આ ફિલ્મની આવી રહી છે સીક્વલ, અનેક ફ્લોપ ફિલ્મો બાદ આ ફિલ્મ પર અક્ષય કુમાર રાખી રહ્યા આશા, જાણો ક્યારે અને કઈ ફિલ્મ થઈ રહી છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-06-30 17:55:19

પહેલા એક સમય એવો હતો કે અક્ષય કુમારની ફિલ્મ એકદમ સુપર ડુપર હીટ હોતી હતી. એ ફિલ્મ ભલે એન્ટરટેન્મેન્ટની હોય, એક્શનની હોય કે પછી કોપની ભૂમિકા હોય. તે હંમેશા પોતાની એક્ટિંગથી દર્શકોનું દીલ જીતી લે છે. છેલ્લા ઘણા સમયથી અક્ષકુમારની ફિલ્મ એક બાદ એક ફ્લોપ જઈ રહી છે. એ પછી ફિલ્મ સેલ્ફી હોય કે પછી રામ સેતુ હોય. રક્ષાબંધન હોય કે સમ્રાટ પૃથ્વીરાજ હોય.અક્ષય કુમારની ફિલ્મ સતત ફ્લોપ જઈ રહી છે. આ બધા વચ્ચે અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ અંગે જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર હાઉસફૂલ 5ની જાહેરાત કરી છે.   

અક્ષય કુમારની અનેક ફિલ્મો જઈ રહી છે ફ્લોપ  

અક્ષય કુમારને બોલિવુડના ખીલાડી કુમાર તરીકે ઓળખવામાં આવે છે, એક સમય એવો હતો જ્યારે તેમની ફિલ્મ સારી કમાણી કરી લેતી હતી. પરંતુ હવે જાણે સમય બદલાઈ ગયો છે. તેમની ફિલ્મ સારી કમાણી નથી કરી શકતી. અનેક ફિલ્મો ફ્લોપ ગઈ છે. ત્યારે અભિનેતાએ વધુ એક ફિલ્મની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર હાઉસફૂલ 5 અંગેની અનાઉસ્મેન્ટ કરી છે. ફિલ્મની જાહેરાત કરવાની સાથે તેમણે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગેની માહિતી પણ આપી હતી. 


સોશિયલ મીડિયા પર એક્ટરે આપી જાણકારી 

હાઉસફૂલની પહેલા પણ અનેક સિક્વલ આવેલી છે જેને દર્શકોનો પ્રેમ મળ્યો હતો. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ત્યારે આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં બીજા કયા કલાકારો છે તે અંગેની જાણકારી આપવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં આ અંગેની જાણકારી આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી કેપ્શન આપ્યું કે '5 ગણી વધુ ક્રેઝીનેસ માટે તૈયાર રહો. તમારી સમક્ષ પ્રસ્તુત છે સાજીદ નડિયાદવાલાની હાઉસફુલ. તેના નિર્દેશક તરુણ મનસુખાની છે. દિવાળી 2024માં થિયેટરોમાં મળીશું. અક્ષયે રિતેશ દેશમુખ, નડિયાદવાલા ગ્રાન્ડસન પ્રોડક્શન કંપનીને ટેગ કર્યા છે. હવે જોવું રહ્યું કે આ ફિલ્મ કોઈ જાદુ કરી શકે છે કે નહીં? 



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.