અંબાણી પરિવારીને અપાશે Z+ સિક્યોરિટી, ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં સુરક્ષા આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-01 08:48:09

અંબાણી પરિવારને આપવામાં આવતી સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. એ અંતર્ગત ભારતમાં તેમજ વિદેશમાં અંબાણી પરિવારને Z+ સુરક્ષા આપવામાં આવશે જેનો ખર્ચ અંબાણી પરિવારને ઉઠાવવાનો રહેશે. અત્યાર સુધી આ ખર્ચ કેન્દ્રીય ગૃહમંત્રાલય ઉઠાવતું હતું પરંતુ હવેથી આ ખર્ચ અંબાણી પરિવાર પોતે ભોગવશે. Z+ કેટેગરીની સુરક્ષા આપવા માટે વ્યક્તિ દીઠ દર મહિને 40થી 45 લાખનો ખર્ચ થાય છે. Z+ લેવલની સિક્યોરિટી ઉપરાંત મુકેશ અંબાણીની પાસે લગભગ 15-20 પર્સનલ સિક્યોરિટી ગાર્ડ પણ છે.

 


ધમકી મળ્યા બાદ આપવામાં આવી હતી સુરક્ષા 

મુકેશ અંબાણીને 2013માં હિઝબુલ મુજાહિદ્દિન તરફથી ધમકીઓ મળી રહી જે બાદ મનમોહન સિંહ દ્વારા Z+ સુરક્ષા આપવામાં આવી હતી. ઉપરાંત નીતા અંબાણીને કેન્દ્ર સરકારે 2016માં Y+ સિક્યોરિટી આપી હતી. પરંતુ ગયા વર્ષે 29 જૂને ત્રિપુરા હાઈકોર્ટમાં વિકાસ સાહા નામના વ્યક્તિ દ્વારા મુકેશ અંબાણીની સુરક્ષાને લઈ પીઆઈએલ દાખલ કરી હતી. આના પર હાઈકોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો જેના આધારે અંબાણી અને તેમના પરિવારને સુરક્ષા આપવામાં આવી હતી. 


ત્રિપુરા કોર્ટમાં અંબાણી પરિવારને મળતી સુરક્ષાને લઈ કરાઈ હતી અરજી  

જે બાદ કેન્દ્ર સરાકરે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટમાં કહેવામાં આવ્યું કે એક પરિવારને આપવામાં આવેલી સુરક્ષા જાહેર હિતનો મુદ્દો નથી અને અંબાણીની સુરક્ષાને ત્રિપુરા હાઈકોર્ટના નિર્દેશો પર સુપ્રીમ કોર્ટે 22 જુલાઈના રોજ સ્ટે લગાવી દીધો હતો.  સુપ્રીમ કોર્ટે સરકારને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવતી સુરક્ષાને યથાવત રાખવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ત્રિપુરા હાઈકોર્ટનો તે આદેશ રદ્દ કરી દીધો હતો.  

 

પરિવાર જાતે ઉઠાવશે સુરક્ષાનો ખર્ચ 

જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ અહસાનુદ્દીન ખંડપીઠે જણાવ્યું હતું કે જ્યારે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભારતની અંદર હોય ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલયની છે, જ્યારે તેઓ વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે અંબાણી પરિવારની સુરક્ષા ગૃહમંત્રાલય સુનિશ્ચિત કરશે.  અત્યાર સુધી કેન્દ્રીય ગૃહમંત્રાલય તેમની સુરક્ષાને ખર્ચ ઉઠાવતું હતું પરંતુ હવેથી અંબાણી પરિવાર જાતે ખર્ચ ઉઠાવશે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.