વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન કરશે 18 હજારથી વધુ કર્મચારીઓની છટણી


  • Published By :
  • Published Date : 2023-01-05 12:55:44

2023નું નવું વર્ષ સમગ્ર વિશ્વ માટે પડકારજનક બની રહેશે તેવું દુનિયાભરના અર્થશાસ્ત્રિઓનું અનુમાન છે. વિશ્વના અનેક દેશો ભયાનક મંદીની ઝપેટમાં આવી  જશે તથા અગ્રણી કંપનીઓ પણ નાદારીની સ્થિતીમાં મુકાશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે. આ સ્થિતીમાં અમેરિકા અને  યુરોપની જાયન્ટ કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે છટણીનો રસ્તો અપનાવ્યો છે. એમેઝોને તેના 18 હજારથી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે.


એમેઝોન કરશે 18 હજાર કર્મચારીઓની છટણી


વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન તેના  18 હજારથી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. અમેઝોનના સીઈઓ એન્ડી જેસ્સીએ બુધવારે સ્ટાફને મોકલેલા મેમોમાં કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. 


શા માટે કર્મચારીઓની છટણી?


વિશ્વની અન્ય ટેક કંપનીઓની જેમ એમેઝોન પણ આર્થિક મંદીનો સામનો કરી રહી છે. બીજી તરફ સિલિકોન વેલીની અન્ય સ્પર્ધક કંપનીઓની  તુલનામાં એમેઝોનમાં સ્ટાફની સંખ્યા વધુ છે. ગત સપ્ટેમ્બરથી અંત સુધી કર્મચારીઓની સંખ્યા 15 લાખથી વધુ હતી. આ રીતે એમેઝોન તેના વર્કફોર્સની તુલનામાં લગભગ 1 ટકા છે.


ઈ-કોમર્સ કંપનીમાં સૌથી મોટી છટણી હશે? 


એમેઝોન અગે થોડા સમય પહેલા જાહેર થયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે. પરંતુ આ વખતે જે આંકડો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. 18,000 કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવવી પડી શકે છે, એટલે કે કંપની 70 ટકા નોકરીઓ કાપવાની યોજના બનાવી રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ કેટલીક વધારાની છટણી પણ કરવામાં આવશે જેમાં એમેઝોન કોર્પોરેટ રેન્કના લોકો સામેલ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે. એવું માનવામા આવી રહ્યું છે કે એમેઝોનની આ છટણી કોઈ પણ ઈ-કોમર્સ કંપનીમાં અત્યાર સુધીની સૌથી મોટી છટણી હશે. 


એમેઝોનનો શેર 2 ટકા વધ્યો


એમેઝોને કર્મચારીઓની છટણીની જાહેરાત કરતા  જ ઈન્વેસ્ટર્સએ કંપનીના આ પગલાને વધાવી લીધું છે. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા આ સમાચાર બહાર આવ્યા બાદ તરત જ શેર લગભગ 2 ટકા મજબુત થયો હતો.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.