વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન કરશે 18 હજારથી વધુ કર્મચારીઓની છટણી


  • Published By :
  • Published Date : 2023-01-05 12:55:44

2023નું નવું વર્ષ સમગ્ર વિશ્વ માટે પડકારજનક બની રહેશે તેવું દુનિયાભરના અર્થશાસ્ત્રિઓનું અનુમાન છે. વિશ્વના અનેક દેશો ભયાનક મંદીની ઝપેટમાં આવી  જશે તથા અગ્રણી કંપનીઓ પણ નાદારીની સ્થિતીમાં મુકાશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. આ સ્થિતીમાં અમેરિકા અને  યુરોપની જાયન્ટ કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે છટણીનો રસ્તો અપનાવ્યો છે. એમેઝોને તેના 18 હજારથી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે.


એમેઝોન કરશે 18 હજાર કર્મચારીઓની છટણી


વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન તેના  18 હજારથી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. અમેઝોનના સીઈઓ એન્ડી જેસ્સીએ બુધવારે સ્ટાફને મોકલેલા મેમોમાં કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. 


શા માટે કર્મચારીઓની છટણી?


વિશ્વની અન્ય ટેક કંપનીઓની જેમ એમેઝોન પણ આર્થિક મંદીનો સામનો કરી રહી છે. બીજી તરફ સિલિકોન વેલીની અન્ય સ્પર્ધક કંપનીઓની  તુલનામાં એમેઝોનમાં સ્ટાફની સંખ્યા વધુ છે. ગત સપ્ટેમ્બરથી અંત સુધી કર્મચારીઓની સંખ્યા 15 લાખથી વધુ હતી. આ રીતે એમેઝોન તેના વર્કફોર્સની તુલનામાં લગભગ 1 ટકા છે.


ઈ-કોમર્સ કંપનીમાં સૌથી મોટી છટણી હશે? 


એમેઝોન અગે થોડા સમય પહેલા જાહેર થયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. પરંતુ આ વખતે જે આંકડો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. 18,000 કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવવી પડી શકે છે, એટલે કે કંપની 70 ટકા નોકરીઓ કાપવાની યોજના બનાવી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કેટલીક વધારાની છટણી પણ કરવામાં આવશે જેમાં એમેઝોન કોર્પોરેટ રેન્કના લોકો સામેલ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે. એવું માનવામા આવી રહ્યું છે કે એમેઝોનની આ છટણી કોઈ પણ ઈ-કોમર્સ કંપનીમાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે. 


એમેઝોનનો શેર 2 ટકા વધ્યો


એમેઝોને કર્મચારીઓની છટણીની જાહેરાત કરતા  જ ઈન્વેસ્ટર્સએ કંપનીના આ પગલાને વધાવી લીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા આ સમાચાર બહાર આવ્યા બાદ તરત જ શેર લગભગ 2 ટકા મજબુત થયો હતો.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.