અમેરિકાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હોબાળો, વ્યક્તિએ પત્નીનું ગળું દબાવવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-05-19 16:05:32

અમેરિકાના નેવાર્કથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભારે હોબાળો થયો હતો. પ્રવાસ દરમિયાન એક મુસાફરને પેનિક એટેક આવ્યો હતો ત્યાર બાદ તેણે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન મુસાફરે તેની પત્નીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, ક્રૂ મેમ્બરોએ કોઈક રીતે પેસેન્જરને કાબુમાં લીધો હતો. જે બાદ ફ્લાઇટ સમયસર મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી શકી હતી.


પેનિક એટેક બાદ મુસાફર બેકાબૂ 


મીડિયા રિપોર્ટ, બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા મુંબઈના એક બિઝનેસમેને નેવાર્કથી પ્લેન ઉડાન ભર્યાની થોડી જ વારમાં હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન પેસેન્જરે બૂમો પાડીને ફ્લાઈટને ટેક ઓફ કરવાની માંગ કરી હતી. જ્યારે ક્રૂ મેમ્બર્સ અને તેની પત્નીએ પુરુષને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની પત્નીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.


ડોક્ટરે આપ્યું બેભાન થવાનું ઈન્જેક્સન


ક્રૂ મેમ્બર્સે ફ્લાઈટમાં હાજર ડોક્ટરની મદદથી પેસેન્જરને દબોચી લીધો અને ઈન્જેક્શન લગાવીને બેભાન કરી દીધો હતો. આ પછી પ્લેન સમયસર મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. હંગામો મચાવનાર વ્યક્તિની પત્નીને કહ્યું હતું કે તેના પતિને પેનિક એટેક આવતા રહે છે અને છેલ્લા કેટલાક દિવસોથી તે તેની દવાઓ પણ નથી લઈ રહ્યો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.