લોકો લાઈનમાં લાગે અને AMC ટેન્ડર હવામાં લટકાવી રાખે! કામો અટકાવવામાં કોને રસ?


  • Published By : Admin
  • Published Date : 2024-12-26 17:28:16

RTI કહે છે 48માંથી 25 ટેન્ડર અધ્ધરતાલ!
ડિજીટલાઈઝેશનની વાતો, પણ આજે થશે, કાલે થશે, પ્રક્રીયા ચાલુ છે કહીને લટક્યા કામ!
કામો રોકી રાખવામાં કોને રસ?
શહેરનું હિત કે મલાઈ સાથે દૂધમાં પણ ભાગનો સ્વાર્થ?

જૂનાગઢમાં કબુતર પણ પકડાઈ જાય, અમદાવાદમાં SG Highway પર પણ નજર નહીં?

સરખામણીએ ખુબ નાનું શહેર કહેવાય એવા જૂનાગઢમાં જો કોઈ માણસના કબુતર ખોવાઈ જાય કે લાકડી પણ ચોરાઈ જાય તો એ પોલીસ પાસે જઈને ઉભો રહે તો પોલીસ સીસીટીવીનો સદઉપયોગ કરીને એની તરત મદદ કરી દે છે, પણ અમદાવાદ જેવા રાજ્યના સૌથી મોટા શહેરમાં મોટો એક્સીડેન્ટ થઈ જાય તો ય આપણે કેમેરાના ઠેકાણા નથી પડતા.. શું કામ આપણે ત્યાં સરકારી કામોમાં દરેક વખતે સર્વરથી લઈ કોમ્પ્યુટરના પ્રશ્નો આવે છે કે પછી શું કામ આપણે નાનું કામ જે ઓનલાઈન થઈ જવું જોઈએ એની જગ્યાએ કતારોમાં અટવાવવું પડે છે એનું કારણ એક આરટીઆઈમાં સામે આવ્યું છે..

RTI શું કહે છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લટકી પટેલા ડિજીટલાઈઝેશનના ટેન્ડરને લઈને કૉંગ્રેસના નેતાએ આરટીઆઈ કરી તો ઉપર પ્રસ્તાવનામાં જેટલા પ્રશ્નો કર્યા જાણે કે એનાં વિગતવાર જવાબ મળી ગયા.. છેલ્લા 3 વર્ષમાં સરકારને ડિજીટલ બનાવવા માટે કરવામાં આવેલા 48 ટેન્ડરમાંથી 25 હજુ ય હવામાં લટકી રહ્યા છે, એમાંથી 5 તો મંજૂર જ નથી થયા અને 20 થશે થશે... પ્રોસેસ ચાલુ છે કહીને વચ્ચે લટકી રહ્યા છે. એક સમયે આખા રાજ્યને ઉદાહરણ પુરુ પાડતુ અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર જાણે ઉંઘમાં કે પછી બધુ બરાબર છે ના ભ્રમમાં જીવી રહ્યું છે. દરેક વાતમાં એકબીજા પર ઢોળી દેવું એ પદ્ધતી બની ગઈ છે. જ્યાં ન્યુસન્સ ચાલતુ હોય એવી જગ્યાઓ પર સીસીટીવી લગાવવાથી લઈ અંડરપાસમાં પાણી ભરાય તો એનું લેવલ મોનિટર કરવા માટે સીસીટીવી લગાવવા જેવા પ્રોજેક્ટ છેલ્લા કેટલાય સમયથી હવામાં લટકી રહ્યા છે. વર્ષ 2024ના ચોમાસામાં અનેક અંડરપાસમાં પાંચ પાંચ દિવસ સુધી પાણી ભરાઈ પડ્યા હતા, આખી વ્યવસ્થા ખોરવાઈ હતી, જનજીવન ખોરંભે ચડ્યુ હતુ અને આવુ કશું થાય એટલે તરત જ ડિજીટલ થઈ જવાના પ્લાનિંગ સાથે નીકળતા ટેન્ડર અચાનક જ કેમ રોકાઈ જાય છે કે પછી પ્રોસેસના નામે ખેંચવામાં આવે છે એનો ચોક્કસ જવાબ નથી, કૉર્પોરેશન સાથે સંકળાયેલા ચહેરાઓ કહે છે કે અધિકારીઓ પહેલા મલાઈનો હિસ્સો માગતા હતા હવે એમને ખાલી મલાઈ નહીં દૂધમાં પણ ભાગ જોઈએ છે, અને એ અપેક્ષા પુરી ના થાય ત્યારે આખી પ્રક્રીયા અટકાવી દે છે. આ રીતે ખોરંભે ચડેલા કામોમાં કોમ્પ્યુટરની ખરીદી, લેઝર પ્રીન્ટરની ખરીદી, અનેક જગ્યાએ સોફ્ટવેર અપડેશન, પ્રોસેસરના ઈન્સ્ટોલેશન જેવા કામોનો સમાવેશ થાય છે... હવે જ્યારે કોઈ પણ જગ્યાએ અટવાવ, અથડાવ, કારણ વગર કામ ખોરંભે ચઢે, નાની વાતોમાં પણ ઓફીસના ધક્કા ખાવા પડે ત્યારે યાદ રાખજો કે ટેન્ડર જેવી બાબતો જેમાં સામાન્ય માણસ એવુ સમજે છે કે એમને શું લેવાદેવા... અંતે આવી અટવાતી પ્રક્રીયાઓ સૌથી મોટુ નુકસાન એનાં લાભાર્થીઓને જ કરે છે... તમને શું લાગે છે આ બધી તકલીફોમાંથી એએમસી તમને ક્યારે મુક્તિ આપશે



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.