શિવ સેના બાદ NCPમાં પણ ભાગલા, અજીત પવારે 40 ધારાસભ્યો સાથે બળવો કર્યો, રાજ્યના DyCM તરીકે લીધા શપથ


  • Published By :
  • Published Date : 2023-07-02 15:37:25

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત મોટો રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે, NCP નેતા અજિત પવારે શિંદે-ભાજપ સરકારમાં જોડાયા બાદ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. આ બધું એટલું ઝડપથી થયું કે એવું માનવામાં આવે છે કે તે અજિત પવારના મોટા આયોજનનો એક ભાગ હતો. છેલ્લા ઘણા દિવસોથી અજિત પવાર સહિત NCP ધારાસભ્યોનો મોટો વર્ગ શરદ પવારથી નારાજ હતો. 


શરદ પવારના પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ


મહારાષ્ટ્રના રાજકારણમાં સુપર સન્ડેના દિવસે અજિતે પોતાના ઘરે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ પછી 53માંથી 40 ધારાસભ્યોનું ભારે સમર્થન ધરાવતા અજીત રાજભવન પહોંચ્યા હતા. રાજ્યના સીએમ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા અને ત્યારબાદ અજિત પવાર સહિત 9 મંત્રીઓએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આશ્ચર્યજનક બાબત તો એ છે કે શરદ પવારના ખૂબ જ નજીકના કહેવાતા પ્રફુલ પટેલ, દિલીપ વાલસે પાટીલ, છગન ભુજબળ પણ અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા હતા. શરદ પવારના વફાદારો પણ તેમનો સાથે છોડીને જતા રહેતા તેમના પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ છે.


અજિત પવાર કેમ નારાજ છે?


NCPના રાજ્ય એકમના વડા તરીકે તક ન મળવાથી અજિત પવાર નારાજ છે. આ બેઠકમાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલે હાજરી આપી હતી. પરંતુ સુલે મીટીંગ છોડીને જતી રહી હતી. NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પુણેમાં હાજર શરદ પવાર સાથે ફોન પર વાતચીત કરી હતી. રાજકીય ઉથલપાથલને જોતા શરદ પવારે પુણેમાં જ રહેવાનો નિર્ણય લીધો છે અને તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.