બ્રિટનમાં એર ટ્રાફિક કન્ટ્રોલ ઠપ, ફ્લાઈટ સર્વિસ ખોરવાઈ, અનેક ફ્લાઈટ કેન્સલ


  • Published By :
  • Published Date : 2023-08-28 19:14:37

બ્રિટનમાં એર ટ્રાફિક કન્ટ્રોલમાં આવેલી ટેકનીકલ સમસ્યાના કારણે અનેક ફ્લાઈટ સર્વિસ ખોરવાઈ છે, આ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. બ્રિટનની રાજધાની લંડનમાં સોમવારે ટેક્નિકલ સમસ્યા સર્જાયા બાદ ફ્લાઈટ સેવામાં વિક્ષેપ સર્જાયો છે અને લંડનના એરપોર્ટ પર ફ્લાઈટ સેવા બંધ કરી દેવામાં આવી છે. બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમે (Air Traffic Controllers) જાણ કરી હતી કે ટેક્નિકલ સમસ્યાના કારણે ફ્લાઈટ્સ મોડી પડી છે. 


અસુવિધા માટે યાત્રીકોની માફી માગી


મીડિયા રિપોર્ટ મુજબ બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસ (NATS)ના જણાવ્યા મુજબ "તે ટેકનીકલ ખામીનો સામનો કરી રહી છે. આ કારણે ઉડાનોમાં વિલંબ થઈ શકે છે." એન્જિનિયરિંગ ખામીને શોધવા માટે અને તેને સુધારવા માટે કામ ચાલી રહ્યું છે. આ સાથે જ યાત્રિકોની માફી માગતા કહેવામાં આવ્યું છે કે પેસેન્જરોને થનારી અસુવિધા માટે માફી માગીએ છીએ.  


એરપોર્ટ પર ટ્રાફિક ફ્લો રિસ્ટ્રીક્શન


બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસીસ (NATS)એ કહ્યું કે અમે વર્તમાનમાં ટેકનિકલ ખામીનો સામનો કરી રહ્યા છિએ, અને સુરક્ષા જાળવી રાખવા માટે ટ્રાફિક ફ્લો રિસ્ટ્રીક્શન લાગુ કરવામાં આવ્યું છે. આયરલેન્ડની એરલાઈન્સે પણ તેની ફ્લાઈટને ડિલે કે કેન્સલ કરી દીધી છે. તેનો મતલબ એ થયો કે આયરલેન્ડનું એર ટ્રાફિક નેટવર્ક પણ પ્રભાવિત થયો છે. અનેક પેસેન્જરો સોશિયલ મીડિયા પર આ અંગે તેમની હૈયાવરાળ ઠાલવી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.