અક્ષય કુમારની ફિલ્મ OMG-2 આવી વિવાદોમાં! સેન્સર બોર્ડે રિલીઝ પર લગાવી રોક! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-07-13 09:42:39

11 ઓગસ્ટે અક્ષય કુમાર તેમજ પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓએમજી-2 રિલીઝ થવાની છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મને લઈ અક્ષય કુમાર હાલ ચર્ચામાં છે. ટીઝર રિલીઝ થતાંની સાથે જ ફિલ્મનો વિવાદ શરૂ થઈ ગયો છે. ફિલ્મમાં બતાવવામાં આવેલા અનેક સીનને લઈ દર્શકો વાંધો ઉઠાવી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ દર્શકોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર સેન્સર બોર્ડે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. ફિલ્મને રિવ્યુ માટે મોકલી દેવામાં આવી છે તેવા સમાચાર હાલ મળી રહ્યા છે. મહત્વનું છે કે અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ નથી જે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. 

થોડા સમય પહેલા ટીઝર થયું હતું રિલીઝ 

થોડા સમય પહેલા આદિપુરૂષ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. ફિલ્મમાં બતાવવામાં  આવેલા અનેક સીન તેમજ અનેક ડાયલોગને લઈ દર્શકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ભક્તોની લાગણીને ઘણી ઠેસ પહોંચી હતી. વિવાદો વધતા ફિલ્મમાં અનેક ચેન્જ કરવામાં આવ્યા હતા. ડાયલોગ પણ બદલવામાં આવ્યા હતા, ત્યારે હવે બીજી એક ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. થોડા સમય પહેલા જ ઓએમજી-2 ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. 

Oh My God! Box Office Collection | Day Wise | Worldwide - Sacnilk

ઓએમજી ફિલ્મનો પણ થયો હતો વિરોધ!

ટીઝર રિલીઝ થતાં જ અનેક સીનને લઈ વિવાદ છેડાઈ ગયો છે. ત્યારે ફિલ્મને લઈ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ પર રોક લગાવાઈ દેવાઈ છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે સેન્સર બોર્ડે ફિલ્મને રિવ્યુ કમિટી પાસે પણ મોકલી દીધી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ઓએમજી ફિલ્મની સિક્વલ છે. જ્યારે અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓએમજી રિલીઝ થઈ હતી ત્યારે પણ ફિલ્મને લઈ વિવાદ છેડાયો હતો. ત્યારે ફિલ્મની સિક્વલ પર પણ વિવાદના વાદળો ઘેરાઈ રહ્યા છે. 


Rustom (2016) - IMDb

અક્ષય કુમારની અનેક ફિલ્મોને લઈ છેડાયો છે વિવાદ 

ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આતુરતાથી લોકો ફિલ્મની રાહ જોતા હતા. ટીઝરને પણ દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ ટીઝરમાં બતાવાયેલા અનેક સીનને લઈ દર્શકોની લાગણીને ઠેસ પહોંચી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શંકરના રોલમાં જોવા મળવાના છે. ટીઝરમાં એક સીન છે જેમાં અક્ષય કુમાર (ભગવાન શિવની ભૂમિકા ભજવનાર) રેલવેના પાણીથી તેમનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મને લઈ મળતી માહિતી અનુસાર ફિલ્મને રિવ્યુ કમિટી પાસે મોકલી દેવામાં આવ્યો છે. અનેક સીન તેમજ ડાયલોગ આપત્તિજનક છે જેને લઈ સેન્સર બોર્ડે ફિલ્મ પર રોક લગાવી દીધી છે. રૂસ્તમ, રક્ષાબંઘન, લક્ષ્મી, રામસેતુ, સમ્રાટ પૃથિવીરાજ, ઓએમજી સહિત એવી અક્ષય કુમારની અનેક ફિલ્મો છે જે વિવાદમાં સપડાઈ છે. ત્યારે આ ફિલ્મને લઈને વિવાદ છેડાઈ ગયો છે. મહત્વનું છે કે ઓએમજી-2 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.    

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.