અમેરિકાથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હોબાળો, વ્યક્તિએ પત્નીનું ગળું દબાવવાનો કર્યો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-05-19 16:05:32

અમેરિકાના નેવાર્કથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભારે હોબાળો થયો હતો. પ્રવાસ દરમિયાન એક મુસાફરને પેનિક એટેક આવ્યો હતો ત્યાર બાદ તેણે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન મુસાફરે તેની પત્નીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, ક્રૂ મેમ્બરોએ કોઈક રીતે પેસેન્જરને કાબુમાં લીધો હતો. જે બાદ ફ્લાઇટ સમયસર મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી શકી હતી.


પેનિક એટેક બાદ મુસાફર બેકાબૂ 


મીડિયા રિપોર્ટ, બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા મુંબઈના એક બિઝનેસમેને નેવાર્કથી પ્લેન ઉડાન ભર્યાની થોડી જ વારમાં હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન પેસેન્જરે બૂમો પાડીને ફ્લાઈટને ટેક ઓફ કરવાની માંગ કરી હતી. જ્યારે ક્રૂ મેમ્બર્સ અને તેની પત્નીએ પુરુષને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની પત્નીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.


ડોક્ટરે આપ્યું બેભાન થવાનું ઈન્જેક્સન


ક્રૂ મેમ્બર્સે ફ્લાઈટમાં હાજર ડોક્ટરની મદદથી પેસેન્જરને દબોચી લીધો અને ઈન્જેક્શન લગાવીને બેભાન કરી દીધો હતો. આ પછી પ્લેન સમયસર મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. હંગામો મચાવનાર વ્યક્તિની પત્નીને કહ્યું હતું કે તેના પતિને પેનિક એટેક આવતા રહે છે અને છેલ્લા કેટલાક દિવસોથી તે તેની દવાઓ પણ નથી લઈ રહ્યો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.