અમરનાથ બાબાની કરવામાં આવી પૂજા! જમ્મુ કાશ્મીરના LGએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીધો આરતીમાં ભાગ, આવતા મહિનાથી થશે યાત્રાનો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-06-03 19:26:21

થોડા સમય પહેલા અમરનાથ શિવલીંગના ફોટો સામે આવ્યા હતા.જમ્મુ કાશ્મીર સ્થિત અમરનાથના દર્શને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે અમરનાથ યાત્રાના રશ્મીનો પ્રારંભ થયો છે. જમ્મુ કશ્મિરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પહેલી પૂજાનો લ્હાવો લીધો હતો. મહત્વનું છે કે ગયા વર્ષે 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો 


17 એપ્રિલથી શરૂ થયું હતું રજિસ્ટ્રેશન!

પહેલી જૂલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવાનો છે. યાત્રા શરૂ થવાને એક મહિનાની વાર છે. 31 ઓગસ્ટ સુધી યાત્રા ચાલશે અને મોટી સંખ્યામાં ભક્તો આ વખતે પણ દર્શનનો લાભ લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 17 એપ્રિલથી અમરનાથ યાત્રાને લઈ રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું હતું. ઓનલાઈન અને ઓફલાઈન બંને રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું. દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે 15 જૂન સુધીમાં રસ્તા પરથી બરફ હટાવી લેવામાં આવશે. 


આરતીનું કરવામાં આવશે લાઈવ પ્રસારણ!

અમરનાથ યાત્રાના પ્રારંભમાં ભલે એક મહિનો બાકી હોય પરંતુ યાત્રાને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર બાબા અમરનાથના અનેક ફોટા વયારલ થયા હતા. તસવીરોમાં જોવા મળે છે કે આ વખતે હિમલીંગ પૂર્ણ આકારમાં બનેલું છે. સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી રહી છે. દેશભરના લોકો બાબાના દર્શન કરી શકે તે માટે સવારે અને સાંજે આરતી લાઈવ બતાવવામાં આવશે. ઓનલાઈન મળતી સેવાનો લાભ શ્રદ્ધાળુઓ લઈ શકે છે. મહત્વનું છે કે બોર્ડર રોડના ડાયરેક્ટર જનરલે બાલતાલ અને ચંદનવાડીની મુલાકાતે ગયા હતા.     



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.