ગૂગલે હોલિવુડના સૌથી ખતરનાક વિલન એલન રિકમેનને યાદ કર્યા, ડૂડલ બનાવી આપી શ્રદ્ધાંજલિ


  • Published By :
  • Published Date : 2023-04-30 16:27:26

દિવંગત હોલિવુડ અભિનેતા એલન રિકમેનને શ્રદ્ધાંજલિ આપતા ગૂગલે તેમના માટે ખાસ ડૂડલ તૈયાર કર્યું છે. હેરી પોટર સીરીઝમાં પ્રો. સેવેરસ સ્નેપની ભૂમિકા ભજવનાર હોલિવૂડ અભિનેતા એલન રિકમેનને ગૂગલે ખાસ અવસર પર ડૂડલને શણગાર્યું છે. વાસ્તવમાં, એલન રિકમેનને બ્રોડવે નાટક 'લેસ લાયસન્સ ડેન્જરસ'માં તેના શ્રેષ્ઠ અભિનય માટે યાદ કરવામાં આવે છે અને તેને 36 વર્ષ પૂર્ણ થવા પર ગૂગલે એક અદ્ભુત ડૂડલ બનાવ્યું છે.


સુંદર ડુડલ તૈયાર કર્યું


બ્રોડવે પ્રોડક્શનના 'Les Liaisons Dangereuses'માં તેમના  શાનદાર કિરદાર  Vicomte de Valmontએ  માટે ગુગલે એક સુંદર ડુડલ તૈયાર કર્યું છે. એવું કહેવાય છે કે આ ભૂમિકા અભિનેતા માટે તેની કારકિર્દીને સફળ બનાવવામાં ઘણી મદદગાર સાબિત થઈ હતી.


માત્ર એક્ટર જ નહીં પણ ચિત્રકાર પણ હતા


એલન રિકમેન વિશે મજાની વાત એ છે કે એલન રિકમેન માત્ર એક્ટર જ નહીં પણ એક ચિત્રકાર પણ હતા. રિકમેનના વખાણમાં ડૂડલ સાથે લખવામાં આવ્યું છે કે, 'આજનું ડૂડલ હોલીવુડ અભિનેતા એલન રિકમેન માટે છે. ઘેઘુર અને મનમોહક અવાજ અને અનંત આકર્ષણ સાથે, તેઓ હેરી પોટર અને ડાઇ હાર્ડ જેવી ફિલ્મોમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા છે.


મળી ચુક્યો છે એમી અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ


રિકમેનને 'રોબિન હૂડઃ પ્રિન્સ ઓફ થીવ્સ' જેવી ફિલ્મોમાં એક સમાન ભૂમિકાઓ ભજવી હતી. તેમણે "સેન્સ એન્ડ સેન્સિબિલિટી" (1995) અને "રાસપુટિન: ડાર્ક સર્વન્ટ ઓફ ડેસ્ટિની" (1996) ઉપરાંત 1990 ના દાયકામાં તેમના શાનદાર અભિનય માટે તેમને એમી અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?