અમેરિકાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હોબાળો, વ્યક્તિએ પત્નીનું ગળું દબાવવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-05-19 16:05:32

અમેરિકાના નેવાર્કથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભારે હોબાળો થયો હતો. પ્રવાસ દરમિયાન એક મુસાફરને પેનિક એટેક આવ્યો હતો ત્યાર બાદ તેણે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન મુસાફરે તેની પત્નીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, ક્રૂ મેમ્બરોએ કોઈક રીતે પેસેન્જરને કાબુમાં લીધો હતો. જે બાદ ફ્લાઇટ સમયસર મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી શકી હતી.


પેનિક એટેક બાદ મુસાફર બેકાબૂ 


મીડિયા રિપોર્ટ, બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા મુંબઈના એક બિઝનેસમેને નેવાર્કથી પ્લેન ઉડાન ભર્યાની થોડી જ વારમાં હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન પેસેન્જરે બૂમો પાડીને ફ્લાઈટને ટેક ઓફ કરવાની માંગ કરી હતી. જ્યારે ક્રૂ મેમ્બર્સ અને તેની પત્નીએ પુરુષને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની પત્નીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.


ડોક્ટરે આપ્યું બેભાન થવાનું ઈન્જેક્સન


ક્રૂ મેમ્બર્સે ફ્લાઈટમાં હાજર ડોક્ટરની મદદથી પેસેન્જરને દબોચી લીધો અને ઈન્જેક્શન લગાવીને બેભાન કરી દીધો હતો. આ પછી પ્લેન સમયસર મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. હંગામો મચાવનાર વ્યક્તિની પત્નીને કહ્યું હતું કે તેના પતિને પેનિક એટેક આવતા રહે છે અને છેલ્લા કેટલાક દિવસોથી તે તેની દવાઓ પણ નથી લઈ રહ્યો.



એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .