મહારાષ્ટ્રના અકોલામાં ફાટી નિકળી કોમી હિંસા, રમખાણોનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-05-14 13:28:55

એક ઈંસ્ટાગ્રામ પોસ્ટને કારણે મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ફાટી નિકળી હતી. અકોલા ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું જ્યારે 8 લોકો ઘાયલ થઈ ગયા હતા. એક વીડિયોમાં કથિત રીતે બે જૂથ વચ્ચે પથ્થરમારો અને રસ્તા પર હોબાળો કરતા દેખાડ્યા છે. પોલીસે કહ્યું કે, ભીડે અમુક વાહનોને પણ તોડી નાખ્યા છે. હિંસક ઘટના બાદ ટોળાએ ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન બહાર માર્ચ કાઢી હતી. પરિસ્થિતીને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો.


શહેરમાં કલમ 144 લાગૂ કરાઈ


અકોલામાં ફાટી નિકળેસી હિંસા મામલે એસપી સંદીપ ધુગે ચોખવટ કરી છે કે, હાલમાં સ્થિતી કાબૂમાં છે. તેમણે કહ્યું કે, જિલ્લા કલેક્ટરે આદેશ પર અકોલા શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સ્થિતીને કાબૂ કરવા માટે અન્ય જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. હિંસક અથડામણની પાછળનં કારણ હાલમાં જાણવા મળ્યું નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્ર અકોલામાં શનિવારે સાંજે ઈંસ્ટાગ્રામ પર વિવાદીત પોસ્ટ કરી હતી. જેના કારણે કેટલાય લોકો એકઠા થયા અને પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.