આ ફિલ્મની આવી રહી છે સીક્વલ, અનેક ફ્લોપ ફિલ્મો બાદ આ ફિલ્મ પર અક્ષય કુમાર રાખી રહ્યા આશા, જાણો ક્યારે અને કઈ ફિલ્મ થઈ રહી છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-06-30 17:55:19

પહેલા એક સમય એવો હતો કે અક્ષય કુમારની ફિલ્મ એકદમ સુપર ડુપર હીટ હોતી હતી. એ ફિલ્મ ભલે એન્ટરટેન્મેન્ટની હોય, એક્શનની હોય કે પછી કોપની ભૂમિકા હોય. તે હંમેશા પોતાની એક્ટિંગથી દર્શકોનું દીલ જીતી લે છે. છેલ્લા ઘણા સમયથી અક્ષકુમારની ફિલ્મ એક બાદ એક ફ્લોપ જઈ રહી છે. એ પછી ફિલ્મ સેલ્ફી હોય કે પછી રામ સેતુ હોય. રક્ષાબંધન હોય કે સમ્રાટ પૃથ્વીરાજ હોય.અક્ષય કુમારની ફિલ્મ સતત ફ્લોપ જઈ રહી છે. આ બધા વચ્ચે અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ અંગે જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર હાઉસફૂલ 5ની જાહેરાત કરી છે.   

અક્ષય કુમારની અનેક ફિલ્મો જઈ રહી છે ફ્લોપ  

અક્ષય કુમારને બોલિવુડના ખીલાડી કુમાર તરીકે ઓળખવામાં આવે છે, એક સમય એવો હતો જ્યારે તેમની ફિલ્મ સારી કમાણી કરી લેતી હતી. પરંતુ હવે જાણે સમય બદલાઈ ગયો છે. તેમની ફિલ્મ સારી કમાણી નથી કરી શકતી. અનેક ફિલ્મો ફ્લોપ ગઈ છે. ત્યારે અભિનેતાએ વધુ એક ફિલ્મની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર હાઉસફૂલ 5 અંગેની અનાઉસ્મેન્ટ કરી છે. ફિલ્મની જાહેરાત કરવાની સાથે તેમણે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગેની માહિતી પણ આપી હતી. 


સોશિયલ મીડિયા પર એક્ટરે આપી જાણકારી 

હાઉસફૂલની પહેલા પણ અનેક સિક્વલ આવેલી છે જેને દર્શકોનો પ્રેમ મળ્યો હતો. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ત્યારે આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં બીજા કયા કલાકારો છે તે અંગેની જાણકારી આપવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં આ અંગેની જાણકારી આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી કેપ્શન આપ્યું કે '5 ગણી વધુ ક્રેઝીનેસ માટે તૈયાર રહો. તમારી સમક્ષ પ્રસ્તુત છે સાજીદ નડિયાદવાલાની હાઉસફુલ. તેના નિર્દેશક તરુણ મનસુખાની છે. દિવાળી 2024માં થિયેટરોમાં મળીશું. અક્ષયે રિતેશ દેશમુખ, નડિયાદવાલા ગ્રાન્ડસન પ્રોડક્શન કંપનીને ટેગ કર્યા છે. હવે જોવું રહ્યું કે આ ફિલ્મ કોઈ જાદુ કરી શકે છે કે નહીં? 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.