રશિયા સાચું દોસ્ત, PoK અને અક્સાઈ ચીનને નકશામાં ભારતનો ભાગ ગણાવ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 17:02:22

રશિયાએ પણ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપી છે. રશિયન સરકાર દ્વારા જારી કરાયેલ SCO સભ્ય દેશોના નકશાએ આ બાબત સાબિત કરી છે. રશિયાની સરકારની સત્તાવાર એજન્સી સ્પુટનિકના જણાવ્યા અનુસાર, જારી કરાયેલા નકશામાં પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન તેમજ સમગ્ર અરુણાચલ પ્રદેશને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. પાકિસ્તાન અને ચીન SCO સભ્ય દેશો હોવા છતાં મોસ્કોએ આ પગલું ભર્યું છે. રશિયાએ આ નકશો જાહેર કરીને આ બન્ને દેશોની બોલતી બંધ કરી દીધી છે.


રશિયાએ SCO સભ્ય દેશોના નકશામાં શું દર્શાવ્યું છે?


રશિયન સરકારે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોનો નકશો જારી કર્યો છે. રશિયન ન્યૂઝ એજન્સી સ્પુતનિક દ્વારા જારી કરવામાં આવેલા એક નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીનની સાથે અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો ગણાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ ભારતનો અભિન્ન અંગ દર્શાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન અને ચીન પણ આજ SCO સંગઠનના સભ્ય છે. રશિયાએ તેમની દરકાર કર્યાં વિના આ નકશો જારી કર્યો છે. .


રશિયાનું આ પગલું શા માટે મહત્વનું છે?


શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના સભ્ય દેશોમાં ચીન અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ચીન ભારતના લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને જ્યારે પાકિસ્તાન ભારત શાસિત જમ્મુ-કાશ્મીરને પોતાનો ભાગ માને છે. હવે આ પરિસ્થિતીમાં રશિયાનું આ પગલું ખુબ મહત્વનું છે? રશિયા દ્વારા જારી કરવામાં આવેલા આ નકશાથી વૈશ્વિક મંચ તેમજ SCO વચ્ચે ભારતની સ્થિતિ વધારે મજબૂત બની છે.



અત્રે ઉલ્લેખનિય છે કે, સોવિયત સંઘ અને રશિયા 1947થી કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન કરે છે. ભારત વિરોધી પ્રસ્તાવોને ફગાવવા માટે UNSCમાં વીટો પાવરનો ઉપયોગ કરે છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.