અક્ષય કુમારની ફિલ્મ OMG-2 આવી વિવાદોમાં! સેન્સર બોર્ડે રિલીઝ પર લગાવી રોક! જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-07-13 09:42:39

11 ઓગસ્ટે અક્ષય કુમાર તેમજ પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓએમજી-2 રિલીઝ થવાની છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મને લઈ અક્ષય કુમાર હાલ ચર્ચામાં છે. ટીઝર રિલીઝ થતાંની સાથે જ ફિલ્મનો વિવાદ શરૂ થઈ ગયો છે. ફિલ્મમાં બતાવવામાં આવેલા અનેક સીનને લઈ દર્શકો વાંધો ઉઠાવી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ દર્શકોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર સેન્સર બોર્ડે ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી છે. ફિલ્મને રિવ્યુ માટે મોકલી દેવામાં આવી છે તેવા સમાચાર હાલ મળી રહ્યા છે. મહત્વનું છે કે અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ નથી જે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. 

થોડા સમય પહેલા ટીઝર થયું હતું રિલીઝ 

થોડા સમય પહેલા આદિપુરૂષ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. ફિલ્મમાં બતાવવામાં  આવેલા અનેક સીન તેમજ અનેક ડાયલોગને લઈ દર્શકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ભક્તોની લાગણીને ઘણી ઠેસ પહોંચી હતી. વિવાદો વધતા ફિલ્મમાં અનેક ચેન્જ કરવામાં આવ્યા હતા. ડાયલોગ પણ બદલવામાં આવ્યા હતા, ત્યારે હવે બીજી એક ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. થોડા સમય પહેલા જ ઓએમજી-2 ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. 

Oh My God! Box Office Collection | Day Wise | Worldwide - Sacnilk

ઓએમજી ફિલ્મનો પણ થયો હતો વિરોધ!

ટીઝર રિલીઝ થતાં જ અનેક સીનને લઈ વિવાદ છેડાઈ ગયો છે. ત્યારે ફિલ્મને લઈ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ પર રોક લગાવાઈ દેવાઈ છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે સેન્સર બોર્ડે ફિલ્મને રિવ્યુ કમિટી પાસે પણ મોકલી દીધી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ઓએમજી ફિલ્મની સિક્વલ છે. જ્યારે અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓએમજી રિલીઝ થઈ હતી ત્યારે પણ ફિલ્મને લઈ વિવાદ છેડાયો હતો. ત્યારે ફિલ્મની સિક્વલ પર પણ વિવાદના વાદળો ઘેરાઈ રહ્યા છે. 


Rustom (2016) - IMDb

અક્ષય કુમારની અનેક ફિલ્મોને લઈ છેડાયો છે વિવાદ 

ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આતુરતાથી લોકો ફિલ્મની રાહ જોતા હતા. ટીઝરને પણ દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. પરંતુ ટીઝરમાં બતાવાયેલા અનેક સીનને લઈ દર્શકોની લાગણીને ઠેસ પહોંચી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શંકરના રોલમાં જોવા મળવાના છે. ટીઝરમાં એક સીન છે જેમાં અક્ષય કુમાર (ભગવાન શિવની ભૂમિકા ભજવનાર) રેલવેના પાણીથી તેમનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મને લઈ મળતી માહિતી અનુસાર ફિલ્મને રિવ્યુ કમિટી પાસે મોકલી દેવામાં આવ્યો છે. અનેક સીન તેમજ ડાયલોગ આપત્તિજનક છે જેને લઈ સેન્સર બોર્ડે ફિલ્મ પર રોક લગાવી દીધી છે. રૂસ્તમ, રક્ષાબંઘન, લક્ષ્મી, રામસેતુ, સમ્રાટ પૃથિવીરાજ, ઓએમજી સહિત એવી અક્ષય કુમારની અનેક ફિલ્મો છે જે વિવાદમાં સપડાઈ છે. ત્યારે આ ફિલ્મને લઈને વિવાદ છેડાઈ ગયો છે. મહત્વનું છે કે ઓએમજી-2 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.    

 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી