દિલ અને નાગરિક્તા બંને હિંદુસ્તાની...અક્ષય કુમારને મળી ભારતીય નાગરિક્તા, ફોટો શેર કરી આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-08-15 14:28:26

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારને અંતે ભારતની નાગરિક્તા મળી ગઈ છે. અત્યાર સુધી તેમને કેનેડાના નાગરિક કહીંને  ખૂબ ટ્રોલ કરવામાં આવતા હતા. અક્ષય કુમાર પણ સામે જવાબ આપતા હતા કે તે ભારતમાં રહીને ખૂબ જ ટેક્સ ચુકવે છે. તે દિવથી હિંદુસ્તાની છે. એક્ટરે પોતાના નાગરિક્તા દસ્તાવેજોને ટ્વીટર પર શેર કરતા ફેન્સને આ અંગે જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે હવે તે ભારતીય નાગરિક બની ચુક્યા છે.


અક્ષય કુમાર પર અભિનંદન વર્ષા

 

તેમણે ટ્વીટ કરતા ડોક્યુમેન્ટની તસવીર શેર કરતા લખ્યું છે કે " દિલ અને નાગરિક્તા બંને હિંદુસ્તાની સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ જય હિંદ" અક્ષય કુમાર પોતાની ભારતીય નાગરિક્તા પ્રાપ્ત કરીને ખુશ જોવા મળ્યા હતા. તેમણે આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. અક્ષય કુમારને સોશિયલ મીડિયા દ્વારા ચાહકો અભિનંદન પાઠવી રહ્યા છે, તો કેટલાક લોકોએ નફરતી કોમેન્ટ પણ કરી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.