અલી ફઝલે પોસ્ટ કરીને સાજિદ ખાનને બિગબોસ માંથી તરત હટાવી દેવા માગણી કરી ......


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 19:54:07


હમણાજ બિગ બોસનું નવું સીઝન આવ્યું આ વખતે સાજિદ ખાન જે બોલીવુડ ફિલ્મનાં મોટા ડિરેક્ટર છે તે પણ કન્ટેસ્ટન્ટ તરીકે બિગબોસમાં આવ્યા . ટીવી એક્ટ્રેસ અને બોલિવૂડ મહિલાઓએ દેશભરમાં વિરોધ જંગ શરૂ કર્યો છે. તમામે આરોપ કરતા કહ્યું હતું કે શો નાં  મેકર્સ #metoo ના આરોપીને આટલા મોટા પ્લેટફોર્મ માં સ્થાન કઈ રીતના આપી શકે. હવે એક્ટર અલી ફઝલ એ પણ આનો વિરોધ જાહેર કરતા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે .  



અલી ફઝલે એ શું પોસ્ટ કરી ? 


સોશિયલ મીડિયા ઉપર તાજીદ ખાનનો સળગતો ફોટો વાળુ પોસ્ટર એમાં એક યુક્તિનો હાથ લાઇટર થી તે પોસ્ટર સળગાવી રહ્યો છે તે ફોટા ઉપર આગ લાગેલી છે તેની નીચે #metoo લખીયું. આ ઊપરાંત પોસ્ટર પર '  સાજિદને શોમાંથી તરત જ બહાર કાઢો' એવું લખેલું હતું. 


શું છે સમગ્ર ઘટના ? 

2018માં સાજીદ ખાન પર 10 જેટલી મહિલાઓએ #metoo નો આરોપ કરી યૌન શોષણના આક્ષેપો લગાવ્યા હતા . કારણે જ ઇન્ડિયન ફિલ્મ એસોસિએશન સાજિદને એક વર્ષ માટે બેન કર્યા હતા. હવે સાજિદે બિગ બોસથી કમ બેક કર્યુ છે



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.