અંબાજી:આ બાળકોએ પીએમ મોદીને ગરબા સંભળાવ્યા:જુઓ વિડિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 10:50:31

પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે હતા જેમાં તે સુરત,ભાગવનર,અમદાવાદ,ગાંધીનગર,અંબાજી સહિત અનેક જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.અંબાજી ખાતે ભિક્ષુક બાળકો કે જેને શ્રી શક્તિ પરિવાર દ્વારા દતક લઈ શિક્ષા આપવામાં આવે છે એ બાળકોએ પીએમ મોદીને ગરબો સંભળાયો હતો.ભિખારીને રસ્તા પર જોઈને ચીતરી ચઢાવતા સમાજ એ નથી સમજતો કે આ બાળકો ને શોખ નથી હોતો આ કરવાનો, સંજોગોએ એમને ત્યાં પહોંચાડ્યા છે આપણે એમને સામાન્ય જીવન સુધી પહોંચાડવાના છે, જેમ કે અંબાજીના આ બાળકો જે ભિક્ષાવૃતિથી મુક્ત થઈને હવે દેશના પ્રધાનમંત્રી સામે ભજન ગાઈ રહ્યા છે જુઓ વિડિયો

વિધાનસભા 2022 ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓ ગુજરાત પ્રવાસે જોવા મળી રહ્યા છે ત્યારે પીએમ મોદી 29-30 સપ્ટેમ્બર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા જેમાં સુરત,ભાવનગર ખાતે રોડશો અને સભાસંબોધન કર્યું હતું.ત્યાર બાદ અમદાવાદ અનેક વિકાશલક્ષી કામોના લોકાર્પણ અને ખાખ મૂહરત કર્યા હતા.


બાળકોએ પોતાના સ્વરે પીએમ ને સુંદર ગરબો સંભળાવ્યો હતો 

ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે પીએમ અંબાજી પહોંચ્યા હતા જ્યાં પીએમએ મહા આરતીમાં ભાગ લીધો હતો ત્યાર બાદ જે ભિક્ષુક બાળકો હતા કે જેને શ્રી શક્તિ પરિવાર દ્વારા દતક લેવામાં આવ્યા છે અને શિક્ષા આપવામાં આવે છે એ બાળકોને પીએમ મળ્યા હતા અને એ બાળકોએ પોતાના સ્વરે પીએમ ને "હૈયામાં બાંધ્યો હિંચકો" ગરબો સંભળાવ્યો હતો.બાળકો જ્યારે ગરબો સાંભળવી રહ્યા હતા ત્યારે પીએમ મોદી પણ બાળકો સામે જોઈ પ્રભાવિત થઈ ગયા હતા 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.