એર ઈન્ડિયાની ફ્લાઈટનું રાજસ્થાનના ઉદયપુરમાં ઈમરજન્સી કરાયું લેન્ડિંગ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-07-17 21:13:37

રાજસ્થાનના ઉદયપુરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ યાત્રીના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. આ ફ્લાઈટ ફ્લાઈટમાં લગભગ 140 મુસાફરો હતા, ફ્લાઈટ ઉદયપુરથી દિલ્હી જઈ રહી હતી  અને હવામાં હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટ થતાં જ મુસાફરો ગભરાઈ ગયા, તરત જ ક્રૂ મેમ્બરોએ ચાર્જ સંભાળ્યો અને ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઉદયપુરના ડબોક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન કેટલાક મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા ત્યાર બાદ ફ્લાઈટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બધુ યોગ્ય હોવાનું જણાયા બાદ ફ્લાઈટે દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી. 


મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટથી ફફડાટ


આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-470 માં બની હતી. સોમવારે આ ફ્લાઇટ બપોરે 3 વાગ્યે ઉદયપુરથી દિલ્હી માટે ટેકઓફ થઈ હતી. ટેકઓફ કર્યાના થોડા સમય બાદ મોબાઈલ ફોનની બેટરી ફાટી ગઈ હતી. મળતી માહિતી મુજબ એક મુસાફરના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ પર ફ્લાઈટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને એર ઈન્ડિયાના એન્જિનિયરોની ટીમે ફ્લાઈટની સંપૂર્ણ ટેકનિકલ તપાસ પણ કરી હતી. અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ફ્લાઇટની અંદર કોઈ પેસેન્જરના મોબાઈલ ફોનની બેટરી ફાટવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોય. બેટરીના વિસ્ફોટને કારણે ફ્લાઈટની અંદર આગ પણ લાગવાની સંભાવના હતી જોકે સદનસિબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .