મળતી માહિતી મુજબ એક મુસાફરના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ પર ફ્લાઈટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને એર ઈન્ડિયાના એન્જિનિયરોની ટીમે ફ્લાઈટની સંપૂર્ણ ટેકનિકલ તપાસ પણ કરી હતી. અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ફ્લાઇટની અંદર કોઈ પેસેન્જરના મોબાઈલ ફોનની બેટરી ફાટવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોય. બેટરીના વિસ્ફોટને કારણે ફ્લાઈટની અંદર આગ પણ લાગવાની સંભાવના હતી જોકે સદનસિબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.