આ ફિલ્મની આવી રહી છે સીક્વલ, અનેક ફ્લોપ ફિલ્મો બાદ આ ફિલ્મ પર અક્ષય કુમાર રાખી રહ્યા આશા, જાણો ક્યારે અને કઈ ફિલ્મ થઈ રહી છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-06-30 17:55:19

પહેલા એક સમય એવો હતો કે અક્ષય કુમારની ફિલ્મ એકદમ સુપર ડુપર હીટ હોતી હતી. એ ફિલ્મ ભલે એન્ટરટેન્મેન્ટની હોય, એક્શનની હોય કે પછી કોપની ભૂમિકા હોય. તે હંમેશા પોતાની એક્ટિંગથી દર્શકોનું દીલ જીતી લે છે. છેલ્લા ઘણા સમયથી અક્ષકુમારની ફિલ્મ એક બાદ એક ફ્લોપ જઈ રહી છે. એ પછી ફિલ્મ સેલ્ફી હોય કે પછી રામ સેતુ હોય. રક્ષાબંધન હોય કે સમ્રાટ પૃથ્વીરાજ હોય.અક્ષય કુમારની ફિલ્મ સતત ફ્લોપ જઈ રહી છે. આ બધા વચ્ચે અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ અંગે જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર હાઉસફૂલ 5ની જાહેરાત કરી છે.   

અક્ષય કુમારની અનેક ફિલ્મો જઈ રહી છે ફ્લોપ  

અક્ષય કુમારને બોલિવુડના ખીલાડી કુમાર તરીકે ઓળખવામાં આવે છે, એક સમય એવો હતો જ્યારે તેમની ફિલ્મ સારી કમાણી કરી લેતી હતી. પરંતુ હવે જાણે સમય બદલાઈ ગયો છે. તેમની ફિલ્મ સારી કમાણી નથી કરી શકતી. અનેક ફિલ્મો ફ્લોપ ગઈ છે. ત્યારે અભિનેતાએ વધુ એક ફિલ્મની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર હાઉસફૂલ 5 અંગેની અનાઉસ્મેન્ટ કરી છે. ફિલ્મની જાહેરાત કરવાની સાથે તેમણે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગેની માહિતી પણ આપી હતી. 


સોશિયલ મીડિયા પર એક્ટરે આપી જાણકારી 

હાઉસફૂલની પહેલા પણ અનેક સિક્વલ આવેલી છે જેને દર્શકોનો પ્રેમ મળ્યો હતો. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ત્યારે આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં બીજા કયા કલાકારો છે તે અંગેની જાણકારી આપવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં આ અંગેની જાણકારી આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી કેપ્શન આપ્યું કે '5 ગણી વધુ ક્રેઝીનેસ માટે તૈયાર રહો. તમારી સમક્ષ પ્રસ્તુત છે સાજીદ નડિયાદવાલાની હાઉસફુલ. તેના નિર્દેશક તરુણ મનસુખાની છે. દિવાળી 2024માં થિયેટરોમાં મળીશું. અક્ષયે રિતેશ દેશમુખ, નડિયાદવાલા ગ્રાન્ડસન પ્રોડક્શન કંપનીને ટેગ કર્યા છે. હવે જોવું રહ્યું કે આ ફિલ્મ કોઈ જાદુ કરી શકે છે કે નહીં? 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી