અમેરિકાના આરબોની ગેબ્રિયલ બન્યા મિસ યૂનિવર્સ, ભારતની દિવિતા ન પહોંચી શકી ટોપ ફાઈવમાં


  • Published By :
  • Published Date : 2023-01-15 13:34:53

અમેરિકાના લુઈસિયાના સ્ટેટના ન્યુ ઓર્લેઅંસ શહેરમાં 71મા મિસ યુનિવર્સ પેજેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે મિસ યુનિવર્સ કોણ બનશે. આખરે મિસ યુનિવર્સ 2022નો ખિતાબ યુએસએના આરબોની ગેબ્રિયલે જીત્યો છે. મિસ યુનિવર્સને તાજ પહેરાવા ભારતની હરનાજ સંધૂ સ્ટેજ પર પહોંચ્યા હતા.   

Miss Universe 2022: USA's R'Bonney Gabriel wins

84 કન્ટેસ્ટન્ટે લીધો હતો ભાગ 

છેલ્લા અનેક દિવસોથી 71મા મિસ યુનિવર્સ પેજેંટની ચર્ચાઓ ચાલતી હતી. આ સ્પર્ધામાં 84 કન્ટેસ્ટેંટ્સ હતા અને તેમને હરાવીને  આરબોની ગેબ્રિયલે આ ખિતાબ પોતાને નામ કર્યો છે. યુએસએની આરબોની ગેબ્રિયલ મિસ યુનિવર્સ બન્યા છે. 

मिस यूनिवर्स


ભારતની હરનાજ સંધુએ મિસ યુનિવર્સને સોંપ્યો તાજ 

ક્રાઉનને સોંપવા પૂર્વ મિસ યુનિવર્સ હરનાજ સંધુ પહોંચ્યા હતા. સ્ટેજ પર જઈ હરનાજ ભાવુક થઈ ગયા હતા. હરનાજ પંજાબી ડ્રેસમાં દેખાયા હતા. ટોપ ત્રણ કન્ટેસ્ટેંટ્સની વાત કરીએ તો વેનેજુએલાની અમાંડા ડુડામેલ ન્યુમેન, યુએસથી આરબોની ગેબ્રિયલ અને ડોમિનિકન રિપબ્લિકની અંડ્રીના માર્ટિનેજનો સમાવેશ થાય છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવા દિવિતા રાય ગયા હતા. તેમણે ટોપ સોળમાં જગ્યા બનાવી પરંતુ તેઓ ટોપ ફાઈમાં સ્થાન મેળવી ન શક્યા.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે