ગુજરાતની આ બેઠક પર સૌની નજર,ગુજરાતને આપ્યા બે મુખ્યપ્રધાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-26 16:30:33

ઘાટલોડિયા વિધાનસભા બેઠક કે જેમણે ગુજરાતને આપ્યા બે મુખ્યપ્રધાન, જાણો શું છે આ બેઠકની વિશેષતા

ભાજપ-કોંગ્રેસ અને આપની નજર આ વખતે એક બેઠક પર ખાસ રહેશે એ બેઠક છે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક..અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક એ સામાન્ય બેઠકો કરતા અલગ છે. કારણકે, આ બેઠક એ સત્તા સાથે સીધો સંબંધ ધરાવે છે. ભાજપના ગઢ સમાન આ બેઠક પર જીત મેળવવી ભાજપ માટે જાણે રમતની વાત છે જ્યારે કોંગ્રેસ માટે કપરા ચઢાણ બીજી એક ખાસ બાબત એ છે કે આ બેઠકને સરકાર સાથે ખાસ સંબંધ છે. આ બેઠકથી જાણે ગુજરાતના નવા મુખ્યમંત્રી પદનો રસ્તો સીધો ખુલી જાય છે. આ બેઠકે ગુજરાતને બે મુખ્યપ્રધાન આપ્યા છે.

ઘાટલોડિયા બેઠક અમદાવાદના શહેરી વિસ્તારની બેઠકમાં આવે છે. આ બેઠક ભાજપની બેઠક તરીકે ઓળખાય છે. આ બેઠકનું સીમાંકન એવી રીતે કરવામાં આવ્યું છે કે અહીં એક પણ મુસ્લિમ મતદાર નથી. આ બેઠકમાં પણ એવું માનવામાં આવે છે કે અહીં વ્યક્તિગત નહીં પણ પક્ષ મહત્ત્વનો છે. જો ભાજપ અહીંથી કોઈને પણ ટિકિટ આપે તો તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે.

 
જ્ઞાતિનું ગણિતઃ

અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પાટીદાર અને રબારીનો પ્રભુત્વ ધરાવતા વિસ્તાર તરીકે ઓળખાય છે. ઘાટલોડિયા બેઠકમાં 3.74 લાખ મતદારો છે. અહીં પાટીદાર મતદારોની સંખ્યા 70થી 78 હજાર માનવામાં આવે છે તો રબારી-માલધારી સમાજના 40 હજારથી વધુ મતદારો છે. આ સિવાય ઠાકોર, દલિત અને અન્ય સમાજની વસ્તી પણ નિર્ણાયક છે. ઘાટલોડિયા વિસ્તારમાં 53 ટકા પુરુષો અને 47 ટકા મહિલાઓ છે.

 

ઘાટલોડિયા વિધાનસભાનો ચૂંટણીનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ    જીતનાર ઉમેદવાર    પક્ષ
2012    આનંદીબેન પટેલ    ભાજપ
2017    ભૂપેન્દ્ર પટેલ    ભાજપ

 

2012ની ચૂંટણીમાં આનંદીબેન પટેલની સામે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા રમેશભાઈ પટેલને માત્ર 44 હજાર મત મળ્યા હતા. જ્યારે આનંદીબેન પટેલને 1 લાખ 54 હજાર મત મળ્યા હતા. તે જ સમયે, 2017 ઘાટલોડિયા બેઠક પર, પાટીદાર આંદોલન છતાં, કોંગ્રેસના શશિકાંત પટેલને અહીં 57902 મત મળ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલને 1 લાખ 75 હજાર મત મળ્યા હતા.

 

 

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.