Ambaji : 51 શક્તિપીઠ પરિક્રમાનો ગુજરાતના મંત્રીમંડળે લીધો લાભ, મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ભક્તિમાં થયા લીન!, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-16 11:48:29

શક્તિપીઠ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લાખો માઈ ભક્તો પરિક્રમા કરવા માટે શક્તિપીઠ જઈ રહ્યા છે. અંબાજી મંદિર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ તેમજ ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા. ભક્તિમાં લીન ધારાસભ્યો તેમજ મંત્રીઓ દેખાયા હતા. મંત્રીમંડળે મહાઆરતી પણ કરી હતી. 

સીએમ, વિધાનસભા અધ્યક્ષ સહિત ધારાસભ્યોએ લીધો પરિક્રમા મહોત્સવમાં ભાગ

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ યાત્રાઓ કાઢવામાં આવે છે. ત્યારે આજે જ્યોતયાત્રા, મશાલ યાત્રા તેમજ ત્રિશુળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. બુધવારના દિવસે ગુજરાતનું આખું મંત્રી મંડળ, વિધાનસભાના સભ્યો ગબ્બર દર્શન કરવા પહોંચ્યા હતા. વિવિધ પૂજા મંડપમાં વિવિધ ધારાસભ્યોએ પૂજા કરી હતી. આ યાત્રાની સુંદર તસવીરો નેતાઓએ શેર કરી છે. 


લાખો શ્રદ્ધાળુઓએ મા અંબા સમક્ષ શિશ નમાવ્યું

મુખ્યમંત્રી સહિત મંત્રી અને ધારાસભ્યો અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્યોએ જય અંબેના નારા લગાવ્યા અને માના દર્શન કર્યા. મહાઆરતીમાં પણ જોડાયા અને સાથે 330 પગથિયા ચઢીને માની પરિક્રમા પણ કરી અને એ દ્રશ્યો સુંદર હતા જ્યારે ગૃહરાજ્યમંત્રી,  વિધાનસભાના અધ્યક્ષ બધા ભજનો ગાતા હતા. આ બીજા વર્ષે અંબાજીમાં પરિક્રમાનું આયોજન થયું છે. મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અંબાજીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો છે અંબાજી ગબ્બર પર 4 કિમી થી વધુનો ગોળાર્ધ છે અને 400 સીડી પર અલગ અલગ જગ્યાએ 11 લાખ દીવડાઓ મૂક્યા છે. લાખો શ્રદ્ધાળુઓએ પરિક્રમા મહોત્સવમાં ભાગ લીધો છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.