વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન કરશે 18 હજારથી વધુ કર્મચારીઓની છટણી


  • Published By :
  • Published Date : 2023-01-05 12:55:44

2023નું નવું વર્ષ સમગ્ર વિશ્વ માટે પડકારજનક બની રહેશે તેવું દુનિયાભરના અર્થશાસ્ત્રિઓનું અનુમાન છે. વિશ્વના અનેક દેશો ભયાનક મંદીની ઝપેટમાં આવી  જશે તથા અગ્રણી કંપનીઓ પણ નાદારીની સ્થિતીમાં મુકાશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. આ સ્થિતીમાં અમેરિકા અને  યુરોપની જાયન્ટ કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે છટણીનો રસ્તો અપનાવ્યો છે. એમેઝોને તેના 18 હજારથી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે.


એમેઝોન કરશે 18 હજાર કર્મચારીઓની છટણી


વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન તેના  18 હજારથી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. અમેઝોનના સીઈઓ એન્ડી જેસ્સીએ બુધવારે સ્ટાફને મોકલેલા મેમોમાં કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. 


શા માટે કર્મચારીઓની છટણી?


વિશ્વની અન્ય ટેક કંપનીઓની જેમ એમેઝોન પણ આર્થિક મંદીનો સામનો કરી રહી છે. બીજી તરફ સિલિકોન વેલીની અન્ય સ્પર્ધક કંપનીઓની  તુલનામાં એમેઝોનમાં સ્ટાફની સંખ્યા વધુ છે. ગત સપ્ટેમ્બરથી અંત સુધી કર્મચારીઓની સંખ્યા 15 લાખથી વધુ હતી. આ રીતે એમેઝોન તેના વર્કફોર્સની તુલનામાં લગભગ 1 ટકા છે.


ઈ-કોમર્સ કંપનીમાં સૌથી મોટી છટણી હશે? 


એમેઝોન અગે થોડા સમય પહેલા જાહેર થયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. પરંતુ આ વખતે જે આંકડો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. 18,000 કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવવી પડી શકે છે, એટલે કે કંપની 70 ટકા નોકરીઓ કાપવાની યોજના બનાવી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કેટલીક વધારાની છટણી પણ કરવામાં આવશે જેમાં એમેઝોન કોર્પોરેટ રેન્કના લોકો સામેલ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે. એવું માનવામા આવી રહ્યું છે કે એમેઝોનની આ છટણી કોઈ પણ ઈ-કોમર્સ કંપનીમાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે. 


એમેઝોનનો શેર 2 ટકા વધ્યો


એમેઝોને કર્મચારીઓની છટણીની જાહેરાત કરતા  જ ઈન્વેસ્ટર્સએ કંપનીના આ પગલાને વધાવી લીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા આ સમાચાર બહાર આવ્યા બાદ તરત જ શેર લગભગ 2 ટકા મજબુત થયો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.