ગૂગલે હોલિવુડના સૌથી ખતરનાક વિલન એલન રિકમેનને યાદ કર્યા, ડૂડલ બનાવી આપી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-04-30 16:27:26

દિવંગત હોલિવુડ અભિનેતા એલન રિકમેનને શ્રદ્ધાંજલિ આપતા ગૂગલે તેમના માટે ખાસ ડૂડલ તૈયાર કર્યું છે. હેરી પોટર સીરીઝમાં પ્રો. સેવેરસ સ્નેપની ભૂમિકા ભજવનાર હોલિવૂડ અભિનેતા એલન રિકમેનને ગૂગલે ખાસ અવસર પર ડૂડલને શણગાર્યું છે. વાસ્તવમાં, એલન રિકમેનને બ્રોડવે નાટક 'લેસ લાયસન્સ ડેન્જરસ'માં તેના શ્રેષ્ઠ અભિનય માટે યાદ કરવામાં આવે છે અને તેને 36 વર્ષ પૂર્ણ થવા પર ગૂગલે એક અદ્ભુત ડૂડલ બનાવ્યું છે.


સુંદર ડુડલ તૈયાર કર્યું


બ્રોડવે પ્રોડક્શનના 'Les Liaisons Dangereuses'માં તેમના  શાનદાર કિરદાર  Vicomte de Valmontએ  માટે ગુગલે એક સુંદર ડુડલ તૈયાર કર્યું છે. એવું કહેવાય છે કે આ ભૂમિકા અભિનેતા માટે તેની કારકિર્દીને સફળ બનાવવામાં ઘણી મદદગાર સાબિત થઈ હતી.


માત્ર એક્ટર જ નહીં પણ ચિત્રકાર પણ હતા


એલન રિકમેન વિશે મજાની વાત એ છે કે એલન રિકમેન માત્ર એક્ટર જ નહીં પણ એક ચિત્રકાર પણ હતા. રિકમેનના વખાણમાં ડૂડલ સાથે લખવામાં આવ્યું છે કે, 'આજનું ડૂડલ હોલીવુડ અભિનેતા એલન રિકમેન માટે છે. ઘેઘુર અને મનમોહક અવાજ અને અનંત આકર્ષણ સાથે, તેઓ હેરી પોટર અને ડાઇ હાર્ડ જેવી ફિલ્મોમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા છે.


મળી ચુક્યો છે એમી અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ


રિકમેનને 'રોબિન હૂડઃ પ્રિન્સ ઓફ થીવ્સ' જેવી ફિલ્મોમાં એક સમાન ભૂમિકાઓ ભજવી હતી. તેમણે "સેન્સ એન્ડ સેન્સિબિલિટી" (1995) અને "રાસપુટિન: ડાર્ક સર્વન્ટ ઓફ ડેસ્ટિની" (1996) ઉપરાંત 1990 ના દાયકામાં તેમના શાનદાર અભિનય માટે તેમને એમી અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.