બ્રિટનમાં એર ટ્રાફિક કન્ટ્રોલ ઠપ, ફ્લાઈટ સર્વિસ ખોરવાઈ, અનેક ફ્લાઈટ કેન્સલ


  • Published By :
  • Published Date : 2023-08-28 19:14:37

બ્રિટનમાં એર ટ્રાફિક કન્ટ્રોલમાં આવેલી ટેકનીકલ સમસ્યાના કારણે અનેક ફ્લાઈટ સર્વિસ ખોરવાઈ છે, આ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે. બ્રિટનની રાજધાની લંડનમાં સોમવારે ટેક્નિકલ સમસ્યા સર્જાયા બાદ ફ્લાઈટ સેવામાં વિક્ષેપ સર્જાયો છે અને લંડનના એરપોર્ટ પર ફ્લાઈટ સેવા બંધ કરી દેવામાં આવી છે. બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમે (Air Traffic Controllers) જાણ કરી હતી કે ટેક્નિકલ સમસ્યાના કારણે ફ્લાઈટ્સ મોડી પડી છે. 


અસુવિધા માટે યાત્રીકોની માફી માગી


મીડિયા રિપોર્ટ મુજબ બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસ (NATS)ના જણાવ્યા મુજબ "તે ટેકનીકલ ખામીનો સામનો કરી રહી છે. આ કારણે ઉડાનોમાં વિલંબ થઈ શકે છે." એન્જિનિયરિંગ ખામીને શોધવા માટે અને તેને સુધારવા માટે કામ ચાલી રહ્યું છે. આ સાથે જ યાત્રિકોની માફી માગતા કહેવામાં આવ્યું છે કે પેસેન્જરોને થનારી અસુવિધા માટે માફી માગીએ છીએ.  


એરપોર્ટ પર ટ્રાફિક ફ્લો રિસ્ટ્રીક્શન


બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસીસ (NATS)એ કહ્યું કે અમે વર્તમાનમાં ટેકનિકલ ખામીનો સામનો કરી રહ્યા છિએ, અને સુરક્ષા જાળવી રાખવા માટે ટ્રાફિક ફ્લો રિસ્ટ્રીક્શન લાગુ કરવામાં આવ્યું છે. આયરલેન્ડની એરલાઈન્સે પણ તેની ફ્લાઈટને ડિલે કે કેન્સલ કરી દીધી છે. તેનો મતલબ એ થયો કે આયરલેન્ડનું એર ટ્રાફિક નેટવર્ક પણ પ્રભાવિત થયો છે. અનેક પેસેન્જરો સોશિયલ મીડિયા પર આ અંગે તેમની હૈયાવરાળ ઠાલવી છે.  



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.