દિલ અને નાગરિક્તા બંને હિંદુસ્તાની...અક્ષય કુમારને મળી ભારતીય નાગરિક્તા, ફોટો શેર કરી આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-08-15 14:28:26

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને અંતે ભારતની નાગરિક્તા મળી ગઈ છે. અત્યાર સુધી તેમને કેનેડાના નાગરિક કહીંને  ખૂબ ટ્રોલ કરવામાં આવતા હતા. અક્ષય કુમાર પણ સામે જવાબ આપતા હતા કે તે ભારતમાં રહીને ખૂબ જ ટેક્સ ચુકવે છે. તે દિવથી હિંદુસ્તાની છે. એક્ટરે પોતાના નાગરિક્તા દસ્તાવેજોને ટ્વીટર પર શેર કરતા ફેન્સને આ અંગે જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે હવે તે ભારતીય નાગરિક બની ચુક્યા છે.


અક્ષય કુમાર પર અભિનંદન વર્ષા

 

તેમણે ટ્વીટ કરતા ડોક્યુમેન્ટની તસવીર શેર કરતા લખ્યું છે કે " દિલ અને નાગરિક્તા બંને હિંદુસ્તાની સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ જય હિંદ" અક્ષય કુમાર પોતાની ભારતીય નાગરિક્તા પ્રાપ્ત કરીને ખુશ જોવા મળ્યા હતા. તેમણે આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. અક્ષય કુમારને સોશિયલ મીડિયા દ્વારા ચાહકો અભિનંદન પાઠવી રહ્યા છે, તો કેટલાક લોકોએ નફરતી કોમેન્ટ પણ કરી છે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."