અંબાજી:આ બાળકોએ પીએમ મોદીને ગરબા સંભળાવ્યા:જુઓ વિડિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 10:50:31

પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે હતા જેમાં તે સુરત,ભાગવનર,અમદાવાદ,ગાંધીનગર,અંબાજી સહિત અનેક જિલ્લાની મુલાકાતે આવ્યા હતા.અંબાજી ખાતે ભિક્ષુક બાળકો કે જેને શ્રી શક્તિ પરિવાર દ્વારા દતક લઈ શિક્ષા આપવામાં આવે છે એ બાળકોએ પીએમ મોદીને ગરબો સંભળાયો હતો.ભિખારીને રસ્તા પર જોઈને ચીતરી ચઢાવતા સમાજ એ નથી સમજતો કે આ બાળકો ને શોખ નથી હોતો આ કરવાનો, સંજોગોએ એમને ત્યાં પહોંચાડ્યા છે આપણે એમને સામાન્ય જીવન સુધી પહોંચાડવાના છે, જેમ કે અંબાજીના આ બાળકો જે ભિક્ષાવૃતિથી મુક્ત થઈને હવે દેશના પ્રધાનમંત્રી સામે ભજન ગાઈ રહ્યા છે જુઓ વિડિયો

વિધાનસભા 2022 ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય નેતાઓ ગુજરાત પ્રવાસે જોવા મળી રહ્યા છે ત્યારે પીએમ મોદી 29-30 સપ્ટેમ્બર બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા જેમાં સુરત,ભાવનગર ખાતે રોડશો અને સભાસંબોધન કર્યું હતું.ત્યાર બાદ અમદાવાદ અનેક વિકાશલક્ષી કામોના લોકાર્પણ અને ખાખ મૂહરત કર્યા હતા.


બાળકોએ પોતાના સ્વરે પીએમ ને સુંદર ગરબો સંભળાવ્યો હતો 

ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે પીએમ અંબાજી પહોંચ્યા હતા જ્યાં પીએમએ મહા આરતીમાં ભાગ લીધો હતો ત્યાર બાદ જે ભિક્ષુક બાળકો હતા કે જેને શ્રી શક્તિ પરિવાર દ્વારા દતક લેવામાં આવ્યા છે અને શિક્ષા આપવામાં આવે છે એ બાળકોને પીએમ મળ્યા હતા અને એ બાળકોએ પોતાના સ્વરે પીએમ ને "હૈયામાં બાંધ્યો હિંચકો" ગરબો સંભળાવ્યો હતો.બાળકો જ્યારે ગરબો સાંભળવી રહ્યા હતા ત્યારે પીએમ મોદી પણ બાળકો સામે જોઈ પ્રભાવિત થઈ ગયા હતા 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.