અમેરિકાના આરબોની ગેબ્રિયલ બન્યા મિસ યૂનિવર્સ, ભારતની દિવિતા ન પહોંચી શકી ટોપ ફાઈવમાં


  • Published By :
  • Published Date : 2023-01-15 13:34:53

અમેરિકાના લુઈસિયાના સ્ટેટના ન્યુ ઓર્લેઅંસ શહેરમાં 71મા મિસ યુનિવર્સ પેજેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે મિસ યુનિવર્સ કોણ બનશે. આખરે મિસ યુનિવર્સ 2022નો ખિતાબ યુએસએના આરબોની ગેબ્રિયલે જીત્યો છે. મિસ યુનિવર્સને તાજ પહેરાવા ભારતની હરનાજ સંધૂ સ્ટેજ પર પહોંચ્યા હતા.   

Miss Universe 2022: USA's R'Bonney Gabriel wins

84 કન્ટેસ્ટન્ટે લીધો હતો ભાગ 

છેલ્લા અનેક દિવસોથી 71મા મિસ યુનિવર્સ પેજેંટની ચર્ચાઓ ચાલતી હતી. આ સ્પર્ધામાં 84 કન્ટેસ્ટેંટ્સ હતા અને તેમને હરાવીને  આરબોની ગેબ્રિયલે આ ખિતાબ પોતાને નામ કર્યો છે. યુએસએની આરબોની ગેબ્રિયલ મિસ યુનિવર્સ બન્યા છે. 

मिस यूनिवर्स


ભારતની હરનાજ સંધુએ મિસ યુનિવર્સને સોંપ્યો તાજ 

ક્રાઉનને સોંપવા પૂર્વ મિસ યુનિવર્સ હરનાજ સંધુ પહોંચ્યા હતા. સ્ટેજ પર જઈ હરનાજ ભાવુક થઈ ગયા હતા. હરનાજ પંજાબી ડ્રેસમાં દેખાયા હતા. ટોપ ત્રણ કન્ટેસ્ટેંટ્સની વાત કરીએ તો વેનેજુએલાની અમાંડા ડુડામેલ ન્યુમેન, યુએસથી આરબોની ગેબ્રિયલ અને ડોમિનિકન રિપબ્લિકની અંડ્રીના માર્ટિનેજનો સમાવેશ થાય છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવા દિવિતા રાય ગયા હતા. તેમણે ટોપ સોળમાં જગ્યા બનાવી પરંતુ તેઓ ટોપ ફાઈમાં સ્થાન મેળવી ન શક્યા.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.