સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG-2, અભિનેતાએ શેર કર્યું નવું પોસ્ટર, ટીઝરને લઈ કહી આ વાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-03 16:56:31

થોડા સમય પહેલા અક્ષય કુમારે ઓએમજી ફિલ્મના સિક્વલ અંગેની જાહેરાત કરી હતી. વર્ષ 2012માં અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ OMG એટલે કે ઓ માય ગોડ આવી હતી. તે વખતે ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ત્યારે પહેલી ફિલ્મના આટલા વર્ષો બાદ OMG ફિલ્મની સિક્વલ અંગેની જાહેરાત થોડા સમય પહેલા અક્ષય કુમારે કરી હતી. ઓએમજી ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં દેખાયા હતા ત્યારે આ ફિલ્મમાં તે મહાદેવના રૂપમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ફિલ્મનું બીજુ પોસ્ટર રિલીઝ થયું છે.

ભગવાન શંકરનો રોલ નિભાવશે અક્ષય કુમાર

બોલિવુડ એક્ટર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ઓએમજી-2નું બીજુ પોસ્ટર રિલીઝ કર્યું છે. રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં અક્ષય કુમાર ભગવાન શંકરના રૂપમાં દેખાઈ રહ્યા છે. પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ લખવામાં આવી છે. 11 ઓગસ્ટના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં બહાર પડવાની છે. ટીઝર પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટર શેર કરતા અભિનેતાએ લખ્યું કે "બસ થોડા જ દિવસોમાં. ઓહ માય ગોડ 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે. ટીઝર પણ જલ્દી રિલીઝ થશે'.     

11 ઓગસ્ટના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

આની પહેલા પણ એક પોસ્ટર શેર કરી સિક્વલ વિશે જાણકારી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું હતું કે અમે આવી રહ્યા છીએ, તમે પણ આવજો, 11 ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી જોવા મળવાના છે. આની પહેલા જે ઓએમજી હતી તેમાં પરેશ રાવલ અને અક્ષય કુમારની જોડીએ લોકોનું દિલ જીતી લીધું હતું. ત્યારે આજે બીજું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર ઓએમજી-2 ટ્રેન્ડમાં જોવા મળ્યું હતું.      



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.