રશિયા સાચું દોસ્ત, PoK અને અક્સાઈ ચીનને નકશામાં ભારતનો ભાગ ગણાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:02:22

રશિયાએ પણ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપી છે. રશિયન સરકાર દ્વારા જારી કરાયેલ SCO સભ્ય દેશોના નકશાએ આ બાબત સાબિત કરી છે. રશિયાની સરકારની સત્તાવાર એજન્સી સ્પુટનિકના જણાવ્યા અનુસાર, જારી કરાયેલા નકશામાં પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન તેમજ સમગ્ર અરુણાચલ પ્રદેશને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. પાકિસ્તાન અને ચીન SCO સભ્ય દેશો હોવા છતાં મોસ્કોએ આ પગલું ભર્યું છે. રશિયાએ આ નકશો જાહેર કરીને આ બન્ને દેશોની બોલતી બંધ કરી દીધી છે.


રશિયાએ SCO સભ્ય દેશોના નકશામાં શું દર્શાવ્યું છે?


રશિયન સરકારે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોનો નકશો જારી કર્યો છે. રશિયન ન્યૂઝ એજન્સી સ્પુતનિક દ્વારા જારી કરવામાં આવેલા એક નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીનની સાથે અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો ગણાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ ભારતનો અભિન્ન અંગ દર્શાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન અને ચીન પણ આજ SCO સંગઠનના સભ્ય છે. રશિયાએ તેમની દરકાર કર્યાં વિના આ નકશો જારી કર્યો છે. .


રશિયાનું આ પગલું શા માટે મહત્વનું છે?


શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોમાં ચીન અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ચીન ભારતના લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને જ્યારે પાકિસ્તાન ભારત શાસિત જમ્મુ-કાશ્મીરને પોતાનો ભાગ માને છે. હવે આ પરિસ્થિતીમાં રશિયાનું આ પગલું ખુબ મહત્વનું છે? રશિયા દ્વારા જારી કરવામાં આવેલા આ નકશાથી વૈશ્વિક મંચ તેમજ SCO વચ્ચે ભારતની સ્થિતિ વધારે મજબૂત બની છે.



અત્રે ઉલ્લેખનિય છે કે, સોવિયત સંઘ અને રશિયા 1947થી કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન કરે છે. ભારત વિરોધી પ્રસ્તાવોને ફગાવવા માટે UNSCમાં વીટો પાવરનો ઉપયોગ કરે છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .