અલી ફઝલે પોસ્ટ કરીને સાજિદ ખાનને બિગબોસ માંથી તરત હટાવી દેવા માગણી કરી ......


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:54:07


હમણાજ બિગ બોસનું નવું સીઝન આવ્યું આ વખતે સાજિદ ખાન જે બોલીવુડ ફિલ્મનાં મોટા ડિરેક્ટર છે તે પણ કન્ટેસ્ટન્ટ તરીકે બિગબોસમાં આવ્યા . ટીવી એક્ટ્રેસ અને બોલિવૂડ મહિલાઓએ દેશભરમાં વિરોધ જંગ શરૂ કર્યો છે. તમામે આરોપ કરતા કહ્યું હતું કે શો નાં  મેકર્સ #metoo ના આરોપીને આટલા મોટા પ્લેટફોર્મ માં સ્થાન કઈ રીતના આપી શકે. હવે એક્ટર અલી ફઝલ એ પણ આનો વિરોધ જાહેર કરતા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે .  



અલી ફઝલે એ શું પોસ્ટ કરી ? 


સોશિયલ મીડિયા ઉપર તાજીદ ખાનનો સળગતો ફોટો વાળુ પોસ્ટર એમાં એક યુક્તિનો હાથ લાઇટર થી તે પોસ્ટર સળગાવી રહ્યો છે તે ફોટા ઉપર આગ લાગેલી છે તેની નીચે #metoo લખીયું. આ ઊપરાંત પોસ્ટર પર '  સાજિદને શોમાંથી તરત જ બહાર કાઢો' એવું લખેલું હતું. 


શું છે સમગ્ર ઘટના ? 

2018માં સાજીદ ખાન પર 10 જેટલી મહિલાઓએ #metoo નો આરોપ કરી યૌન શોષણના આક્ષેપો લગાવ્યા હતા . કારણે જ ઇન્ડિયન ફિલ્મ એસોસિએશન સાજિદને એક વર્ષ માટે બેન કર્યા હતા. હવે સાજિદે બિગ બોસથી કમ બેક કર્યુ છે



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.