લોકો લાઈનમાં લાગે અને AMC ટેન્ડર હવામાં લટકાવી રાખે! કામો અટકાવવામાં કોને રસ?


  • Published By : Admin
  • Published Date : 2024-12-26 17:28:16

RTI કહે છે 48માંથી 25 ટેન્ડર અધ્ધરતાલ!
ડિજીટલાઈઝેશનની વાતો, પણ આજે થશે, કાલે થશે, પ્રક્રીયા ચાલુ છે કહીને લટક્યા કામ!
કામો રોકી રાખવામાં કોને રસ?
શહેરનું હિત કે મલાઈ સાથે દૂધમાં પણ ભાગનો સ્વાર્થ?

જૂનાગઢમાં કબુતર પણ પકડાઈ જાય, અમદાવાદમાં SG Highway પર પણ નજર નહીં?

સરખામણીએ ખુબ નાનું શહેર કહેવાય એવા જૂનાગઢમાં જો કોઈ માણસના કબુતર ખોવાઈ જાય કે લાકડી પણ ચોરાઈ જાય તો એ પોલીસ પાસે જઈને ઉભો રહે તો પોલીસ સીસીટીવીનો સદઉપયોગ કરીને એની તરત મદદ કરી દે છે, પણ અમદાવાદ જેવા રાજ્યના સૌથી મોટા શહેરમાં મોટો એક્સીડેન્ટ થઈ જાય તો ય આપણે કેમેરાના ઠેકાણા નથી પડતા.. શું કામ આપણે ત્યાં સરકારી કામોમાં દરેક વખતે સર્વરથી લઈ કોમ્પ્યુટરના પ્રશ્નો આવે છે કે પછી શું કામ આપણે નાનું કામ જે ઓનલાઈન થઈ જવું જોઈએ એની જગ્યાએ કતારોમાં અટવાવવું પડે છે એનું કારણ એક આરટીઆઈમાં સામે આવ્યું છે..

RTI શું કહે છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લટકી પટેલા ડિજીટલાઈઝેશનના ટેન્ડરને લઈને કૉંગ્રેસના નેતાએ આરટીઆઈ કરી તો ઉપર પ્રસ્તાવનામાં જેટલા પ્રશ્નો કર્યા જાણે કે એનાં વિગતવાર જવાબ મળી ગયા.. છેલ્લા 3 વર્ષમાં સરકારને ડિજીટલ બનાવવા માટે કરવામાં આવેલા 48 ટેન્ડરમાંથી 25 હજુ ય હવામાં લટકી રહ્યા છે, એમાંથી 5 તો મંજૂર જ નથી થયા અને 20 થશે થશે... પ્રોસેસ ચાલુ છે કહીને વચ્ચે લટકી રહ્યા છે. એક સમયે આખા રાજ્યને ઉદાહરણ પુરુ પાડતુ અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર જાણે ઉંઘમાં કે પછી બધુ બરાબર છે ના ભ્રમમાં જીવી રહ્યું છે. દરેક વાતમાં એકબીજા પર ઢોળી દેવું એ પદ્ધતી બની ગઈ છે. જ્યાં ન્યુસન્સ ચાલતુ હોય એવી જગ્યાઓ પર સીસીટીવી લગાવવાથી લઈ અંડરપાસમાં પાણી ભરાય તો એનું લેવલ મોનિટર કરવા માટે સીસીટીવી લગાવવા જેવા પ્રોજેક્ટ છેલ્લા કેટલાય સમયથી હવામાં લટકી રહ્યા છે. વર્ષ 2024ના ચોમાસામાં અનેક અંડરપાસમાં પાંચ પાંચ દિવસ સુધી પાણી ભરાઈ પડ્યા હતા, આખી વ્યવસ્થા ખોરવાઈ હતી, જનજીવન ખોરંભે ચડ્યુ હતુ અને આવુ કશું થાય એટલે તરત જ ડિજીટલ થઈ જવાના પ્લાનિંગ સાથે નીકળતા ટેન્ડર અચાનક જ કેમ રોકાઈ જાય છે કે પછી પ્રોસેસના નામે ખેંચવામાં આવે છે એનો ચોક્કસ જવાબ નથી, કૉર્પોરેશન સાથે સંકળાયેલા ચહેરાઓ કહે છે કે અધિકારીઓ પહેલા મલાઈનો હિસ્સો માગતા હતા હવે એમને ખાલી મલાઈ નહીં દૂધમાં પણ ભાગ જોઈએ છે, અને એ અપેક્ષા પુરી ના થાય ત્યારે આખી પ્રક્રીયા અટકાવી દે છે. આ રીતે ખોરંભે ચડેલા કામોમાં કોમ્પ્યુટરની ખરીદી, લેઝર પ્રીન્ટરની ખરીદી, અનેક જગ્યાએ સોફ્ટવેર અપડેશન, પ્રોસેસરના ઈન્સ્ટોલેશન જેવા કામોનો સમાવેશ થાય છે... હવે જ્યારે કોઈ પણ જગ્યાએ અટવાવ, અથડાવ, કારણ વગર કામ ખોરંભે ચઢે, નાની વાતોમાં પણ ઓફીસના ધક્કા ખાવા પડે ત્યારે યાદ રાખજો કે ટેન્ડર જેવી બાબતો જેમાં સામાન્ય માણસ એવુ સમજે છે કે એમને શું લેવાદેવા... અંતે આવી અટવાતી પ્રક્રીયાઓ સૌથી મોટુ નુકસાન એનાં લાભાર્થીઓને જ કરે છે... તમને શું લાગે છે આ બધી તકલીફોમાંથી એએમસી તમને ક્યારે મુક્તિ આપશે



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.