અમરનાથ બાબાની કરવામાં આવી પૂજા! જમ્મુ કાશ્મીરના LGએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીધો આરતીમાં ભાગ, આવતા મહિનાથી થશે યાત્રાનો પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-06-03 19:26:21

થોડા સમય પહેલા અમરનાથ શિવલીંગના ફોટો સામે આવ્યા હતા.જમ્મુ કાશ્મીર સ્થિત અમરનાથના દર્શને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે અમરનાથ યાત્રાના રશ્મીનો પ્રારંભ થયો છે. જમ્મુ કશ્મિરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પહેલી પૂજાનો લ્હાવો લીધો હતો. મહત્વનું છે કે ગયા વર્ષે 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો 


17 એપ્રિલથી શરૂ થયું હતું રજિસ્ટ્રેશન!

પહેલી જૂલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવાનો છે. યાત્રા શરૂ થવાને એક મહિનાની વાર છે. 31 ઓગસ્ટ સુધી યાત્રા ચાલશે અને મોટી સંખ્યામાં ભક્તો આ વખતે પણ દર્શનનો લાભ લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 17 એપ્રિલથી અમરનાથ યાત્રાને લઈ રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું હતું. ઓનલાઈન અને ઓફલાઈન બંને રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું. દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે 15 જૂન સુધીમાં રસ્તા પરથી બરફ હટાવી લેવામાં આવશે. 


આરતીનું કરવામાં આવશે લાઈવ પ્રસારણ!

અમરનાથ યાત્રાના પ્રારંભમાં ભલે એક મહિનો બાકી હોય પરંતુ યાત્રાને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર બાબા અમરનાથના અનેક ફોટા વયારલ થયા હતા. તસવીરોમાં જોવા મળે છે કે આ વખતે હિમલીંગ પૂર્ણ આકારમાં બનેલું છે. સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી રહી છે. દેશભરના લોકો બાબાના દર્શન કરી શકે તે માટે સવારે અને સાંજે આરતી લાઈવ બતાવવામાં આવશે. ઓનલાઈન મળતી સેવાનો લાભ શ્રદ્ધાળુઓ લઈ શકે છે. મહત્વનું છે કે બોર્ડર રોડના ડાયરેક્ટર જનરલે બાલતાલ અને ચંદનવાડીની મુલાકાતે ગયા હતા.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.