અક્ષય કુમારની ફિલ્મ OMG-2 આવી વિવાદોમાં! સેન્સર બોર્ડે રિલીઝ પર લગાવી રોક! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-07-13 09:42:39

11 ઓગસ્ટે અક્ષય કુમાર તેમજ પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓએમજી-2 રિલીઝ થવાની છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મને લઈ અક્ષય કુમાર હાલ ચર્ચામાં છે. ટીઝર રિલીઝ થતાંની સાથે જ ફિલ્મનો વિવાદ શરૂ થઈ ગયો છે. ફિલ્મમાં બતાવવામાં આવેલા અનેક સીનને લઈ દર્શકો વાંધો ઉઠાવી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ દર્શકોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર સેન્સર બોર્ડે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. ફિલ્મને રિવ્યુ માટે મોકલી દેવામાં આવી છે તેવા સમાચાર હાલ મળી રહ્યા છે. મહત્વનું છે કે અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ નથી જે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. 

થોડા સમય પહેલા ટીઝર થયું હતું રિલીઝ 

થોડા સમય પહેલા આદિપુરૂષ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. ફિલ્મમાં બતાવવામાં  આવેલા અનેક સીન તેમજ અનેક ડાયલોગને લઈ દર્શકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ભક્તોની લાગણીને ઘણી ઠેસ પહોંચી હતી. વિવાદો વધતા ફિલ્મમાં અનેક ચેન્જ કરવામાં આવ્યા હતા. ડાયલોગ પણ બદલવામાં આવ્યા હતા, ત્યારે હવે બીજી એક ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. થોડા સમય પહેલા જ ઓએમજી-2 ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. 

Oh My God! Box Office Collection | Day Wise | Worldwide - Sacnilk

ઓએમજી ફિલ્મનો પણ થયો હતો વિરોધ!

ટીઝર રિલીઝ થતાં જ અનેક સીનને લઈ વિવાદ છેડાઈ ગયો છે. ત્યારે ફિલ્મને લઈ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ પર રોક લગાવાઈ દેવાઈ છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે સેન્સર બોર્ડે ફિલ્મને રિવ્યુ કમિટી પાસે પણ મોકલી દીધી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ઓએમજી ફિલ્મની સિક્વલ છે. જ્યારે અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓએમજી રિલીઝ થઈ હતી ત્યારે પણ ફિલ્મને લઈ વિવાદ છેડાયો હતો. ત્યારે ફિલ્મની સિક્વલ પર પણ વિવાદના વાદળો ઘેરાઈ રહ્યા છે. 


Rustom (2016) - IMDb

અક્ષય કુમારની અનેક ફિલ્મોને લઈ છેડાયો છે વિવાદ 

ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આતુરતાથી લોકો ફિલ્મની રાહ જોતા હતા. ટીઝરને પણ દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ ટીઝરમાં બતાવાયેલા અનેક સીનને લઈ દર્શકોની લાગણીને ઠેસ પહોંચી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શંકરના રોલમાં જોવા મળવાના છે. ટીઝરમાં એક સીન છે જેમાં અક્ષય કુમાર (ભગવાન શિવની ભૂમિકા ભજવનાર) રેલવેના પાણીથી તેમનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મને લઈ મળતી માહિતી અનુસાર ફિલ્મને રિવ્યુ કમિટી પાસે મોકલી દેવામાં આવ્યો છે. અનેક સીન તેમજ ડાયલોગ આપત્તિજનક છે જેને લઈ સેન્સર બોર્ડે ફિલ્મ પર રોક લગાવી દીધી છે. રૂસ્તમ, રક્ષાબંઘન, લક્ષ્મી, રામસેતુ, સમ્રાટ પૃથિવીરાજ, ઓએમજી સહિત એવી અક્ષય કુમારની અનેક ફિલ્મો છે જે વિવાદમાં સપડાઈ છે. ત્યારે આ ફિલ્મને લઈને વિવાદ છેડાઈ ગયો છે. મહત્વનું છે કે ઓએમજી-2 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.    

 



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.