Ambarish Der BJPમાં તો જોડાઈ ગયાં પણ હવે એમનું ભવિષ્ય શું? કેમ અમરેલીથી ટિકિટ ના મળી? સમજો સમીકરણો..


  • Published By :
  • Published Date : 2024-03-26 16:34:08

નેતા જ્યારે પક્ષપલટો કરતા હોય છે ત્યારે આપણે માનતા હોઈએ છીએ કે કોઈ સત્તાની લાલચ હશે, કોઈ પદની લાલચ આપવામાં આવી હશે જેને કારણે તે પાર્ટીમાં જોડાયા છે. પરંતુ અનેક નેતાઓને પક્ષપલટો કર્યા બાદ પણ કોઈ પદ કે ઉમેદવારી ના આપવામાં આવે તો? એક નેતા જેમની માટે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે રૂમાલ રાખ્યો હતો એ નેતા હવે ભાજપમાં તો જોડાય ગયા પણ આ વખતે સી.આર.પાટીલે જે જગ્યા બચાઈને રાખી હતી ત્યાં એમનો મેળ ન પડ્યો હું વાત અમરીશની ડેરની કરી રહી છું જેમને કેસરિયા તો કર્યા પણ હવે અમરીશ ડેરનું શું? 

અંબરીષ ડેર જોડાયા ભાજપમાં પરંતુ..

2022ની ચૂંટણી બાકી હતી ત્યારે સી આર પાટિલે જાહેર સભામાં કહી દીધું કે અમરીશભાઈના માટે મે બસમાં રૂમાલ રાખ્યો છે અને જાહેરમાં અમરીશ ડેરને એમણે આમંત્રણ આપ્યું હતું અને જો ત્યારે એ ભાજપમાં જોડાઈ ગયા હોત તો તેમને રાજુલાથી ટિકિટ મળતી પણ એ વખતે અમરીશ ડેરે પ્રશ્ન કર્યો હતો કે હું આવી જાવ તો અત્યારે જે ભાજપના ધારાસભ્ય જે છે એમનું શું? ત્યારે ભાજપ પાસે તોડ હતો કે અત્યારના ધારાસભ્યને સમજાવીને બીજે સેટ કરી દઈશું પણ છતાં અમરીશ ડેર ભાજપમાં ના જોડાયા અને એ ચૂંટણી પણ હાર્યા પણ હમણાં અંબરીશ ડેર ભાજપમાં જોડાયા..


જાફરાબાદમાં કાર્યકર્તાઓએ ફોડ્યા હતા ફટાકડા

ત્યારે એવું કહેવાતું કે એ સી.આર.પાટીલ સાથે અમરીશ ડેરના સારા સંબંધો છે એટલે સી.આર.પાટીલ સમીકરણો બદલીને હીરા સોલંકીને ભાવનગર લડાવશે એને અમરીશ ડેરને રાજુલા બાય ઈલેક્શન લડાવશે. એવું પણ ન થયું. જે દિવસે ઇલેકશન જાહેર થયું એ દિવસે જાફરાબાદમાં ફટાકડા ફૂટ્યા અને કાર્યકર્તાઓએ એવું કહ્યું કે અમે ખુશ છીએ કે અમારા હીરા ભાઈ અહીંયા જ રહેવાના છે. એટલે એક કેહવત યાદ આવે છે કે એક મ્યાનમાં બે તલવારના ન રહી શકે... 


જ્યારે જમાવટને આપ્યો હતો ઈન્ટરવ્યુ ત્યારે તેમણે કહ્યું કે... 

કારણ કે હીરા સોલંકી અત્યારે ધારાસભ્ય છે અને અમરીશ ડેરને હાલ કશું નહિ મળે એ માનવાને અવકાશ નથી. એમને કંઈક તો મળશે પણ ક્યારે એ પ્રશ્ન છે. રાજનીતિમાં સંયમ ખુબ જરૂરી હોય છે. અમરીશ ડેરને અત્યારે લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે કે ત્યાં જઈને શું મળી ગયું ને એ બધું અને જે તે સમયે એ એવું બોલ્યા હતા કે ભાજપમાં  ગાભા મારવા સિવાયનું કઈ કામ હોતું નથી વગેરે વગેરે અમે જ્યારે અમરીશ ડેર સાથે સાવંદ કર્યો ત્યારે ઇન્ટરવ્યુ દરમિયાન એમને આ સવાલ પણ કર્યો હતો.   


શું છે અમરેલી જિલ્લાના સમીકરણો? 

હવે અમરેલી લોકસભા બેઠક સમજીએતો અમરીશ ડેરને ત્યાંથી ટિકિટ આપવાની વાત હતી પણ અમરેલીમાં પાટીદાર સમીકરણો બેસે એટલે ત્યાંથી ભરત સુતરિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે  તેઓ લેઉવા પાટીદાર અગ્રણી છે. અને હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે.આ વખતે નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરતભાઈને ટિકિટ આપવામાં આવી છે. સમીકરણની વાત કરીએ તો અમરેલીમાં લેઉવા પટેલ અને કોળી મતદારોની સંખ્યા વધુ છે. 


અંબરીષ ડેરને જોવી પડશે 2027 સુધી રાહ! 

રાજુલામાં કોળી અને ક્ષત્રિયો, લાઠીમાં પટેલ, મહુવામાં અને ગારીયાધારમાં કોળી મતદારો વધુ છે. અમરેલી બેઠક ઉપરથી 1991 થી 1999 સુધી દિલીપ સંઘાણી ચાર વખત ચૂંટાયા છે. સાત વખત અમરેલી બેઠક કોંગ્રેસને અને પાંચ વખત ભાજપને મળી છે. 2004માં કોંગ્રેસના વિરજીભાઈ ઠુમ્મર તો 2009 અને 2014માં ભાજપના નારણભાઈ કાછડિયા ચૂંટાઈ આવ્યા છે. અને આ વખતે ભરતભાઈ સામે જેની બેન ઠુમ્મર છે તો હવે અમરીશ ડેરએ  2027 સુધીની રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે . 



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.