એર ઈન્ડિયાએ આલ્કોહોલ પોલીસીમાં કર્યો ફેરફાર, વિવાદ સર્જાતા પોલીસી કરી ચેન્જ


  • Published By :
  • Published Date : 2023-01-25 12:15:24

એર ઈન્ડિયા ફ્લાઈટમાં થોડા સમય મહિનાઓ પહેલા એક વ્યક્તિએ નશાની હાલતમાં બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો હતો. આ કિસ્સો સામે આવતા વિવાદ છેડાયો હતો. પોલીસે શંકર મિશ્રાની ધરપકડ કરી લીધી ઉપરાંત એર ઈન્ડિયા દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાએ આલ્કોહોલ સર્વિસમાં ફેરફાર કર્યા છે. જ્યાં સુધી ક્રૂ-મેમ્બર્સ આલ્કોહોલ નહીં આપે ત્યાં સુધી ફ્લાઈટમાં શરાબ નહીં પી શકાય.


નશામાં મહિલા પર કર્યો હતો પેશાબ

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં મારામારી થતી હોય, ફ્લાઈટમાં ગેરવર્તન થતું હોય. ત્યારે થોડા મહિનાઓ પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક એવી ઘટના બની હતી જેમાં નશામાં ઘૂત વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. ઘટના બાદ પગલા લેવામાં આવ્યા હતા. શંકર મિશ્રાની એર મુસાફરી પર અનેક મહિનાઓ સુધી પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. 


આલ્કોહોલ પોલીસીમાં કર્યો ફેરફાર 

ફ્લાઈટમાં વધતી ઘટનાઓને કારણે એર ઈન્ડિયાએ આલ્કોહોલ પોલીસીમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત ફ્લાઈટમાં યાત્રીકોને આલ્કોહોલ પીવાની અનુમતિ નથી જ્યાં સુધી ક્રૂ મેમ્બર્સ આલ્કોહોલ નહીં આપે. ક્રૂ મેમ્બર્સને જાણ કરવામાં આવી હતી કે જ્યારે જરૂર પડે ત્યારે સમજદારીપૂર્વક દારૂ પીરસવાનું કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે કર્મચારીઓના સંગઠનોએ ડીજીસીએને પાયલોટનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાની માગ કરી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.