મહારાષ્ટ્રના અકોલામાં ફાટી નિકળી કોમી હિંસા, રમખાણોનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-05-14 13:28:55

એક ઈંસ્ટાગ્રામ પોસ્ટને કારણે મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ફાટી નિકળી હતી. અકોલા ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા. આ હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું જ્યારે 8 લોકો ઘાયલ થઈ ગયા હતા. એક વીડિયોમાં કથિત રીતે બે જૂથ વચ્ચે પથ્થરમારો અને રસ્તા પર હોબાળો કરતા દેખાડ્યા છે. પોલીસે કહ્યું કે, ભીડે અમુક વાહનોને પણ તોડી નાખ્યા છે. હિંસક ઘટના બાદ ટોળાએ ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન બહાર માર્ચ કાઢી હતી. પરિસ્થિતીને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો હતો.


શહેરમાં કલમ 144 લાગૂ કરાઈ


અકોલામાં ફાટી નિકળેસી હિંસા મામલે એસપી સંદીપ ધુગે ચોખવટ કરી છે કે, હાલમાં સ્થિતી કાબૂમાં છે. તેમણે કહ્યું કે, જિલ્લા કલેક્ટરે આદેશ પર અકોલા શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. સ્થિતીને કાબૂ કરવા માટે અન્ય જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. હિંસક અથડામણની પાછળનં કારણ હાલમાં જાણવા મળ્યું નથી. પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્ર અકોલામાં શનિવારે સાંજે ઈંસ્ટાગ્રામ પર વિવાદીત પોસ્ટ કરી હતી. જેના કારણે કેટલાય લોકો એકઠા થયા અને પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.