એર ઈન્ડિયાએ આલ્કોહોલ પોલીસીમાં કર્યો ફેરફાર, વિવાદ સર્જાતા પોલીસી કરી ચેન્જ


  • Published By :
  • Published Date : 2023-01-25 12:15:24

એર ઈન્ડિયા ફ્લાઈટમાં થોડા સમય મહિનાઓ પહેલા એક વ્યક્તિએ નશાની હાલતમાં બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો હતો. આ કિસ્સો સામે આવતા વિવાદ છેડાયો હતો. પોલીસે શંકર મિશ્રાની ધરપકડ કરી લીધી ઉપરાંત એર ઈન્ડિયા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાએ આલ્કોહોલ સર્વિસમાં ફેરફાર કર્યા છે. જ્યાં સુધી ક્રૂ-મેમ્બર્સ આલ્કોહોલ નહીં આપે ત્યાં સુધી ફ્લાઈટમાં શરાબ નહીં પી શકાય.


નશામાં મહિલા પર કર્યો હતો પેશાબ

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં મારામારી થતી હોય, ફ્લાઈટમાં ગેરવર્તન થતું હોય. ત્યારે થોડા મહિનાઓ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક એવી ઘટના બની હતી જેમાં નશામાં ઘૂત વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. ઘટના બાદ પગલા લેવામાં આવ્યા હતા. શંકર મિશ્રાની એર મુસાફરી પર અનેક મહિનાઓ સુધી પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. 


આલ્કોહોલ પોલીસીમાં કર્યો ફેરફાર 

ફ્લાઈટમાં વધતી ઘટનાઓને કારણે એર ઈન્ડિયાએ આલ્કોહોલ પોલીસીમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત ફ્લાઈટમાં યાત્રીકોને આલ્કોહોલ પીવાની અનુમતિ નથી જ્યાં સુધી ક્રૂ મેમ્બર્સ આલ્કોહોલ નહીં આપે. ક્રૂ મેમ્બર્સને જાણ કરવામાં આવી હતી કે જ્યારે જરૂર પડે ત્યારે સમજદારીપૂર્વક દારૂ પીરસવાનું કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે કર્મચારીઓના સંગઠનોએ ડીજીસીએને પાયલોટનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાની માગ કરી છે.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.