અંબાણી પરિવારીને અપાશે Z+ સિક્યોરિટી, ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં સુરક્ષા આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-01 08:48:09

અંબાણી પરિવારને આપવામાં આવતી સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. એ અંતર્ગત ભારતમાં તેમજ વિદેશમાં અંબાણી પરિવારને Z+ સુરક્ષા આપવામાં આવશે જેનો ખર્ચ અંબાણી પરિવારને ઉઠાવવાનો રહેશે. અત્યાર સુધી આ ખર્ચ કેન્દ્રીય ગૃહમંત્રાલય ઉઠાવતું હતું પરંતુ હવેથી આ ખર્ચ અંબાણી પરિવાર પોતે ભોગવશે. Z+ કેટેગરીની સુરક્ષા આપવા માટે વ્યક્તિ દીઠ દર મહિને 40થી 45 લાખનો ખર્ચ થાય છે. Z+ લેવલની સિક્યોરિટી ઉપરાંત મુકેશ અંબાણીની પાસે લગભગ 15-20 પર્સનલ સિક્યોરિટી ગાર્ડ પણ છે.

 


ધમકી મળ્યા બાદ આપવામાં આવી હતી સુરક્ષા 

મુકેશ અંબાણીને 2013માં હિઝબુલ મુજાહિદ્દિન તરફથી ધમકીઓ મળી રહી જે બાદ મનમોહન સિંહ દ્વારા Z+ સુરક્ષા આપવામાં આવી હતી. ઉપરાંત નીતા અંબાણીને કેન્દ્ર સરકારે 2016માં Y+ સિક્યોરિટી આપી હતી. પરંતુ ગયા વર્ષે 29 જૂને ત્રિપુરા હાઈકોર્ટમાં વિકાસ સાહા નામના વ્યક્તિ દ્વારા મુકેશ અંબાણીની સુરક્ષાને લઈ પીઆઈએલ દાખલ કરી હતી. આના પર હાઈકોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો જેના આધારે અંબાણી અને તેમના પરિવારને સુરક્ષા આપવામાં આવી હતી. 


ત્રિપુરા કોર્ટમાં અંબાણી પરિવારને મળતી સુરક્ષાને લઈ કરાઈ હતી અરજી  

જે બાદ કેન્દ્ર સરાકરે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટમાં કહેવામાં આવ્યું કે એક પરિવારને આપવામાં આવેલી સુરક્ષા જાહેર હિતનો મુદ્દો નથી અને અંબાણીની સુરક્ષાને ત્રિપુરા હાઈકોર્ટના નિર્દેશો પર સુપ્રીમ કોર્ટે 22 જુલાઈના રોજ સ્ટે લગાવી દીધો હતો.  સુપ્રીમ કોર્ટે સરકારને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવતી સુરક્ષાને યથાવત રાખવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ત્રિપુરા હાઈકોર્ટનો તે આદેશ રદ્દ કરી દીધો હતો.  

 

પરિવાર જાતે ઉઠાવશે સુરક્ષાનો ખર્ચ 

જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ અહસાનુદ્દીન ખંડપીઠે જણાવ્યું હતું કે જ્યારે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભારતની અંદર હોય ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલયની છે, જ્યારે તેઓ વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે અંબાણી પરિવારની સુરક્ષા ગૃહમંત્રાલય સુનિશ્ચિત કરશે.  અત્યાર સુધી કેન્દ્રીય ગૃહમંત્રાલય તેમની સુરક્ષાને ખર્ચ ઉઠાવતું હતું પરંતુ હવેથી અંબાણી પરિવાર જાતે ખર્ચ ઉઠાવશે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.