ગૂગલે હોલિવુડના સૌથી ખતરનાક વિલન એલન રિકમેનને યાદ કર્યા, ડૂડલ બનાવી આપી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-04-30 16:27:26

દિવંગત હોલિવુડ અભિનેતા એલન રિકમેનને શ્રદ્ધાંજલિ આપતા ગૂગલે તેમના માટે ખાસ ડૂડલ તૈયાર કર્યું છે. હેરી પોટર સીરીઝમાં પ્રો. સેવેરસ સ્નેપની ભૂમિકા ભજવનાર હોલિવૂડ અભિનેતા એલન રિકમેનને ગૂગલે ખાસ અવસર પર ડૂડલને શણગાર્યું છે. વાસ્તવમાં, એલન રિકમેનને બ્રોડવે નાટક 'લેસ લાયસન્સ ડેન્જરસ'માં તેના શ્રેષ્ઠ અભિનય માટે યાદ કરવામાં આવે છે અને તેને 36 વર્ષ પૂર્ણ થવા પર ગૂગલે એક અદ્ભુત ડૂડલ બનાવ્યું છે.


સુંદર ડુડલ તૈયાર કર્યું


બ્રોડવે પ્રોડક્શનના 'Les Liaisons Dangereuses'માં તેમના  શાનદાર કિરદાર  Vicomte de Valmontએ  માટે ગુગલે એક સુંદર ડુડલ તૈયાર કર્યું છે. એવું કહેવાય છે કે આ ભૂમિકા અભિનેતા માટે તેની કારકિર્દીને સફળ બનાવવામાં ઘણી મદદગાર સાબિત થઈ હતી.


માત્ર એક્ટર જ નહીં પણ ચિત્રકાર પણ હતા


એલન રિકમેન વિશે મજાની વાત એ છે કે એલન રિકમેન માત્ર એક્ટર જ નહીં પણ એક ચિત્રકાર પણ હતા. રિકમેનના વખાણમાં ડૂડલ સાથે લખવામાં આવ્યું છે કે, 'આજનું ડૂડલ હોલીવુડ અભિનેતા એલન રિકમેન માટે છે. ઘેઘુર અને મનમોહક અવાજ અને અનંત આકર્ષણ સાથે, તેઓ હેરી પોટર અને ડાઇ હાર્ડ જેવી ફિલ્મોમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા છે.


મળી ચુક્યો છે એમી અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ


રિકમેનને 'રોબિન હૂડઃ પ્રિન્સ ઓફ થીવ્સ' જેવી ફિલ્મોમાં એક સમાન ભૂમિકાઓ ભજવી હતી. તેમણે "સેન્સ એન્ડ સેન્સિબિલિટી" (1995) અને "રાસપુટિન: ડાર્ક સર્વન્ટ ઓફ ડેસ્ટિની" (1996) ઉપરાંત 1990 ના દાયકામાં તેમના શાનદાર અભિનય માટે તેમને એમી અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.