Ambarish Der BJPમાં તો જોડાઈ ગયાં પણ હવે એમનું ભવિષ્ય શું? કેમ અમરેલીથી ટિકિટ ના મળી? સમજો સમીકરણો..


  • Published By :
  • Published Date : 2024-03-26 16:34:08

નેતા જ્યારે પક્ષપલટો કરતા હોય છે ત્યારે આપણે માનતા હોઈએ છીએ કે કોઈ સત્તાની લાલચ હશે, કોઈ પદની લાલચ આપવામાં આવી હશે જેને કારણે તે પાર્ટીમાં જોડાયા છે. પરંતુ અનેક નેતાઓને પક્ષપલટો કર્યા બાદ પણ કોઈ પદ કે ઉમેદવારી ના આપવામાં આવે તો? એક નેતા જેમની માટે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે રૂમાલ રાખ્યો હતો એ નેતા હવે ભાજપમાં તો જોડાય ગયા પણ આ વખતે સી.આર.પાટીલે જે જગ્યા બચાઈને રાખી હતી ત્યાં એમનો મેળ ન પડ્યો હું વાત અમરીશની ડેરની કરી રહી છું જેમને કેસરિયા તો કર્યા પણ હવે અમરીશ ડેરનું શું? 

અંબરીષ ડેર જોડાયા ભાજપમાં પરંતુ..

2022ની ચૂંટણી બાકી હતી ત્યારે સી આર પાટિલે જાહેર સભામાં કહી દીધું કે અમરીશભાઈના માટે મે બસમાં રૂમાલ રાખ્યો છે અને જાહેરમાં અમરીશ ડેરને એમણે આમંત્રણ આપ્યું હતું અને જો ત્યારે એ ભાજપમાં જોડાઈ ગયા હોત તો તેમને રાજુલાથી ટિકિટ મળતી પણ એ વખતે અમરીશ ડેરે પ્રશ્ન કર્યો હતો કે હું આવી જાવ તો અત્યારે જે ભાજપના ધારાસભ્ય જે છે એમનું શું? ત્યારે ભાજપ પાસે તોડ હતો કે અત્યારના ધારાસભ્યને સમજાવીને બીજે સેટ કરી દઈશું પણ છતાં અમરીશ ડેર ભાજપમાં ના જોડાયા અને એ ચૂંટણી પણ હાર્યા પણ હમણાં અંબરીશ ડેર ભાજપમાં જોડાયા..


જાફરાબાદમાં કાર્યકર્તાઓએ ફોડ્યા હતા ફટાકડા

ત્યારે એવું કહેવાતું કે એ સી.આર.પાટીલ સાથે અમરીશ ડેરના સારા સંબંધો છે એટલે સી.આર.પાટીલ સમીકરણો બદલીને હીરા સોલંકીને ભાવનગર લડાવશે એને અમરીશ ડેરને રાજુલા બાય ઈલેક્શન લડાવશે. એવું પણ ન થયું. જે દિવસે ઇલેકશન જાહેર થયું એ દિવસે જાફરાબાદમાં ફટાકડા ફૂટ્યા અને કાર્યકર્તાઓએ એવું કહ્યું કે અમે ખુશ છીએ કે અમારા હીરા ભાઈ અહીંયા જ રહેવાના છે. એટલે એક કેહવત યાદ આવે છે કે એક મ્યાનમાં બે તલવારના ન રહી શકે... 


જ્યારે જમાવટને આપ્યો હતો ઈન્ટરવ્યુ ત્યારે તેમણે કહ્યું કે... 

કારણ કે હીરા સોલંકી અત્યારે ધારાસભ્ય છે અને અમરીશ ડેરને હાલ કશું નહિ મળે એ માનવાને અવકાશ નથી. એમને કંઈક તો મળશે પણ ક્યારે એ પ્રશ્ન છે. રાજનીતિમાં સંયમ ખુબ જરૂરી હોય છે. અમરીશ ડેરને અત્યારે લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે કે ત્યાં જઈને શું મળી ગયું ને એ બધું અને જે તે સમયે એ એવું બોલ્યા હતા કે ભાજપમાં  ગાભા મારવા સિવાયનું કઈ કામ હોતું નથી વગેરે વગેરે અમે જ્યારે અમરીશ ડેર સાથે સાવંદ કર્યો ત્યારે ઇન્ટરવ્યુ દરમિયાન એમને આ સવાલ પણ કર્યો હતો.   


શું છે અમરેલી જિલ્લાના સમીકરણો? 

હવે અમરેલી લોકસભા બેઠક સમજીએતો અમરીશ ડેરને ત્યાંથી ટિકિટ આપવાની વાત હતી પણ અમરેલીમાં પાટીદાર સમીકરણો બેસે એટલે ત્યાંથી ભરત સુતરિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે  તેઓ લેઉવા પાટીદાર અગ્રણી છે. અને હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે.આ વખતે નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરતભાઈને ટિકિટ આપવામાં આવી છે. સમીકરણની વાત કરીએ તો અમરેલીમાં લેઉવા પટેલ અને કોળી મતદારોની સંખ્યા વધુ છે. 


અંબરીષ ડેરને જોવી પડશે 2027 સુધી રાહ! 

રાજુલામાં કોળી અને ક્ષત્રિયો, લાઠીમાં પટેલ, મહુવામાં અને ગારીયાધારમાં કોળી મતદારો વધુ છે. અમરેલી બેઠક ઉપરથી 1991 થી 1999 સુધી દિલીપ સંઘાણી ચાર વખત ચૂંટાયા છે. સાત વખત અમરેલી બેઠક કોંગ્રેસને અને પાંચ વખત ભાજપને મળી છે. 2004માં કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મર તો 2009 અને 2014માં ભાજપના નારણભાઈ કાછડિયા ચૂંટાઈ આવ્યા છે. અને આ વખતે ભરતભાઈ સામે જેની બેન ઠુમ્મર છે તો હવે અમરીશ ડેરએ  2027 સુધીની રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે . 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.