ધ કેરાલા સ્ટોરી બાદ હવે 'અજમેર-92'ની રિલીઝ પર વિવાદ, આ મુસ્લીમ સંગઠને ફિલ્મ પર પ્રતિબંધની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-06-05 17:10:56

ધ કેરાલા સ્ટોરી બાદ વધુ એક ફિલ્મ 'અજમેર-92' રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ છે. કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લઘુમતીઓને ટારગેટ કરે છે, અને 30 વર્ષ અગાઉ અજમેરમાં તરૂણીઓ પર થયેલા ગુનાહિત હુમલા પર આધારીત છે. જ્યારે કન્ટેન્ટને લઈ જમીયત ઉલેમા એ હિંદે ફિલ્મ 'અજમેર-92' સામે મોરચો ખોલી દીધો છે. આ મુસ્લીમ સંગઠને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.  


જમીયત ઉલેમા એ હિંદે કર્યો વિરોધ


જમીયતના પ્રમુખ મૌલાના મદનીએ કહ્યું કે અજમેર શરીફની દરગાહને બદનામ કરવા માટે બનેલી ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવે. ગુનાઈત ઘટનાઓને ધર્મ સાથે જોડવાના બદલે ગુનાઓની સામે એકજુથ થઈને કાર્યવાહી કરવાની જરૂર છે. આ ફિલ્મ સમાજમાં દરાર પેદા કરશે.


અભિવ્યક્તિની આઝાદી સામે વાંધો

 

મૌલાના મદની વધુમાં કહ્યું કે અજમેર શહેરમાં જે પ્રકારે ગુનાહિત ઘટનો સામે આવી રહી છે તે સમગ્ર સમાજ માટે શરમજનક બાબત છે. તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા એક વરદાનની સાથે-સાથે કોઈ પણ લોકતંત્રની તાકાત પણ છે. પરંતું તેની આડમાં દેશને તોડનારા વિચારો અને ધારણાને પ્રોત્સાહન ન આપી શકાય. અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ હિંદુ-મુસ્લીમ એકતાનું જીવંત ઉદાહરણ  છે અને લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે.   


ફિલ્મની કથાવસ્તુ શું છે?


અજમેર 92 ફિલ્મનું ડાયરેક્શન પુષ્પેન્દ્ર સિંહે કર્યું છે, આ ફિલ્મમાં ઝરીના વહાબ, સયાજી શિંદે, મનોજ જોશી અને રાજેશ શર્માએ મુખ્ય કિરદાર નિભાવ્યો છે. આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારીત છે, વર્ષો પહેલા અજમેરમાં 100થી વધુ યુવતીઓને બ્લેકમેઈલ કરવા અને ત્યાર બાદ તેમનું શારિરીક શોષણ કરવાની ઘટનાને ફિલ્મમાં નિરૂપવામાં આવી છે. ફિલ્મના કન્ટેન્ટને લઈને વિવાદ વધી રહ્યો છે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .