Ambaji : 51 શક્તિપીઠ પરિક્રમાનો ગુજરાતના મંત્રીમંડળે લીધો લાભ, મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ભક્તિમાં થયા લીન!, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-16 11:48:29

શક્તિપીઠ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. લાખો માઈ ભક્તો પરિક્રમા કરવા માટે શક્તિપીઠ જઈ રહ્યા છે. અંબાજી મંદિર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ તેમજ ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા. ભક્તિમાં લીન ધારાસભ્યો તેમજ મંત્રીઓ દેખાયા હતા. મંત્રીમંડળે મહાઆરતી પણ કરી હતી. 

સીએમ, વિધાનસભા અધ્યક્ષ સહિત ધારાસભ્યોએ લીધો પરિક્રમા મહોત્સવમાં ભાગ

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ યાત્રાઓ કાઢવામાં આવે છે. ત્યારે આજે જ્યોતયાત્રા, મશાલ યાત્રા તેમજ ત્રિશુળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. બુધવારના દિવસે ગુજરાતનું આખું મંત્રી મંડળ, વિધાનસભાના સભ્યો ગબ્બર દર્શન કરવા પહોંચ્યા હતા. વિવિધ પૂજા મંડપમાં વિવિધ ધારાસભ્યોએ પૂજા કરી હતી. આ યાત્રાની સુંદર તસવીરો નેતાઓએ શેર કરી છે. 


લાખો શ્રદ્ધાળુઓએ મા અંબા સમક્ષ શિશ નમાવ્યું

મુખ્યમંત્રી સહિત મંત્રી અને ધારાસભ્યો અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્યોએ જય અંબેના નારા લગાવ્યા અને માના દર્શન કર્યા. મહાઆરતીમાં પણ જોડાયા અને સાથે 330 પગથિયા ચઢીને માની પરિક્રમા પણ કરી અને એ દ્રશ્યો સુંદર હતા જ્યારે ગૃહરાજ્યમંત્રી,  વિધાનસભાના અધ્યક્ષ બધા ભજનો ગાતા હતા. આ બીજા વર્ષે અંબાજીમાં પરિક્રમાનું આયોજન થયું છે. મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અંબાજીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો છે અંબાજી ગબ્બર પર 4 કિમી થી વધુનો ગોળાર્ધ છે અને 400 સીડી પર અલગ અલગ જગ્યાએ 11 લાખ દીવડાઓ મૂક્યા છે. લાખો શ્રદ્ધાળુઓએ પરિક્રમા મહોત્સવમાં ભાગ લીધો છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.