સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ અક્ષય કુમારની આગામી ફિલ્મ OMG-2, અભિનેતાએ શેર કર્યું નવું પોસ્ટર, ટીઝરને લઈ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2023-07-03 16:56:31

થોડા સમય પહેલા અક્ષય કુમારે ઓએમજી ફિલ્મના સિક્વલ અંગેની જાહેરાત કરી હતી. વર્ષ 2012માં અક્ષય કુમાર અને પરેશ રાવલની સુપરહિટ ફિલ્મ OMG એટલે કે ઓ માય ગોડ આવી હતી. તે વખતે ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. ત્યારે પહેલી ફિલ્મના આટલા વર્ષો બાદ OMG ફિલ્મની સિક્વલ અંગેની જાહેરાત થોડા સમય પહેલા અક્ષય કુમારે કરી હતી. ઓએમજી ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં દેખાયા હતા ત્યારે આ ફિલ્મમાં તે મહાદેવના રૂપમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે ફિલ્મનું બીજુ પોસ્ટર રિલીઝ થયું છે.

ભગવાન શંકરનો રોલ નિભાવશે અક્ષય કુમાર

બોલિવુડ એક્ટર અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મ ઓએમજી-2નું બીજુ પોસ્ટર રિલીઝ કર્યું છે. રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં અક્ષય કુમાર ભગવાન શંકરના રૂપમાં દેખાઈ રહ્યા છે. પોસ્ટરમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ લખવામાં આવી છે. 11 ઓગસ્ટના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં બહાર પડવાની છે. ટીઝર પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટર શેર કરતા અભિનેતાએ લખ્યું કે "બસ થોડા જ દિવસોમાં. ઓહ માય ગોડ 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે. ટીઝર પણ જલ્દી રિલીઝ થશે'.     

11 ઓગસ્ટના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

આની પહેલા પણ એક પોસ્ટર શેર કરી સિક્વલ વિશે જાણકારી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરતા તેમણે લખ્યું હતું કે અમે આવી રહ્યા છીએ, તમે પણ આવજો, 11 ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી જોવા મળવાના છે. આની પહેલા જે ઓએમજી હતી તેમાં પરેશ રાવલ અને અક્ષય કુમારની જોડીએ લોકોનું દિલ જીતી લીધું હતું. ત્યારે આજે બીજું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર ઓએમજી-2 ટ્રેન્ડમાં જોવા મળ્યું હતું.      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી