સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG-2, અભિનેતાએ શેર કર્યું નવું પોસ્ટર, ટીઝરને લઈ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-07-03 16:56:31

થોડા સમય પહેલા અક્ષય કુમારે ઓએમજી ફિલ્મના સિક્વલ અંગેની જાહેરાત કરી હતી. વર્ષ 2012માં અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ OMG એટલે કે ઓ માય ગોડ આવી હતી. તે વખતે ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ત્યારે પહેલી ફિલ્મના આટલા વર્ષો બાદ OMG ફિલ્મની સિક્વલ અંગેની જાહેરાત થોડા સમય પહેલા અક્ષય કુમારે કરી હતી. ઓએમજી ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં દેખાયા હતા ત્યારે આ ફિલ્મમાં તે મહાદેવના રૂપમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ફિલ્મનું બીજુ પોસ્ટર રિલીઝ થયું છે.

ભગવાન શંકરનો રોલ નિભાવશે અક્ષય કુમાર

બોલિવુડ એક્ટર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ઓએમજી-2નું બીજુ પોસ્ટર રિલીઝ કર્યું છે. રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં અક્ષય કુમાર ભગવાન શંકરના રૂપમાં દેખાઈ રહ્યા છે. પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ લખવામાં આવી છે. 11 ઓગસ્ટના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં બહાર પડવાની છે. ટીઝર પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટર શેર કરતા અભિનેતાએ લખ્યું કે "બસ થોડા જ દિવસોમાં. ઓહ માય ગોડ 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે. ટીઝર પણ જલ્દી રિલીઝ થશે'.     

11 ઓગસ્ટના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

આની પહેલા પણ એક પોસ્ટર શેર કરી સિક્વલ વિશે જાણકારી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું હતું કે અમે આવી રહ્યા છીએ, તમે પણ આવજો, 11 ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી જોવા મળવાના છે. આની પહેલા જે ઓએમજી હતી તેમાં પરેશ રાવલ અને અક્ષય કુમારની જોડીએ લોકોનું દિલ જીતી લીધું હતું. ત્યારે આજે બીજું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર ઓએમજી-2 ટ્રેન્ડમાં જોવા મળ્યું હતું.      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.