અમેરિકાના આરબોની ગેબ્રિયલ બન્યા મિસ યૂનિવર્સ, ભારતની દિવિતા ન પહોંચી શકી ટોપ ફાઈવમાં


  • Published By :
  • Published Date : 2023-01-15 13:34:53

અમેરિકાના લુઈસિયાના સ્ટેટના ન્યુ ઓર્લેઅંસ શહેરમાં 71મા મિસ યુનિવર્સ પેજેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે મિસ યુનિવર્સ કોણ બનશે. આખરે મિસ યુનિવર્સ 2022નો ખિતાબ યુએસએના આરબોની ગેબ્રિયલે જીત્યો છે. મિસ યુનિવર્સને તાજ પહેરાવા ભારતની હરનાજ સંધૂ સ્ટેજ પર પહોંચ્યા હતા.   

Miss Universe 2022: USA's R'Bonney Gabriel wins

84 કન્ટેસ્ટન્ટે લીધો હતો ભાગ 

છેલ્લા અનેક દિવસોથી 71મા મિસ યુનિવર્સ પેજેંટની ચર્ચાઓ ચાલતી હતી. આ સ્પર્ધામાં 84 કન્ટેસ્ટેંટ્સ હતા અને તેમને હરાવીને  આરબોની ગેબ્રિયલે આ ખિતાબ પોતાને નામ કર્યો છે. યુએસએની આરબોની ગેબ્રિયલ મિસ યુનિવર્સ બન્યા છે. 

मिस यूनिवर्स


ભારતની હરનાજ સંધુએ મિસ યુનિવર્સને સોંપ્યો તાજ 

ક્રાઉનને સોંપવા પૂર્વ મિસ યુનિવર્સ હરનાજ સંધુ પહોંચ્યા હતા. સ્ટેજ પર જઈ હરનાજ ભાવુક થઈ ગયા હતા. હરનાજ પંજાબી ડ્રેસમાં દેખાયા હતા. ટોપ ત્રણ કન્ટેસ્ટેંટ્સની વાત કરીએ તો વેનેજુએલાની અમાંડા ડુડામેલ ન્યુમેન, યુએસથી આરબોની ગેબ્રિયલ અને ડોમિનિકન રિપબ્લિકની અંડ્રીના માર્ટિનેજનો સમાવેશ થાય છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવા દિવિતા રાય ગયા હતા. તેમણે ટોપ સોળમાં જગ્યા બનાવી પરંતુ તેઓ ટોપ ફાઈમાં સ્થાન મેળવી ન શક્યા.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .