દિલ અને નાગરિક્તા બંને હિંદુસ્તાની...અક્ષય કુમારને મળી ભારતીય નાગરિક્તા, ફોટો શેર કરી આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-08-15 14:28:26

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને અંતે ભારતની નાગરિક્તા મળી ગઈ છે. અત્યાર સુધી તેમને કેનેડાના નાગરિક કહીંને  ખૂબ ટ્રોલ કરવામાં આવતા હતા. અક્ષય કુમાર પણ સામે જવાબ આપતા હતા કે તે ભારતમાં રહીને ખૂબ જ ટેક્સ ચુકવે છે. તે દિવથી હિંદુસ્તાની છે. એક્ટરે પોતાના નાગરિક્તા દસ્તાવેજોને ટ્વીટર પર શેર કરતા ફેન્સને આ અંગે જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે હવે તે ભારતીય નાગરિક બની ચુક્યા છે.


અક્ષય કુમાર પર અભિનંદન વર્ષા

 

તેમણે ટ્વીટ કરતા ડોક્યુમેન્ટની તસવીર શેર કરતા લખ્યું છે કે " દિલ અને નાગરિક્તા બંને હિંદુસ્તાની સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ જય હિંદ" અક્ષય કુમાર પોતાની ભારતીય નાગરિક્તા પ્રાપ્ત કરીને ખુશ જોવા મળ્યા હતા. તેમણે આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. અક્ષય કુમારને સોશિયલ મીડિયા દ્વારા ચાહકો અભિનંદન પાઠવી રહ્યા છે, તો કેટલાક લોકોએ નફરતી કોમેન્ટ પણ કરી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.