અંબાજી:આ બાળકોએ પીએમ મોદીને ગરબા સંભળાવ્યા:જુઓ વિડિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 10:50:31

પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે હતા જેમાં તે સુરત,ભાગવનર,અમદાવાદ,ગાંધીનગર,અંબાજી સહિત અનેક જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.અંબાજી ખાતે ભિક્ષુક બાળકો કે જેને શ્રી શક્તિ પરિવાર દ્વારા દતક લઈ શિક્ષા આપવામાં આવે છે એ બાળકોએ પીએમ મોદીને ગરબો સંભળાયો હતો.ભિખારીને રસ્તા પર જોઈને ચીતરી ચઢાવતા સમાજ એ નથી સમજતો કે આ બાળકો ને શોખ નથી હોતો આ કરવાનો, સંજોગોએ એમને ત્યાં પહોંચાડ્યા છે આપણે એમને સામાન્ય જીવન સુધી પહોંચાડવાના છે, જેમ કે અંબાજીના આ બાળકો જે ભિક્ષાવૃતિથી મુક્ત થઈને હવે દેશના પ્રધાનમંત્રી સામે ભજન ગાઈ રહ્યા છે જુઓ વિડિયો

વિધાનસભા 2022 ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓ ગુજરાત પ્રવાસે જોવા મળી રહ્યા છે ત્યારે પીએમ મોદી 29-30 સપ્ટેમ્બર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા જેમાં સુરત,ભાવનગર ખાતે રોડશો અને સભાસંબોધન કર્યું હતું.ત્યાર બાદ અમદાવાદ અનેક વિકાશલક્ષી કામોના લોકાર્પણ અને ખાખ મૂહરત કર્યા હતા.


બાળકોએ પોતાના સ્વરે પીએમ ને સુંદર ગરબો સંભળાવ્યો હતો 

ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે પીએમ અંબાજી પહોંચ્યા હતા જ્યાં પીએમએ મહા આરતીમાં ભાગ લીધો હતો ત્યાર બાદ જે ભિક્ષુક બાળકો હતા કે જેને શ્રી શક્તિ પરિવાર દ્વારા દતક લેવામાં આવ્યા છે અને શિક્ષા આપવામાં આવે છે એ બાળકોને પીએમ મળ્યા હતા અને એ બાળકોએ પોતાના સ્વરે પીએમ ને "હૈયામાં બાંધ્યો હિંચકો" ગરબો સંભળાવ્યો હતો.બાળકો જ્યારે ગરબો સાંભળવી રહ્યા હતા ત્યારે પીએમ મોદી પણ બાળકો સામે જોઈ પ્રભાવિત થઈ ગયા હતા 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .