સોશિયલ મીડિયા પર અક્ષયકુમાર થયા ટ્રોલ, લાલ ઘાઘરો પહેરી નોરા ફતેહી સાથે ડાન્સ અક્ષયકુમારે કર્યો


  • Published By :
  • Published Date : 2023-03-04 18:00:26

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર પોતાની ફિલ્મ સેલ્ફીને લઈ ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મો બોક્સઓફિસ પર ચાલી નથી રહી. ત્યારે અક્ષય કુમાર ટ્રોલ થયા છે. અભિનેતા એટલાન્ટા સિટીમાં એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે ડાન્સ કર્યો હતો જે વાયરલ થયો હતો. આ દરમિયાન અક્ષય કુમારે શર્ટલેસ બ્લેક સૂટ પહેર્યો હતો અને તેની નીચે અભિનેતાએ લાલ ઘાઘરો પહેર્યો હતો. અક્ષય કુમારના આ ડાન્સમાં નોરા ફતેહી પણ દેખાઈ હતી. 


અક્ષયકુમારના ડાન્સનો વીડિયો થયો વાયરલ 

થોડા દિવસ પહેલા અક્ષયકુમારની ફિલ્મ સેલ્ફી રિલીઝ થઈ હતી જેને લઈ અક્ષયકુમાર ચર્ચામાં હતા.પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ફિલ્મની અસફળતાને કારણે અભિનેતાની ભારે ટીકા થઈ હતી. આ બધા વચ્ચે અભિનેતા એટલાન્ટ સિટીમાં આયોજીત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.આ ઈવેન્ટમાં નોરા ફતેહી સાથે તેમણે ડાન્સ પણ કર્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે. પ્રશંસા કરવાને બદલે ડાન્સ જોઈ લોકો અક્ષયને ટ્રોલ કરી રહ્યા છે.         


ઘાઘરો પહેરી અક્ષય કુમારે ડાન્સ કર્યો જે બાદ થયા ટ્રોલ  

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અક્ષયકુમાર ઘાઘરો પહેરી ડાન્સ કરી રહ્યા છે. અક્ષય અને નોરા સેલ્ફી ફિલ્મના ગીત મેં ખિલાડી તુ અનાડી પર ડાન્સ કરી રહ્યા છે. અક્ષય કુમાર એટલાન્ટા સિટીમાં આયોજીત એક ઈવેન્ટમાં તેમણે ડાન્સ કર્યો હતો. ડાન્સ પરફોમન્સ દરમિયાન અક્ષય કુમારે શર્ટલેસ બ્લેક સૂટ પહેર્યો હતો અને નીચે ઘાઘરો પહેર્યો હતો. પેન્ટ પર લાલ ઘાઘરો લપેટી અક્ષય કુમારે ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો વાયરલ થતા ફેન્સે ટીકા કરી હતી અને અક્ષયકુમાર ટ્રોલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે લખ્યું કે આ જોવાનું બાકી હતું, તો અન્ય એક યુઝરે લખ્યું કે આ ઘટિયા કામ કરવાનું બંધ કરી દે તો અક્ષય હિટ થઈ જાય.





રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.