અમેરિકાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હોબાળો, વ્યક્તિએ પત્નીનું ગળું દબાવવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-05-19 16:05:32

અમેરિકાના નેવાર્કથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભારે હોબાળો થયો હતો. પ્રવાસ દરમિયાન એક મુસાફરને પેનિક એટેક આવ્યો હતો ત્યાર બાદ તેણે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન મુસાફરે તેની પત્નીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, ક્રૂ મેમ્બરોએ કોઈક રીતે પેસેન્જરને કાબુમાં લીધો હતો. જે બાદ ફ્લાઇટ સમયસર મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી શકી હતી.


પેનિક એટેક બાદ મુસાફર બેકાબૂ 


મીડિયા રિપોર્ટ, બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા મુંબઈના એક બિઝનેસમેને નેવાર્કથી પ્લેન ઉડાન ભર્યાની થોડી જ વારમાં હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન પેસેન્જરે બૂમો પાડીને ફ્લાઈટને ટેક ઓફ કરવાની માંગ કરી હતી. જ્યારે ક્રૂ મેમ્બર્સ અને તેની પત્નીએ પુરુષને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની પત્નીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.


ડોક્ટરે આપ્યું બેભાન થવાનું ઈન્જેક્સન


ક્રૂ મેમ્બર્સે ફ્લાઈટમાં હાજર ડોક્ટરની મદદથી પેસેન્જરને દબોચી લીધો અને ઈન્જેક્શન લગાવીને બેભાન કરી દીધો હતો. આ પછી પ્લેન સમયસર મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. હંગામો મચાવનાર વ્યક્તિની પત્નીને કહ્યું હતું કે તેના પતિને પેનિક એટેક આવતા રહે છે અને છેલ્લા કેટલાક દિવસોથી તે તેની દવાઓ પણ નથી લઈ રહ્યો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.