અમરનાથ બાબાની કરવામાં આવી પૂજા! જમ્મુ કાશ્મીરના LGએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીધો આરતીમાં ભાગ, આવતા મહિનાથી થશે યાત્રાનો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-06-03 19:26:21

થોડા સમય પહેલા અમરનાથ શિવલીંગના ફોટો સામે આવ્યા હતા.જમ્મુ કાશ્મીર સ્થિત અમરનાથના દર્શને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે અમરનાથ યાત્રાના રશ્મીનો પ્રારંભ થયો છે. જમ્મુ કશ્મિરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પહેલી પૂજાનો લ્હાવો લીધો હતો. મહત્વનું છે કે ગયા વર્ષે 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો 


17 એપ્રિલથી શરૂ થયું હતું રજિસ્ટ્રેશન!

પહેલી જૂલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવાનો છે. યાત્રા શરૂ થવાને એક મહિનાની વાર છે. 31 ઓગસ્ટ સુધી યાત્રા ચાલશે અને મોટી સંખ્યામાં ભક્તો આ વખતે પણ દર્શનનો લાભ લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 17 એપ્રિલથી અમરનાથ યાત્રાને લઈ રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું હતું. ઓનલાઈન અને ઓફલાઈન બંને રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું. દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે 15 જૂન સુધીમાં રસ્તા પરથી બરફ હટાવી લેવામાં આવશે. 


આરતીનું કરવામાં આવશે લાઈવ પ્રસારણ!

અમરનાથ યાત્રાના પ્રારંભમાં ભલે એક મહિનો બાકી હોય પરંતુ યાત્રાને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર બાબા અમરનાથના અનેક ફોટા વયારલ થયા હતા. તસવીરોમાં જોવા મળે છે કે આ વખતે હિમલીંગ પૂર્ણ આકારમાં બનેલું છે. સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી રહી છે. દેશભરના લોકો બાબાના દર્શન કરી શકે તે માટે સવારે અને સાંજે આરતી લાઈવ બતાવવામાં આવશે. ઓનલાઈન મળતી સેવાનો લાભ શ્રદ્ધાળુઓ લઈ શકે છે. મહત્વનું છે કે બોર્ડર રોડના ડાયરેક્ટર જનરલે બાલતાલ અને ચંદનવાડીની મુલાકાતે ગયા હતા.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.