લોકો લાઈનમાં લાગે અને AMC ટેન્ડર હવામાં લટકાવી રાખે! કામો અટકાવવામાં કોને રસ?


  • Published By : Admin
  • Published Date : 2024-12-26 17:28:16

RTI કહે છે 48માંથી 25 ટેન્ડર અધ્ધરતાલ!
ડિજીટલાઈઝેશનની વાતો, પણ આજે થશે, કાલે થશે, પ્રક્રીયા ચાલુ છે કહીને લટક્યા કામ!
કામો રોકી રાખવામાં કોને રસ?
શહેરનું હિત કે મલાઈ સાથે દૂધમાં પણ ભાગનો સ્વાર્થ?

જૂનાગઢમાં કબુતર પણ પકડાઈ જાય, અમદાવાદમાં SG Highway પર પણ નજર નહીં?

સરખામણીએ ખુબ નાનું શહેર કહેવાય એવા જૂનાગઢમાં જો કોઈ માણસના કબુતર ખોવાઈ જાય કે લાકડી પણ ચોરાઈ જાય તો એ પોલીસ પાસે જઈને ઉભો રહે તો પોલીસ સીસીટીવીનો સદઉપયોગ કરીને એની તરત મદદ કરી દે છે, પણ અમદાવાદ જેવા રાજ્યના સૌથી મોટા શહેરમાં મોટો એક્સીડેન્ટ થઈ જાય તો ય આપણે કેમેરાના ઠેકાણા નથી પડતા.. શું કામ આપણે ત્યાં સરકારી કામોમાં દરેક વખતે સર્વરથી લઈ કોમ્પ્યુટરના પ્રશ્નો આવે છે કે પછી શું કામ આપણે નાનું કામ જે ઓનલાઈન થઈ જવું જોઈએ એની જગ્યાએ કતારોમાં અટવાવવું પડે છે એનું કારણ એક આરટીઆઈમાં સામે આવ્યું છે..

RTI શું કહે છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લટકી પટેલા ડિજીટલાઈઝેશનના ટેન્ડરને લઈને કૉંગ્રેસના નેતાએ આરટીઆઈ કરી તો ઉપર પ્રસ્તાવનામાં જેટલા પ્રશ્નો કર્યા જાણે કે એનાં વિગતવાર જવાબ મળી ગયા.. છેલ્લા 3 વર્ષમાં સરકારને ડિજીટલ બનાવવા માટે કરવામાં આવેલા 48 ટેન્ડરમાંથી 25 હજુ ય હવામાં લટકી રહ્યા છે, એમાંથી 5 તો મંજૂર જ નથી થયા અને 20 થશે થશે... પ્રોસેસ ચાલુ છે કહીને વચ્ચે લટકી રહ્યા છે. એક સમયે આખા રાજ્યને ઉદાહરણ પુરુ પાડતુ અમદાવાદ કોર્પોરેશનનું તંત્ર જાણે ઉંઘમાં કે પછી બધુ બરાબર છે ના ભ્રમમાં જીવી રહ્યું છે. દરેક વાતમાં એકબીજા પર ઢોળી દેવું એ પદ્ધતી બની ગઈ છે. જ્યાં ન્યુસન્સ ચાલતુ હોય એવી જગ્યાઓ પર સીસીટીવી લગાવવાથી લઈ અંડરપાસમાં પાણી ભરાય તો એનું લેવલ મોનિટર કરવા માટે સીસીટીવી લગાવવા જેવા પ્રોજેક્ટ છેલ્લા કેટલાય સમયથી હવામાં લટકી રહ્યા છે. વર્ષ 2024ના ચોમાસામાં અનેક અંડરપાસમાં પાંચ પાંચ દિવસ સુધી પાણી ભરાઈ પડ્યા હતા, આખી વ્યવસ્થા ખોરવાઈ હતી, જનજીવન ખોરંભે ચડ્યુ હતુ અને આવુ કશું થાય એટલે તરત જ ડિજીટલ થઈ જવાના પ્લાનિંગ સાથે નીકળતા ટેન્ડર અચાનક જ કેમ રોકાઈ જાય છે કે પછી પ્રોસેસના નામે ખેંચવામાં આવે છે એનો ચોક્કસ જવાબ નથી, કૉર્પોરેશન સાથે સંકળાયેલા ચહેરાઓ કહે છે કે અધિકારીઓ પહેલા મલાઈનો હિસ્સો માગતા હતા હવે એમને ખાલી મલાઈ નહીં દૂધમાં પણ ભાગ જોઈએ છે, અને એ અપેક્ષા પુરી ના થાય ત્યારે આખી પ્રક્રીયા અટકાવી દે છે. આ રીતે ખોરંભે ચડેલા કામોમાં કોમ્પ્યુટરની ખરીદી, લેઝર પ્રીન્ટરની ખરીદી, અનેક જગ્યાએ સોફ્ટવેર અપડેશન, પ્રોસેસરના ઈન્સ્ટોલેશન જેવા કામોનો સમાવેશ થાય છે... હવે જ્યારે કોઈ પણ જગ્યાએ અટવાવ, અથડાવ, કારણ વગર કામ ખોરંભે ચઢે, નાની વાતોમાં પણ ઓફીસના ધક્કા ખાવા પડે ત્યારે યાદ રાખજો કે ટેન્ડર જેવી બાબતો જેમાં સામાન્ય માણસ એવુ સમજે છે કે એમને શું લેવાદેવા... અંતે આવી અટવાતી પ્રક્રીયાઓ સૌથી મોટુ નુકસાન એનાં લાભાર્થીઓને જ કરે છે... તમને શું લાગે છે આ બધી તકલીફોમાંથી એએમસી તમને ક્યારે મુક્તિ આપશે



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.