અમરનાથ બાબાની કરવામાં આવી પૂજા! જમ્મુ કાશ્મીરના LGએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીધો આરતીમાં ભાગ, આવતા મહિનાથી થશે યાત્રાનો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-06-03 19:26:21

થોડા સમય પહેલા અમરનાથ શિવલીંગના ફોટો સામે આવ્યા હતા.જમ્મુ કાશ્મીર સ્થિત અમરનાથના દર્શને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે અમરનાથ યાત્રાના રશ્મીનો પ્રારંભ થયો છે. જમ્મુ કશ્મિરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પહેલી પૂજાનો લ્હાવો લીધો હતો. મહત્વનું છે કે ગયા વર્ષે 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો 


17 એપ્રિલથી શરૂ થયું હતું રજિસ્ટ્રેશન!

પહેલી જૂલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવાનો છે. યાત્રા શરૂ થવાને એક મહિનાની વાર છે. 31 ઓગસ્ટ સુધી યાત્રા ચાલશે અને મોટી સંખ્યામાં ભક્તો આ વખતે પણ દર્શનનો લાભ લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 17 એપ્રિલથી અમરનાથ યાત્રાને લઈ રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું હતું. ઓનલાઈન અને ઓફલાઈન બંને રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું. દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે 15 જૂન સુધીમાં રસ્તા પરથી બરફ હટાવી લેવામાં આવશે. 


આરતીનું કરવામાં આવશે લાઈવ પ્રસારણ!

અમરનાથ યાત્રાના પ્રારંભમાં ભલે એક મહિનો બાકી હોય પરંતુ યાત્રાને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર બાબા અમરનાથના અનેક ફોટા વયારલ થયા હતા. તસવીરોમાં જોવા મળે છે કે આ વખતે હિમલીંગ પૂર્ણ આકારમાં બનેલું છે. સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી રહી છે. દેશભરના લોકો બાબાના દર્શન કરી શકે તે માટે સવારે અને સાંજે આરતી લાઈવ બતાવવામાં આવશે. ઓનલાઈન મળતી સેવાનો લાભ શ્રદ્ધાળુઓ લઈ શકે છે. મહત્વનું છે કે બોર્ડર રોડના ડાયરેક્ટર જનરલે બાલતાલ અને ચંદનવાડીની મુલાકાતે ગયા હતા.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.